SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ ઃ મૂલ્ય નકકી કરો.” પ્રદ્યુમ્ન જવાબ આપે, “સવાર જ ઘડાનું મૂલ્ય નક્કી કરી શકે, માટે તમે પરીક્ષા કરો.” પછી તે કુમારો અનુક્રમે સવાર થયા અને અશ્વ પણ તેમની ઈચ્છા મુજબ તેમને વહન કરતે હતો. પછી ભાનુ સવાર થયો. એટલે પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિને કહ્યું, “ભગવતિ! એને વિનાશ ન થાય તેમ કરજે.” ઘોડાએ એકદમ કુદતાંની સાથે જ ભાનુને એવી ઘાંટીમાં ફેંકી દીધો કે પરિજને તેને માટે ખૂબ ચિંતાતુર થઈ ગયાં. મૂચ્છ વળતાં ભાનુએ એ ઘેડો લેવાનો વિચાર સરખો પણ મૂકી દીધો. પછી પ્રદ્યુમ્ન દ્વારવતીમાં આવ્યું અને એક મેંઢાને લઈને વસુદેવના ઘરમાં પ્રવેશ્યા. તેણે પ્રણામ કર્યા એટલે વસુદેવે પૂછયું, “છોકરા ! કેમ આવ્યો છે? ” પ્રધુને ઉત્તર આપ્યા, “ દેવ ! તમે મેંઢાઓનાં લક્ષણ જાણે છે. આ મેંઢા જે ઉત્તમ લક્ષણવાળો હોય તે મારે તે ખરીદી લે છે.” વસુદેવે મેંઢાને ધ્યાનપૂર્વક જે અને કહ્યું, છોકરા ! ઘેટે લક્ષણવાળો છે.” પછી વસુદેવે “ આના બળની તે પરીક્ષા કરૂં” એમ વિચારીને મેંઢાને આંગળીથી પોતાના તરફ બોલાવ્યો એટલે મેંઢાએ, પ્રદ્યુમ્નની સંમતિથી, વસુદેવને આસન ઉપરથી પાડી નાખ્યા અને તેમને ઘુંટણ ઉતારી નાખે. પ્રદ્યુમ્ન વસુદેવને કહ્યું, “દેવ! કંઈ નવું વિજ્ઞાન જાણવા જેવું હોય તો કહે.” આ સાંભળી વસુદેવ હસીને ઘરમાં ચાલ્યા ગયા. આ પછી જેને માળીએ પુષ્પને શેખર આપ્યો હતો તથા ખંધાપણું દૂર થયું હતું એવી કુન્જાએ જેને વિલેપન કર્યું હતું એવો પ્રશ્ન સત્યભામાના ઘર પાસે આવ્યા. ભિક્ષા માગતા તેને જોઈને દાસીઓએ સત્યભામાને જણાવ્યું કે, “ દેવિ ! રૂપાળે અને અને તેજના રાશિ જે કઈ બ્રાહ્મણપુત્ર ભેજન માગે છે. ” સત્યભામાએ કહ્યું, “ અતિ પ્રેમપૂર્વક તે ભલે જમે.” પ્રદ્યુમ્ન દેવીને ધન્યવાદ આપીને કહ્યું, “ખૂબ ભૂખ્યા થયેલા એવા મને ધરાતાં સુધી ભેજન આપવામાં આવે તો જ હું જમીશ ” સત્યભામાએ કહ્યું, “તારી ઈચ્છા હોય તેટલું જ મ.” પછી પ્રદ્યુમ્ન આસન ઉપર બેઠે. કનકનાં પાત્ર આપવામાં આવ્યાં. વારંવાર તેને અન્ન આપવામાં આવ્યું, તે ખાઈને પછી કહેવા લાગે, “દેવિ ! આ દાસીઓ પોતે જ બધું ખાઈ જાય છે અને મને આપતી નથી.” સત્યભામાએ દાસીઓને કહ્યું, “એને જોઈએ તેટલું આપો.” દાસીઓએ કહ્યું, “સ્વામિનિ ! બ્રાહ્મણના રૂપમાં આ વડવાનલ છે, અને તે તમારું આખું ભવન પણ ખાઈ જશે એમ અમને લાગે છે.” એટલામાં દેવી સત્યભામાએ સાંભળ્યું કે, “ કન્યાને લઈને આવતા સૈન્યને ભીલોએ લૂંટી લીધું છે.” ત્યાં પ્રધુને તેને કહ્યું. “દેવિ! જે મને ધરાઈને ભેજન ન આપવું હોય તે રૂકિમણી( રૂપબાઈ)ના ભવનમાં જાઉં છું. ” સત્યભામાં બોલી કે, “અત્યારે હું બીજા કામમાં રોકાયેલી છું, માટે રૂપબાઈના કે સોનબાઈના ગમે તેના ભવનમાં જા.” ૧. મૂળમાં હiળયાઇ વા સuિsiાઈ વા એવા શબ્દો છે. વળિયા ઉપર લેષ છે, તેને “ યુકિમણી ' તેમજ “રૂપાની બનાવેલી” એવા બે અર્થ થાય છે. આથી ચીટાયેલી સત્યભામાં “રૂપાની કે સેનાની ગમે તેને ઘેર જાએમ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy