SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પંડ્રા લંભક [ ર૭૯ ] એક વાર આર્યાઓની સાથે સમેતશિખર પર્વત ઉપર વીસ તીર્થકરોની પાદુકાઓને વંદન કરવાને હું નીકળી. ત્યાં અમે મંદિરની સમીપે રહ્યાં. રાત્રે તે પર્વતમાં દેવત થયે, એટલે અત્યંત વિસ્મિત થએલાં અમે પર્વત ઉપર ચઢ્યાં. જિનેશ્વરોની પાદુકાને વંદન કર્યા પછી એક સ્થળે ચિત્રગુપ્ત અને સમાધિગુપ્ત એ બે અણગારને અમે જોયા. તેમને થયેલ કેવલજ્ઞાનની ઉત્પત્તિના મહિમા નિમિત્તે આવેલ દેવોએ આ ઉદ્યોત કર્યો હતો, એમ કારણ જાણવાથી તેમને વિનયપૂર્વક વંદન કરીને અમે નીકળ્યાં. એટલે તેઓએ કહ્યું, “આય! મુહૂર્ત ઉભાં રહે; શિખ્યા લઈ જાઓ.” પછી અત્યંત રૂપવાન વિદ્યાધરમિથુન ત્યાં ઊતર્યું, અને “પરમગુરુને નમસ્કાર ” એમ બોલીને ત્યાં ઊભું રહ્યું. એ મિથુનને તેઓએ દીક્ષા આપી અને વિદ્યાધરીને મારી શિષ્યા તરીકે સેંપી. પછી તેમને વંદન કરીને અમે નીકળતાં એ વિદ્યાધરીને મેં પૂછયું, “આર્યા! તે સાધુઓ તમારા પરમગુરુ કેવી રીતે ?” તે કહેવા લાગીચિત્રગાની આત્મકથા વૈતાઢ્ય પર્વતમાં વિવિધ ધાતુવડે મંડિત અને સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષોથી યુક્ત કાંચનગુહા નામે ગુહા છે. ગયા ભવમાં અમે ત્યાં જ તેંદુક અને હસ્તિનિકા નામે વનચરમિથુન હતાં. ત્યાં કંદ, મૂળ અને ફળને આહાર કરતાં અમે સુખપૂર્વક રહેતાં હતાં. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા આ મુનિવરને ત્યાં અમે જોયા. “આ ત્રષિઓ મહાનુભાવ છે” એમ વિચારી પરમભક્તિથી અમે તેમને વંદન કર્યું અને અમૃત જેવા રસવાળાં ફળે તેમને ખાવા માટે ધર્યા, પણ મૌનવ્રત ધારણ કરનારા અને નિશ્ચલ રહેલા તેઓએ ઉત્તર ન આવે તેમજ ફળે પણ લીધાં નહીં. પછી અમે અમારા આવાસમાં ગયાં. પોતાનો નિયમ સમાપ્ત થતાં તે મુનિઓ પણ આકાશમાર્ગે કયાંક ગયા. (તેઓ આકાશમાર્ગે જતા હતા ત્યારે) તેમને ફરીવાર વંદન કરતાં અમે વિસ્મય પામ્યાં, અને તેમને જ મનમાં ધારણ કરતાં અને તેમના ગુણોનું ચિન્તન કરતાં વીજળી પડવાથી કાળ કરીને– ઉત્તર શ્રેણિમાં ચમરચંચા નામે નગરી છે ત્યાં પવનવેગ નામે રાજા હતો, તેની પુષ્કલાવતી દેવી હતી, તેની પુત્રી હું ચિત્રવેગા નામે થઈ. “આ ઉત્તમ પુરુષની સ્ત્રી થશે.” એમ જાણીને મારી જાંઘ ચીરીને તેમાં ઓષિધ મૂકવામાં આવી અને તેના પ્રભાવથી કુમાર તરીકે ઓળખાતી હું મોટી થવા લાગી. હું યોવનમાં આવી ત્યારે ધાવમાતાએ આ હકીકત મને કહી. એક વાર મંદિરના શિખર ઉપર જિનેશ્વરનો મહિમા ચાલતો હતું ત્યારે દક્ષિણ એણિના રત્નસંચયપુરના અધિપતિ ગરુડકેતુના પુત્ર અને લોકસુન્દરીના આત્મજ ગરુડવેગને મને જોઈ. તેને પણ મને જોઈને તીવ્ર સ્નેહાનુરાગ થયે. “આ તો કુમારી છે” એમ તેણે મને જાણી, મને વરવા ગરુડેવેગ વારંવાર સંદેશાઓ મોકલવા લાગ્યા. જ્યાં સુધી ૧ મૂળમાં મંદ્રસમી શબ્દ છે અહીં “મંદર” એ વિશેષનામ નથી. કાં તો “પર્વત” એ સામાન્ય અર્થ હોય અથવા મંઢિર એ મૂળ સાચે પાડ હોય. પહેલા વિકલ્પ વધારે સંભવિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy