SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લંભક [ કર૩ ] જાઓ છે. આ યુદ્ધને ત્યાગ કરે, હવે સંયમયુદ્ધ વડે યુદ્ધ કરે; ખરેખર, તમે આ દેહવડે મોક્ષમાં જશે (અર્થાત્ તમે ચરિમશરીરી છો).” (મણિકુંડલી વિદ્યાધરનું) આ વચન સાંભળીને તે બન્ને જણાએ–ઇન્દુસેન અને બિન્દુસેને કવચનો ત્યાગ કરી દીધો, અને જેમને પૂર્વભવનું મરણ થયું છે એવા તેઓ કહેવા લાગ્યા, “અહો ! ભેગો અતિવિષમ છે; અરે ! રાગને વશ પડેલા, મેહિત હૃદયવાળા તથા વિષયરૂપી માંસની તૃષ્ણવાળા અમે પ્રિય એવા આત્માને ત્યાગ કર્યો. અહો ! જરા, મરણ અને રોગથી ભરેલા તથા સ્તર એવા ભવસમુદ્રમાં અમે અમારા આત્માને નાખે. ભવસમુદ્રના માર્ગને ઉપદેશ કરનારા ભેગોને આ અમે ત્યાગ કરીએ છીએ; મોહપાશે છેદીને હવે અમે શ્રેયને સ્વીકારીશું.” કરતલની અંજલિ કરીને-હાથ જોડીને પ્રસન્ન મનવાળા તેઓએ મણિકુંડલીને કહ્યું કે, “અમે તમારા ઉપદેશને ઈચ્છીએ છીએ-સ્વીકારીએ છીએ. ” પછી તેમણે સત્કાર કરીને મણિકુંડલીને વિદાય આપી. પછી વિખ્યાત કીર્તિવાળા અને ધીર એવા તેઓએ ચાર હજારની સેના સાથે પરવરીને ભારે સમૃદ્ધિપૂર્વક ધર્મરુચિ અણુગારની પાસે દીક્ષા લીધી. દઢ અને કઠિન એવા કર્મરૂપી વૃક્ષોના વનને તરૂપી તીક્ષણ પરશુ વડે ખેદ પામ્યા સિવાય સાફ કરીને મહાભાગ એવા તેઓ સિદ્ધિમાં ગયા. આ ઉપરાંત, શ્રીસેન વગેરે પેલા ચાર જ હતા તેઓ ઉત્તરકુરુ ક્ષેત્રના પ્રભાવથી ત્યાં કલ્પવૃક્ષ વડે ઉત્પન્ન થયેલા ઉત્તમ વિષયસુખ અનુભવતાં ત્રણ પલ્યોપમ સુધી જીવીને, કમળ પરિણામથી દેવનું આયુષ્ય બાંધીને, સુખપૂર્વક કાળ કરીને સૌધર્મ કપમાં ચારે દેવ થયા. રત્નોની કાન્તિ વડે અંધકાર જ્યાં નાશ પામે છે, અને ઇચ્છિત તથા પ્રશસ્ત સુખ વડે જે પરિપૂર્ણ છે એવા તે સ્વર્ગમાં વૈમાનિકના ઉત્તમ શરીરમાં ત્રણ પાપમ સુધી વસ્યા પછી આવીને આ જ ભારતમાં તેઓ ઉત્પન્ન થયા. હે અમિતતેજ ! તેમાં જે શ્રીસેન રાજા તે તું જ છે, સત્યભામાં બ્રાહ્મણ તે તારી બહેન સુતારા છે, જે અભિનંદિતા દેવી તે શ્રીવિજય થયો છે, અને સિંહનંદિતા તે શ્રીવિજયની બહેન તિપ્રભા થઈ છે. પેલે જે કપિલ સ્વભાવથી માયાબહુલ હતો તે સત્યભામાના વિયેગથી દુઃખ પામી, આર્તધ્યાનયુક્ત થઈ, શોક કરતાં મરીને, તિર્યંચ ગતિનું નામ-ગોત્ર કર્મ ઉપાર્જન કરીને, ઘણા તિર્યંચભમાં ભમીને કશે કંઈક પાતળા પડતાં ભૂતરત્ના અટવીમાં ઐરાવતી નદીના કિનારે જટિલકોશિક તાપસની પવનવેગા પત્નીના ગર્ભમાં ધમ્મિલ્લ નામે બાળક થયો. મોટો થતાં દીર્ધકાળ સુધી અજ્ઞાન-તપ કરીને, ગગનમાર્ગે જતા વિમાનમાં રહેલા વિદ્યાધરને જોઈને તેણે નિયાણું કર્યું કે, “જે મારા આ તપનું ફળ હોય તો હું પણ આવતા ભવમાં આવી રીતે કરું. ” પછી તે કાળ કરીને આ જ ભારતમાં ઉત્તર શ્રેણિમાં ચમચંચા નગરીમાં ઈન્દ્રાશનિ વિદ્યાધરની આસુર દેવીનો પુત્ર અશનિષ થયો. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy