SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પણ રતિ કામદેવને જુએ તેમ આદરપૂર્વક સાંબને જે. પછી મિત્ર સાથે સાંબ રથમાં બેસીને પાછા નગર તરફ ઊપડ્યો. પુરુષના ભેદ માર્ગમાં સેને સાંબને કહ્યું, “આર્યપુત્ર! બુદ્ધિસેન બિચારો નિર્માલ્ય અને બોલવામાં જ બળ બતાવનાર છે. જે પ્રેક્ષકેની) ભીંસ સહન ન કરી શકે તે કાપુરુષ છે. ” બુદ્ધિસેને કહ્યું, “આંધળો જેમ રૂપના ભેદ ન જાણે તેમ તું પુરુષના ભેદ પણ જાણતો નથી.” જયસેને કહ્યું, “તું હોંશિયારી બતાવે છે, એટલે જાણતો હોઈશ. કહે, કેટલા પ્રકારના પુરુષ હોય છે? એટલે તારું જ્ઞાન જાહેર થશે.” બુદ્ધિસેન બોલ્યો, “અર્થ, ધર્મ અને કામની દષ્ટિએ પુરુષોના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા વિભાગ થઈ શકે. તેમાં અર્થના વિષયમાં, જે પિતા અને પિતામહે ઉપાર્જન કરેલું ધન ભેગવતાં છતાં વધારે છે તે ઉત્તમ, જે એ ધન ક્ષીણ થવા દેતા નથી તે મધ્યમ, અને જે ઊડાવી દે છે તે અધમ ધર્મના વિષયમાં બે પ્રકારના પુરુષ હોય છે-ઉત્તમ અને મધ્યમ. તેમાં સ્વયંબુદ્ધ (બીજાના ઉપદેશ સિવાય જેને તત્વજ્ઞાન થાય) તે ઉત્તમ અને બુદ્ધબોધિત (આચાર્યવડે બંધ પમાડાયેલ ) તે મધ્યમ. કામના વિષયમાં પુરુષોના ત્રણ ભેદ હોય છે. જે પોતે બીજાને ઈરછે અને બીજાવડે ઈચ્છાય તે ઉત્તમ; જે બીજાવડે ઈચ્છાય પણ પિતે તેને ન ઈચ્છે તે મધ્યમ, અને જે પિતે બીજાને છે પણ બીજા તેને ન ઈ છે તે અધમ.” જયસેને પૂછયું, “એમાંથી આર્યપુત્ર ક્યા પ્રકારના પુરુષ છે?” બુદ્ધિસેને ઉત્તર આપે, “અર્થ અને ધર્મની બાબતમાં કહી શકાતું નથી, પણ કામની બાબતમાં તો મધ્યમ છે (અર્થાત્ કન્યા તેને ઈચ્છે છે, પણ તે કન્યાને ઈરછત નથી).” જયસેને પૂછ્યું, “તું ક્યા પ્રકારનો છે?” તેણે ઉત્તર આપ્યો, “હું ઉત્તમ છું.” એટલે જયસેન કદ્ધ થઈને બોલ્યા, “અરે પંડિતમન્ય! તું આત્મપૂજક છે. સ્વામીને તું મધ્યમ કહે છે અને પોતાની જાતને “ઉત્તમ” તરીકે ઓળખાવે છે), માટે તેને શિક્ષા કરવી જોઈએ.” બુદ્ધિસેને કહ્યું, “તું અજ્ઞાન છે, જેની ઈચ્છા કરવામાં આવે છતાં જે ઈ છે નહીં તે પુરુષ મધ્યમ જ છે.” અજિતસેને પૂછયું, “વારુ, એમની કણ કામના કરે છે?” બુદ્ધિસેને ઉત્તર આયે, “નહીં કહું, જે તે પિતે મને પૂછશે તો જ કહીશ.” કુમારે તેને કહ્યું, “કહે.” એટલે તે કહેવા લાગે – બુદ્ધિસેનનું આત્મકથન-ભેગમાલિનીને સમાગમ હું એક વાર આપની સેવા કરીને ઘેર જતો હતો ત્યાં માર્ગમાં ચોપડે હાથમાં લઈને ઊભેલા પુરુષે મેં જોયા. તેઓ વાત કરતા હતા કે, “દ્વારવતીમાં જે પંડિત અને ૧. મળમાં પત્તસ્રવાસળ શબ્દ છે. તેને આ અર્થ સંદર્ભ ઉપરથી કપેલો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy