SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૧૫ ]. પુરુષોએ તેને તિરસ્કાર કરીને કહ્યું, “અરે બટુક! બાજુએ ખસ, ઝાઝે બકવાદ ન કર.” એટલે પ્રદ્યુમ્ન ભીલો વિદુર્યો. તેમના ભયથી સૈન્ય દશે દિશામાં નાસી ગયું. પ્રદ્યુમ્ન નારદને કહ્યું, “તમે મારી માતા પાસે જઈને તેને મળે. ત્યાં સુધીમાં હું પરિજનને અને ભાનુના સહાયક કુમારને મળું.” “ભલે” એમ કહીને નારદ ગયા. પછી પ્રદ્યને એક વાંદરા વિકુવને દ્વારવતીની બહાર એક ઉદ્યાનના રખેવાળાને તે બતાવ્યો અને કહ્યું, “આ વાંદરાને ખૂબ ભૂખ લાગી છે, માટે તેને અહીં ફળ-ફૂલ ખાવા દે.” તેઓએ ના પાડી અને કહ્યું, “અહીં તો વિવાહ થવાનો છે, માટે અહીં વિસામો લેવા બેસશો નહીં.” એટલે પ્રદ્યુમ્ન રખેવાળોને સેનાનો ટુકડો આપે. પછી રખેવાળાએ વાંદરાને ખાવાની રજા આપતાં ક્ષણવારમાં તે આખી વાડીનાં બધાં જ ફળફૂલ ખાઈ ગયો. આ જોઈ રખેવાળોએ વિચાર કર્યો કે, “ આણે તો ઘડીક વારમાં આપણે વિનાશ કરી નાખ્યો !” ત્યાં તે પ્રદ્યુમ્ન બોલ્યો કે, “આ વાંદરાને હજી તૃપ્તિ થઈ નથી, માટે શું કહો છો ?” એટલે ઉદાસ થઈને પેલાઓ કહેવા લાગ્યા કે, “દેવ ! આ વાંદરાની તે એવી શક્તિ દેખાય છે કે આખી દ્વારવતી ખાવા મળે તે પણ તે તૃપ્ત નહીં થાય. અમારે માટે તો રાજકુલમાંથી વાંદરાના રૂપે વિનાશ જ આવ્યો છે. તમારું સોનું અમારે નથી જોઈતું, અમે તો નાસી જઈએ છીએ.” રખેવાળોને આ પ્રમાણે ભયભીત થયેલા જોઈને પ્રદ્યુમને કહ્યું, “તમે ધીરજ રાખે; પહેલાં હતું તેવું ઉદ્યાન થઈ જશે.” એમ બોલતાંમાં ઉદ્યાન અગાઉના જેવું થઈ ગયું. પછી થોડે આગળ પ્રદ્યુમ્ન ઘડો બનાવીને એક ખેતરના રખેવાળોને બતાવ્યો અને કહ્યું કે, “આ ઘોડો ભૂખ્યો છે, એને થોડું ચરવા દો.” પરંતુ વિવાહ હોવાને લીધે રખેવાળાએ ઘોડાને ચરવા દીધો નહીં, એટલે તેમને પણ પ્રદ્યુમ્ન એ જ રીતે સોનું આપીને ભાવ્યા. થોડીક વારમાં તો ઘોડાએ આખાયે ખેતરને એક પણ તૃણ વગરનું બનાવી દીધું. રખેવાળો નમી પડ્યા એટલે પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી ખેતરને પહેલાંના જેવું બનાવી દીધું. પછી પ્રદ્યુમ્ન ઘડાને લઈને વાવ આગળ ગયો અને બોલ્યા “ઘડાને પાછું પીવા દે.” પણ વાવના રક્ષકોએ પીવા દેવાની ના પાડતાં સુવર્ણના લોભી એવા તેમને સુવર્ણ આપીને હા પડાવી. પછી થોડી જ વારમાં ઘોડાએ વાવ સૂકી બનાવી દીધી. આથી રક્ષકે ખબ હીન્યા, પણ પ્રદ્યુમ્ન વાવને પાછી પહેલાં જેવી બનાવી દીધી. - થોડી વાર પછી ભાનુકુમાર ઘણા મિત્રોની સાથે દ્વારવતીની બહાર ક્રીડા કરવાને માટે આવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ આ સમાચાર આપતાં પ્રદ્યુમ્ન તેને જોયે. પરિજન સહિત ભાનુએ ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા, ક્ષીણ રૂપવાળા અને આધેડ વયવાળા પ્રદ્યુમ્નને જે. કુમારેએ તેને પૂછ્યું “આર્ય! આ ઘેડે વેચવાનો છે? વેચવાનો હોય તે ૧ ભાનુને છેતરવા માટે પ્રકૃપ્તિ વિદ્યાની સહાયથી પ્રધુને આવું રૂપ ધારણ કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy