SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - પીઠિકા [ ૧૨૯ ] આમ વિચાર કરીને રાણી બોલી, “આ પ્રાસાદ ઉપરથી હું ભૂસ્કે મારું છું.” રાજાએ પૂછયું, “દેવિ! એમ કેમ બેલે છે?” રાણીએ કહ્યું, “આ બધી કન્યાઓ અહીં આવી છે, તેમને જોઈને શેકથી દાઝતી હું દુખપૂર્વક મરણ પામીશ.” રાજાએ કહ્યું, જો તારે આવો જ નિશ્ચય છે તે કન્યાઓ ભવનમાં પ્રવેશ નહીં કરે.” રાણીએ કહ્યું, “જે એ વસ્તુ સત્ય હોય તે બાહ્યોપસ્થાન–બહારના સભાસ્થાનમાં તેઓ તમારી સેવા કરે.” રાજાએ “ભલે” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. પછી છત્ર-ચામરપારીઓની સાથે એ કન્યાએ રાજાની સેવા કરવા લાગી. અનુક્રમે તે કન્યાઓ ગણોને આપવામાં આવી. આવી રીતે ગણિકાઓની ઉત્પત્તિ થયેલી છે. અમિતયશા નામે ગણિકાને ઘણું બાળક થયા પછી કાલિંદસેના નામે પુત્રી થઈ હતી. તે કાલિંદસેનાની હેમાંગદ રાજાથી થયેલી પુત્રી આ સુહિરણ્યા છે. એની પ્રણયચિન્તા કુમાર જાણે તેમ તમે કરો.” મેં ભેગમાલિનીનું આ વચન સ્વીકાર્યું. અહિરણ્યાને પ્રતીતિ કરાવવા માટે તમારાં પુષ્પ, ગંધ, વસ્ત્ર અને તબેલ તેની પાસે હું લઈ જાઉં છું. ઉદ્યાનમાં જેને તમે જોઈ હતી તે સહિરણ્યા જ હતી. તે નૃત્ય કરતી ત્યારે હું આર્યપુત્રની સામે ઊભે રહ્યો હતો તેનું કારણ સાંભળે. સ્વામિનીની નજર જે આર્યપુત્ર ઉપર ચૂંટી જાય તો તે વિધિપૂર્વક નૃત્ય કરવાનું ચૂકી જાત; આથી હું તમારી સામે ઊભે રહ્યો હતે.” આ પ્રમાણે વાતચીત કરતા બધા આવાસમાં પહોંચ્યા. રાત્રે સાબે બુદ્ધિસેનને કહ્યું, “જા, તે સુહિરણ્યાને અહીં લાવ. હું પણ તેની કામના કરીશ અને “ઉત્તમ” પુરુષ થઈશ.” બુદ્ધિસેને કહ્યું, “કદાચ તે સ્ત્રીઓ માટે વિશ્વાસ નહીં કરે, માટે મને જયસેનની સહાય આપ.” પછી બુદ્ધિસેન અને જયસેન બને ગયા. બુદ્ધિસેને દાસીઓને કહ્યું, “મને કુમારે મોકલ્યા છે; સ્વામિનીએ તેમની પાસે આવવાનું છે.” દાસીઓએ કહ્યું, “તમારે કોણ વિશ્વાસ કરે ?” એટલે તેણે જયસેનને બતાવ્યું. જયસેને પણ કુમારની આજ્ઞા કહી. પછી આ સમાચાર કાલિંદસેનાને આપવામાં આવ્યા. કાલિંદસેનાએ કહ્યું, “થોડીવાર બેસો, ત્યાં સુધી કન્યાને શણગાર પહેરાવી લઉં.” એમ કહીને કાલિંદસેના જાંબવતી પાસે ગઈ અને બધી હકીક્ત તેને જણાવી. જાંબવતી વિચાર કરીને કૃષ્ણ પાસે ગઈ અને સાંબની ઈચ્છા તેમને જણાવી. કૃણે કહ્યું, “પછીથી રાજકન્યાઓ સાથે તેનાં લગ્ન કરીશું, અત્યારે સુહિરણ્યાને ભલે સે.” પછી જાંબવતીએ કાલિંદસેનાને રજા આપી. આ પ્રમાણે રજા મળતાં તેણે પોતાની પુત્રીને વાહનમાં બેસાડીને મેકલી. બુદ્ધિસેને કુમારને ખબર આપી અને કહ્યું, “આર્યપુત્ર! ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy