SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૨૭ ] મૂર્તો હોય તેમનાં નામ લખીને મને આપે, એવો હકમ દેવે આપણને આપ્યો છે. માટે આ બુદ્ધિસેન પણ જે આ રથ ઉપર બેસે તો તેનું નામ પંડિતેની યાદીમાં લખીએ, અને ન બેસે તો મૂની યાદીમાં લખીએ.” મેં વિચાર કર્યો કે, “દેવની પાસે વંચાવવાના આ લેખમાં મારું નામ મૂર્ખાઓના અગ્રભાગમાં લખાય તે મારી નિન્દા થશે, માટે આ રથ ઉપર બેસવામાં શો દેષ છે?” આમ વિચાર કરતો હતો ત્યાં રથના સારથિએ મને કહ્યું, “ આર્યપુત્ર! રથ ઉપર બેસો.” એટલે નયનને મનોહર લાગે તેવાં રૂપો જેતે હું રથમાં બેઠો. સામેથી મત્ત હાથી ઉપર બેઠેલા માવતે કહ્યું, “ આર્ય ! આઘા ખસે; મારો હાથી વશમાં નથી.” એ વચન સાંભળીને સારથિએ રથને પાછો વાળે, અને ગણિકાઓના વાસમાં થઈને ચલાવ્યું. ત્યાં તરુણોનાં ઈષ્યો, પ્રણયક૫ અને અનુનયનાં વચન સાંભળો હું તરણયુક્ત તથા બલિકર્મ જ્યાં કરવામાં આવ્યું હતું એવા એક ભવન આગળ પહોંચ્યો. ત્યાં સારથિએ મને કહ્યું, “ઉતરે, અને ભવનમાં જાઓ.” હું અંદર ગયે, તો વિદ્યાઓથી વીંટાયેલી સરસ્વતી હોય તેવી, દાસીઓથી વીંટળાયેલી એક કન્યાને મેં જોઈ. તેણે પ્રણામ કરીને મને કહ્યું, “બુદ્ધિસેન ! તમારું સ્વાગત છે.” હું પગ પેઈને આસન ઉપર બેઠે, એટલે તેણે મને પૂછયું કે, “કયાંથી આવે છે ?” મેં ઉત્તર આપ્યો કે, “સાંગકુમાર પાસેથી.” એટલે તેણે તે તરફ મુખ કરીને હાથ જેડ્યા. પછી મને પૂછ્યું, “બુદ્ધિસેન ! ક્યા પ્રકારના વિદથી તમે દિવસો ગાળે છે?” મેં કહ્યું, “કલાઓના અભ્યાસથી.” એની પાસે દાસીઓ ઊભેલી હતી, પણ કોઈને જોઈને મારી દષ્ટિ પ્રસન્ન થતી નહતી. એટલામાં બીજી એક દાસી આવી. તે સુરૂપ હોઈ તેના ઉપર મારી નજર ઠરી. એટલે પેલી કન્યાએ મને કહ્યું, “બુદ્ધિસેન ! અત્યારે વડિલે પાસે જવાની જરૂર નથી; અહીં જ આરામ લો. આ ભેગમાલિની તમારું ચિન્તન કરે છે.” પછી તે કન્યા ત્યાંથી ગઈ, એટલે ભેગમાલિનીએ મને કહ્યું, “આર્યપુત્ર! રથમાં બેસવાથી તમે થાકી ગયા છો, ગર્ભગૃહમાં શમ્યા છે, ત્યાં વીસામો લે.” મેં ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને ત્યાં સૂઈ ગયે, એટલે ભેગમાલિની મારા પગ ચાંપીને કહેવા લાગી, “આર્યપુત્ર ! હવે તમારું વક્ષ:સ્થળ દબાવું?” વિચાર્યું કે, “આ ચતુર દાસી છે, કે જે મારા પગ દબાવીને મારી છાતીનો સ્પર્શ કરવા ઈચ્છે છે. ” પછી તેણે કહ્યું, “સ્તન વડે તમારી છાતી દબાવું.” એમ કહીને તે સ્તનવડે મને દબાવવા માંડી. “ હાથવડે કરવામાં આવતી ચંપી કરતાં સ્તનના સ્પર્શમાં ઘણી વિશેષતા છે—” એવા એવા ઉપાયો વડે, હાથણી જેમ વનહસ્તીને રતિપ્રસક્ત કરે તેમ, તેણે મને પ્રેમાસક્ત કર્યો. પછી હું ત્યાંથી નીકળે, પણ પ્રણયના બંધનને કારણે વારંવાર ત્યાં જાઉં છું. મનને અનુકૂળ અને મધુર ભાષણ કરનારી ભેગમાલિનીએ એક વાર મને કહ્યું, “આર્યપુત્ર ! તમને અહીં લાવવાનું કારણ જાણે છે?” મેં કહ્યું, “સુન્દરિ! હું જાણતો નથી, માટે કહે.” તેણે કહ્યું, “સાંભળો– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy