SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ર | [ કર૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ નં : સુતારા કે જે (પૂર્વભવની) સત્યભામાં હતી તેને કપિલના ભાવના નેહ વડે બંધાયેલો અને તેને અનુસરતો અશનિશેષ હરી ગયો.” આ પ્રમાણે કેવલીએ કહ્યું, એટલે પિતાના પૂર્વભવો સાંભળીને અમિતતેજ, શ્રીવિજય, અશનિઘોષ અને સુતારા વિસ્મય પામ્યાં. અમિતતેજ પણ કેવલીને વંદન કરીને ફરી વાર પૂછવા લાગ્યું, “ભગવન! હું ભવ્ય છું કે અભવ્ય?” ભગવાને કહ્યું, “તું ભવિક છે. આજથી નવમા ભાવમાં આ જ ભારતવર્ષમાં તું પાંચમે ચક્રવતી અને સળગે તીર્થંકર થઈશ. શ્રી વિજય પણ તારે પ્રથમ ગણધર થશે.” આ સાંભળીને અમિતતેજ અને શ્રીવિજય એ બને જણાએ ગૃહવાસને યેગ્ય શીલવતને સ્વીકાર કર્યો. અશનિષ વગેરે ઘણા રાજાઓએ, રાજ્યધુરાના કાર્યને ત્યાગ કરીને, દીક્ષા લીધી. સ્વયંપ્રભા વગેરે દેવીઓએ ત્યાં જ દીક્ષા લીધી. પછી કેવલીને નમીને સવે પોતાનાં નગરમાં ગયા, અને જિનપૂજા, દાન અને પૌષધમાં રત, દયાવાન, સત્યભાષી, સ્વદારસંતોષી તથા બીજાને આપીને પછી ભેજન કરનારા તેઓ પિતાનાં રાજ્યમાં વિષયસુખ અનુભવતા વિહરવા લાગ્યા. એક વાર જિનભવનની સમીપે પૌષધશાળામાં જેણે પિષધ સ્વીકાર્યો છે એ અમિતતેજ વિદ્યાધરને ધર્મ કહેતે હતો. તે સમયે સંયમ, તપ અને વિનયથી યુક્ત તથા જિનવરની ભકિનથી મુદિત મનવાળા બે ચારણ મુનિઓ રજતગિરિ-વૈતાઢ્યના શિખર જેવા રાજાના ભવનમાં ભકિતવેગથી ઊતર્યા. તેમને જોઈને રાજા સામે આવ્યું, અને પરમ સંતુષ્ટ થયેલા તેણે તેમને અભિવંદન કર્યું. તે ચારણથમણે પણ ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક જિનવરને વંદન કર્યા પછી અમિતતેજ રાજાને આ વચન કહેવા લાગ્યા કે, દેવાનુપ્રિય ! અતિ દુર્લભ એવું મનુષ્યપણું પામીને જન્મ, જરા અને મરણના પ્રવાહને પાર ઊતરવાના સાધનરૂપ જિનવચનમાં ક્ષણવાર પણ પ્રમાદ કરશો નહીં.” આ પ્રમાણે ઉપદેશ કરીને, તપના ગુણની રિદ્ધિ દેખાડતા તથા પ્રસન્ન મનવાળા ચારણશ્રમણે જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. વિષયસુખ અનુભવતા તથા તીર્થનો મહિમા કરતા તે શ્રી વિજય અને અમિતતેજ આ પ્રમાણે હર્ષપૂર્વક સમય વીતાવતા હતા. કોઈ એક વાર પિતાના પરિવાર સાથે રહેલે અમિતતેજ પોતાના ભવનમાં સિંહા સન ઉપર બેઠો હતો. એ દેશકાળમાં જેમણે માસક્ષપણ કરેલું છે એવા કેઈ તપિલબ્ધિસંપન્ન સાધુ ભિક્ષાને માટે ત્યાં આવ્યા. વિનય-ભક્તિયુક્ત અમિતતેજે તેમની સામે જઈને, તથા પરિવાર સહિત તેમને વંદન કરીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, યથેસિત વિપુલ ભાત પાણી તેમને વહેરાવ્યું. ત્યાં સુગંધી ગંદકની વૃષ્ટિ થઈ, પાંચ વર્ણનાં પુપ પડ્યાં, વસુધારા થઈ, દેવતાઓએ દુંદુભિ વગાડ્યાં અને વસ્ત્રોની વૃષ્ટિ કરીઆકાશમાં “અહે! દાન!” એવી ઘોષણા થઈ. પછી સાધુ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy