SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ પ ] નિર્જરા તથા અનેક પર્યાયવાળા મોક્ષનું સ્વરૂપ કહ્યું. ભગવાનનાં વચનને આ વિસ્તાર સાંભળીને જંબુકુમાર વૈરાગ્ય પામ્યો. અત્યંત સંતુષ્ટ થયેલ એ તે ઊડ્યો અને ગુરુને વંદના કરીને તેણે વિનંતી કરી “ સ્વામી! તમારી પાસે મેં ધર્મ સાંભળે. હવે માતા-પિતાની આજ્ઞા લઈને આપના ચરણમાં મારું હિત આચરીશ (દીક્ષા લઈશ).” ભગવાને કહ્યું “ભયજનોનું એ કર્તવ્ય છે.” પછી જંબુકુમાર પ્રણામ કરીને ગાડીમાં બેઠે, તથા જે માગે આવ્યો હતો તે જ માગે પાછો વળી નગરદ્વારે પહોંચે. પણ તે નગરદ્વારમાં ગાડીઓની સામસામી ભીડ જોઈને વિચાર કરવા લાગ્યું કે-“જે રાહ જોઈશ તે વિલંબ થશે, માટે બીજા નગરદ્વારમાં થઈને જલદી પ્રવેશ કરે મારે માટે ઉચિત છે.” એમ વિચારીને સારથિને કહ્યું-“સૌમ્ય ! રથ પાછો વાળ. બીજા દ્વારે થઈને પ્રવેશ કરીશું. એટલે સારથિએ ઘોડા હાંક્યા અને સૂચવેલા દ્વાર આગળ રથ લીધો. ત્યાં શત્રુસેન્યને હણવાને માટે દેરડે બાંધીને લટકાવેલાં શિલા-શતદની-કાલચક્ર એ શસ્ત્રો જ બુકુમારે જેયાં. એ જોઈને તેને ચિન્તા થઈ, “આ શસ્ત્રો કદાચ રથ ઉપર પડે તો વ્રત લીધા સિવાય જ મૃત્યુ થતાં મારી દુર્ગતિ થાય.” આમ સંકલ્પ કરીને તેણે સારથિને કહ્યું–“સારથિ ! રથ પાછો હાંક હું ગુરુ પાસે ગુણશીલ ચેત્યમાં જઈશ.” “ભલે” એ પ્રમાણે કહીને તેણે રથ પાછો વાળ્યો. ગુરુ પાસે જઈને જંબુકુમારે વિનયપૂર્વક કહ્યું–“ભગવદ્ ! જીવન પર્યત બ્રહ્મચારી રહીશ.” આ પ્રમાણે વ્રત ગ્રહણ કરીને રથમાં બેસીને તે નગરમાં આવ્યો અને પિતાને ઘેર પહોંચે. માતા-પિતા સાથે જંબુકુમારને સંવાદ પ્રસન્ન મુખવાળા તેણે રથમાંથી ઉતરી માતાપિતાને પ્રણામ કરીને કહ્યું, “વડીલે ! મેં આજે સુધર્માસ્વામીની પાસે જિનપદેશ સાંભળે. તેથી જ્યાં જરા, મરણ, રોગ, શેક નથી એવા પદને પામવા ઉત્સુક હું પ્રત્રજ્યા લેવા ઈચ્છું છું. મને રજા આપે.” તેનું આ નિશ્ચય વચન સાંભળીને અથુજળથી જેમનાં વદન ભરાઈ ગયાં છે એવાં તેઓ કહેવા લાગ્યાં “તે ધર્મ ભલે સાંભળે, અમારા પણ અનેક પૂર્વજે જિનશાસનમાં રત હતા, પણ, તેમાંના કોઈએ “પ્રવ્રજ્યા લીધી” એમ સાંભળ્યું નથી. અમે પણ બહુ કાળ સુધી ધર્મ સાંભળ્યો છે, પણ આ નિશ્ચય કદિ ઉત્પન્ન થયા નથી. તે તને કયી વિશેષતા આજે જ પ્રાપ્ત થઈ, જેથી “પ્રવ્રજ્યા લઈશ” એમ કહે છે?” ત્યારે જંબુકુમાર કહેવા લાગ્યો-“હે વડિલો ! કેટલાક લેકે ઘણે કાળે ધર્મને નિશ્ચય કરી શકે છે, જ્યારે બીજા કેટલાકને અલ્પ કાળમાં જ વિશેષ પરિજ્ઞા (જ્ઞાન) થાય છે. જુઓ, સાધુની પાસે આજે મેં જે અપૂર્વ જાણ્યું તે સાંભળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy