SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૦ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : મારું તેને વાગ્દાન થયું નહીં ત્યાં સુધી મારી જાંઘમાંથી ઔષધિ કાઢવામાં ન આવી. ઔષધિ કાઢીને પછી સંગ્રહણી ઔષધિવડે રુઝવવામાં આવતાં હં સ્વાભાવિક સ્ત્રી થઈ. પછી મોટી ઋદ્ધિપૂર્વક લગ્ન થતાં હું તેની સાથે નિદ્વિગ્નપણે ભેગે ભેગવવા લાગી. એક વાર સિદ્ધાયતન ફૂટ ઉપર મહોત્સવ થતો હતો ત્યારે અણગારને ત્યાં આવેલા જોઈને હું સહિત ગરુડવેગ તેમને વંદન કરીને પૂછવા લાગ્યા, “ભગવદ્ ! મને એમ લાગે છે કે આપને પહેલા અમે કયાંક જોયા છે.” તેઓએ કહ્યું “શ્રાવક! સાચી વાત છે. પૂર્વભવમાં તમે કાંચનગુહામાં તેંદુક અને હસ્તિની નામે વનચર-મિથુન હતાં.” નિશાની સહિત તેમણે હકીકત કહેતાં જાતિસ્મરણ થવાથી “આપને વંદન કરવાના ગુણથી અમને વિદ્યાધરપણું મળ્યું છે” એમ બોલતાં અમે પરમ વિનયપૂર્વક તેમના પગે પડ્યાં. તેમની સમીપમાં વ્રતો અને શિક્ષાવ્રતો ગ્રહણ કરીને અમે અમારા નગરમાં ગયાં. એક વાર મારા સસરા ગરુડકેતુ રાજાએ નિવેદ પામીને ગરુડવેગને રાજ્ય આપીને તથા નાના પુત્ર ગરુડવિક્રમને યુવરાજપદે સ્થાપીને દીક્ષા લીધી. પછી અમે રાજ્યલક્ષમી ભેગવવા લાગ્યાં. આજે આ મુનિઓને થએલા કેવલજ્ઞાનના મહિમા નિમિત્તે નજીકમાં રહેલા દેવતાઓ એકત્ર થયા હતા. દેવદ્યોતથી વિચિમત થયેલાં અમે પણ આવ્યાં, અને દેવ વડે પૂજાયેલા ગુરુઓને વંદન કર્યા. ગુરુઓએ દેવો અને વિદ્યાધરને ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. જેમને સંવેગ પેદા થયા છે એવા અમે પુત્રને રાજ્યલક્ષ્મી સંપીને દીક્ષા લેવા માટે આવ્યાં. આ કારણથી, અમારે માટે પૂર્વભવમાં પણ વંદનીય હતા તેથી આ ષિઓ અમારા પરમગુરુઓ છે. ” આવું કહેતી તે વિદ્યાધરીએ તે (જાંઘમાં રાખી હતી તે) ઔષધિ (માર્ગમાં) જોઈ અને તેણે તે આયને બતાવી. “આ મહાપ્રભાવવાળી ઔષધિ છે એમ માનીને કુતુહલથી મેં તે લીધી. તેણે બીજે સ્થળે સંરહણ ઔષધિ બતાવી, તે પણ મેં લીધી. પછી અમે આ નગરમાં આવ્યાં. એક વાર એમ બન્યું કે આ નગરમાં ત્રણ ઈભ્યપુત્ર ભાઈઓ રહેતા હતા. તેમાંને એક વહાણમાં બેસીને વેપાર અર્થે ગયે હતું, અને બીજા બે ભાઈઓ દુકાનને વેપાર ચલાવતા હતા. સમુદ્રમાં વહાણુનો નાશ થયેલે જાણીને તે બે ભાઈઓએ મોટી ભેજાઈને કહ્યું, “કુટુમ્બનું દ્રવ્ય બતાવો.” તે બતાવવા ઈચ્છતી નહતી, તેથી મૂંગી રહી. એટલે તેઓએ રાજદરબારમાં જઈને પુંડ્ર રાજાને વિનંતી કરી, “દેવ! જ્યારે અમારાં માતપિતા મરણ પામ્યાં ત્યારે મોટાભાઈ અમારે માટે માનનીય છે” એમ ગણીને અમે ધનની ચિન્તા કરતા નહતા. પણ તે તો વહાણમાં બેસીને ગયા છે, અને તેમના શા સમાચાર ૧. આ કંડિકાના કેટલાક વાક્યખડે અસ્પષ્ટ છે. તેમને ભાવાર્થ અનુમાને ખેંચી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy