SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : nnnnnnnnnnnn સુહિરણ્યાને પરિચય અમારી સ્વામિની સુહિરણ્યા જ્યારે બાલ્યાવસ્થામાં હતી તે વખતે જ સાંખકુમારને તેનું વાગ્દાન કરવામાં આવ્યું હતું. દેવ(કૃષ્ણ)ની પાસે તે ઘણીવાર જતી હતી. એમ કરતાં તે મોટી થઈ ત્યારે કૃણે આજ્ઞા કરી કે, “કાલિંદસેના ! એ કન્યાને હવે મારા અત્યંતરોપસ્થાન–ગર્ભગૃહમાં લાવજે.” પછી એક વાર પોતાની માતા જતી હતી તેની સાથે સુહિરણ્યા ત્યાં જવાને માટે નીકળી, પણ માતાએ “તારે જવાનું નથી ” એમ કહીને તેને વારી. આથી જ્યારે માતા ગઈ ત્યારે સહિરણ્યાએ પિતાને ગળે ફાંસો ખાધો. દેવગે મેં તેને જોઈ અને બચાવી લીધી અને દોરડાને ફસો દૂર કરી, પલંગમાં સુવાડીને તેને આશ્વાસન આપ્યું. તેણે પૂછયું, “ભેગમાલિનિ ! હું કયાં છું?” મેં કહ્યું, “શયનમાં અને સ્વજનોના હૃદયમાં.” ફરી તેણે પૂછયું, “મને અહીં કેણ લાગ્યું ?” મેં ઉત્તર આપ્યો, “દેવતાઓ અને હું.” પછી મેં તેને પૂછયું, “સ્વામિનિ ! મરવાની બુદ્ધિ કયાંથી સૂઝી? એ મને કહે.તેણે કહ્યું, “સાંભળ, સખિ ! હું જ્યારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે કુમારને મારું વાગ્દાન કરવામાં આવ્યું હતું. મોટી થઈ ત્યારપછી કેટલીક વાર દેવના સભાસ્થાનમાં ગઈ હતી ત્યારે મેં કુમારને જોયા હતા, પરંતુ હવે તો તેમનું દર્શન પણ મને મળી શકતું નથી, માટે આત્મઘાતનો નિશ્ચય મેં કર્યો હતે.” કહ્યું, “સ્વામિનિ ! વિષાદ ન કરો. સાંભળે. તમારા કરતાં વિશિષ્ટ રૂપવાળી બીજી કયી કન્યા છે, જે કુમારના હૃદયમાં વસે ? ટૂંક સમયમાં જ તમારા હૃદયના ઈચ્છેલા મનોરથની પ્રાપ્તિ તમને થશે.” આ પ્રમાણે મેં તેને આશ્વાસન આપીને પછી તેની માતાને બધી વાત કરી. એટલે તેણે માવત તથા લેખકે, જે તેના મિત્ર હતા તેમની સાથે મંત્રણા કરી. તેમણે કહ્યું, “અમે દેવથી ડરીએ છીએ. બુદ્ધિસેન કુમારનો વિશ્વાસપાત્ર છે, માટે કુમારને કન્યાના ગુણે તે નિવેદન કરે એ શેભે. અમે બુદ્ધિસેનને આવા ઉપાયથી અહીં લાવીશું તમે આ પ્રકારના ઉપાયથી તેને વશ કરજે, એટલે તે કાર્ય કરશે. ” પછી રથિક, માવત અને લેખકોએ યુક્તિપૂર્વક તમારે અહીં પ્રવેશ કરાવ્યું. આ તે ગણિકાપુત્રી છે” એવા પ્રકારની મનોવૃત્તિ તમે ન રાખશે. કારણ સાંભળગણિકાઓની ઉત્પત્તિ પૂર્વકાળમાં ભરત નામે મંડલપતિ રાજા હતો; તે એક જ સ્ત્રીમાં અનુરક્ત હતા. સામંતએ તેને માટે કન્યાઓ મોકલી, પણ તે બધી તેમણે એકી સાથે મોકલી હતી. રાજાની સાથે પ્રાસાદમાં બેઠેલી દેવીએ તે સર્વેને જોઈ, અને તેણે રાજાને પૂછયું, “આ કોનું સૈન્ય છે?” રાજાએ ઉત્તર આપે, “ આ તો મારા સામંતોએ કુમારિકાએ મોકલી છે.” રાણીએ વિચાર કર્યો કે, “આપત્તિ આવ્યા પહેલાં જ તેને ઉપાય કરું, કેમ કે આટલી બધી કન્યાઓમાંથી એક અથવા વધુ કન્યાઓ કદાચ રાજાની માનીતી થાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy