SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૨૫ ] જોઈ, એટલે પ્રદ્યુમ્ન માતાને પગે પડીને બે, “માતા! મામાએ વૈદભી ચાંડાલેને આપી છે.” રુકિમણીએ પૂછયું, “કેવી રીતે ?” એટલે તેણે બધે વૃત્તાન્ત કહ્યો. કૃષ્ણને પણ આ સમાચાર આપવામાં આવ્યા. રુકિમણું પ્રસન્ન થઈ. પ્રિય પુત્ર તરીકે પ્રદ્યુમ્ન તેને માનીતે થયો અને વહુને પણ તેણે સત્કાર કર્યો. મુહિરણ્યાનું નૃત્ય - હવે, સાંબ મિત્રોની સાથે કલાઓ ભણવા લાગ્યો. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યું અને બીજા કૃષ્ણ જે થયે. કુમારે પહેરેલે તેને પુષ્પશેખર બુદ્ધિસેન તેની પાસેથી માગીને ક્યાંક લઈ જતા હતા. એ જ પ્રમાણે તેણે બદલેલાં વસ્ત્રો તથા તેને ખાતાં વધેલાં લાડુ “એકાન્તમાં ખાઈશ” એમ કહીને તે લઈ જતો. . એક વાર કંચુકી આવ્યા, અને રથ પકડીને સાંબને વિનંતી કરી, “કુમાર! દેવે આજ્ઞા કરી છે કે-રત્નકરંડક ઉદ્યાનમાં સુરહિરણ્યા અને હિરણ્યા નામે ગણિકાપુત્રીઓ નૃત્ય બતાવશે, માટે તમારે પ્રેક્ષકોની સાથે ત્યાં આવવું.” પ્રસન્ન થયેલે સાંબ મિત્ર સહિત રથ ઉપર બેઠે અને સુધારક તેને સારથિ છે. માર્ગમાં રથનાં પિડાને સમારવા માટે રથ ઊભે રાખવો પડ્યો. ત્યાં એક રૂપાળી કન્યા આવી અને તેણે સાંબકુમારને પ્રણામ કર્યા. બુદ્ધિસેને કુમારને ધીરેથી કહ્યું, “આર્યપુત્ર ! તમારા મુકુટનાં છેગાં લટકે છે, તે બે હાથથી ઊંચાં કરે.” સાંબે એમ કર્યું. તે જ વખતે રથના ઘોડાઓએ હણહણાટ કર્યો, સાંબે શુભ શુકનરૂપ હોવાથી તે શબ્દને ઈચ્છો. પછી તેણે બુદ્ધિસેનને પૂછયું, “આ પ્રમાણે સ્પષ્ટ ચેષ્ટા કરનારી આ કેણ હશે?બુદ્ધિસેને ઉત્તર આપે, “કોઈ કુલકન્યા હશે.” પછી બધા ઉદ્યાનમાં ગયા. પ્રેક્ષકો સભામાં બેઠા. ત્યાં નાયિકાગલકર વડે બધી નૃત્યવિધિ બતાવવાની હતી. હિરણ્યાએ તે બતાવી. ઉદક-પરિક્ષય પૂરો થતાં સહિરણ્યા પિતાનું નૃત્ય બતાવવા લાગી. બુદ્ધિસેન સાંબની સામે ઊભે રહ્યો, તેને જયસેને કહ્યું, એક બાજુએ ઊભે રહે. ” બુદ્ધિસેને કહ્યું, “આ પ્રેક્ષકો મને ધક્કા મારે છે. ” પછી નૃત્યના બત્રીસ નાટ્યભેદે વિધિપૂર્વક સહિરણ્યાએ બતાવ્યા. નાલિકામાં વધેલા પાણીથી ઉપાધ્યાય નાટ્યાચાર્યું તેને સ્નાન કરાવ્યું. એ વખતે બુદ્ધિસેન સાંબની આગળથી ખસી ગયે. જેનો અભિષેક થઈ રહ્યો હોય એવી લક્ષમી જેવી સુહિરણ્યાને કુમારે જોઈ તેણે ૧. આ બધી વસ્તુઓ બુદ્ધિસેન છાની રીતે સુહિરણ્યા માટે લઈ જતો હતો. ૨. આ કોઇ પ્રકારની નૃત્યવિધિ હેવી જોઈએ. અમુક પ્રકારની નળીમાંથી પાણી ગળતું જાય અને તે ગળી રહે ત્યારે નૃત્ય પણ પૂરું થાય એવું કંઈક હશે, એમ અનુમાન થાય છે. ૩, નલિકામાંથી પાણી ગળી રહ્યું તે સમયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy