SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૦ ] વસુદેવ–હિ'ડી : : પ્રથમ ખંડ : કરી છે તથા જે આકાશગમનમાં કુશળ છે એવા તેના પુત્ર અમિતગતિ નામે છે. એ અમિતગતિ હું છું એમ તમે જાણેા. (6 સ્વચ્છ દે ફરવાની ઇચ્છાવાળે! હું એક વાર ધૂમસિંહ અને ગૌરીપુડ નામે મિત્રાની સાથે વૈતાઢ્યની તળેટીમાં આવેલા સુમુખ નામે આશ્રમપદમાં ગયા. ત્યાં મારી માતાના માટા ભાઇ ક્ષત્રિય ઋષિ હિરણ્યલેામ નામે તાપસ હતા; તેમને મેં વંદન કર્યું. તેમણે કહ્યું, પુત્ર અમિતગતિ ! તારું સ્વાગત હા! ” આમ ખેલતા તેઓ સ્વભાવથી જ સ્નિગ્ધ ગાત્રાવાળી અને યુવાવસ્થામાં રહેલી એક કન્યાને મારી પાસે લાવ્યા. પછી તે ખેલ્યા, “ અમિતગતિ ! આ છે।કરી મારી સુકુમારિકા નામે પુત્રી છે. જો તારી ઇચ્છા હાય તે। આ કન્યા હું તને આપું. ” રૂપવતી એવી તે કન્યાને જોઇને, માતાપિતાની અનુજ્ઞાથી, અનુરાગપૂર્વક મેં કહ્યું, “ ડિલનું વચન પ્રમાણુ કરતા હું તેના સ્વીકાર કરું . ” પછી વિધિપૂર્વક મે તેનું પાણિગ્રહણ કર્યું". કુલધથી હું તેની સાથે રમણુ કરતા હતા. તેને હું નગરમાં લાવ્યા અને રાજાએ તેના સત્કાર કર્યાં. પણ તે સ્વચ્છંદચારી ન થાય તે માટે મે તેને વિદ્યાએ ગ્રહ્મણ કરાવી નહીં. કામાતુર ધૂમસિંહ તેને મારી ગેરહાજરીમાં મહેકાવવાના પ્રયાસ કરતા હતા. તેના વિકાર, આકાર અને વચના મારી શ્રી મને કહેતી હતી; પણ તે ઉપર હું વિશ્વાસ કરતા નહાતા. જો કે મારા મનમાં શકા પેદા થઈ ચૂકી હતી. એક વાર સ્નાનાદિ કર્યો પછી મારી પ્રિયા તથા ધૂમસિહુ મારા વાળ ઓળતાં હતાં અને મેં હાથમાં દર્પણ ઝાલી રાખ્યું હતું. પાછળ ઊભા રહેલા ધૂમસહુ હાથ જોડીને મારી સ્ત્રીને પ્રાર્થના કરતેા હતેા. તે મેં દર્પણમાં પડતા પ્રતિબિંબમાં જોયું. એટલે રાષ પામીને તેને મેં કહ્યું, “ તારા મિત્રભાવ અનાર્ય સરખા છે; ચાલ્યા જા, નહીં તે હું તારા વધ કરીશ.” આ પ્રમાણે જેને વિષે શંકા કરવામાં આવી છે એવા તથા ક્રોધે ભરાયેલા તે પણ નીકળ્યે અને પછી મારા જોવામાં આવ્યે નહીં. પ્રિયાની સાથે પ્રમાદ સિવાય ઋતુઋતુનાં સુખ અનુભવતા એવા મારા સમય જતા હતા. આજે હું સ્ત્રી સહિત અહીં આવ્યા અને નદીના પયાધર સમાન આ દર્શનીય પુલિનને જોઇને ત્યાં નીચે ઊતર્યાં. પણ ઊતર્યા પછી એ સ્થાન રતિને માટે અચેગ્ય લાગવાથી મેં તેને ત્યાય કર્યા, ” પછી તે વિદ્યાધરે પ્રણયકેપ અને પ્રસન્નતાના રમણીય પ્રસંગેાથી માંડી લતાગૃહમાંથી બહાર નીકળવાના બનાવ સુધી બધું ગામુખે વર્ણવ્યું હતુ તે પ્રમાણે કહ્યું. ( આ પછી તે આગળ કહેવા લાગ્યા. ) વિદ્યાથી વિરહિત સ્થિતિમાં મારા શત્રુ ધૂમસિંહ મને પકડ્યો અને ખાંધ્યા. વિલાપ કરતી સુકુમારિકાને તે ઉપાડી ગયા. તમે તમારી પેતાની બુદ્ધિથી ઔષધિના બળથી મને જીવાડ્યો છે, માટે હું ચારુસ્વામી! તમે મારા પરમ સ્વજન છે. આજ્ઞા કરા, તમારું હું શું પ્રિય કરું ? મને જલદી વિદાય આપેા. તે ધૂસહુ માયાથી બનાવેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy