SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૮૧ ] મારું કલેવર હાજર કરશે તે જોઈને જીવનથી નિરાશ થયેલી બિચારી સુકુમારિકા કદાચ પ્રાણત્યાગ કરશે, માટે તેની હું રક્ષા કરું અને તે ધૂમસિંહને પ્રતિકાર કરું.” મેં તેને કહ્યું, “જાઓ, પત્નીને જઇને મળે, સુભગ અને શોભન કાર્યોમાં અમને યાદ કરજો.” આ પ્રમાણે મેં રજા આપી, એટલે મને પ્રણામ કરીને તે ઊડ્યો. અમે પણ ત્યાંથી ઊઠ્યા અને ઉપવનની શોભા જોતા પાછા વળ્યા, અને અંગમન્દિર ઉદ્યાનમાં ગયા. ત્યાં જિનમન્દિરમાં પ્રવેશ્યા. દાસો પુષ્પ લાવ્યા; અમે પ્રતિમાઓનું અર્ચન કર્યું અને સ્તુતિપૂર્વક વંદન કર્યું. પછી જિનમંદિરમાંથી બહાર નીકળ્યા અને નગર તરફ ચાલ્યા. રસ્તામાં હરિસિંહે કહ્યું, “અમિતગતિને છોડાવીને તથા તેને જીવિતદાન આપીને ચારુસ્વામીએ ધર્મ કર્યો છે.” ગેમુખે કહ્યું, “ધર્મ ર્યો છે એ વાત સાચી, પરન્તુ એ કાર્ય દ્વારા અધર્મ પણ થશે, કારણ કે વેર રાખતા ધૂમસિંહનો અમિતગતિ નાશ કરશે.” તમંતક બોલ્યો, “પણ ચારુસ્વામીએ મિત્રરૂપી અર્થ પ્રાપ્ત કર્યો છે.” ગેમુખે કહ્યું, “એ સત્ય છે, પણ ધૂમસિંહના પક્ષથી તો એ વસ્તુ અનર્થરૂપ દેખાય છે.” હરિસિંહ બે, “તે પછી તેમણે શું પ્રાપ્ત કર્યું ?” ગોમુખે કહ્યું, “કામના.” તેણે પૂછયું, “કેવી રીતે?” ગોમુખે ઉત્તર આયે, “કામના એટલે ઈચ્છા. ચારુસ્વામીએ અમિતગતિનું જીવિત ઈછયું હતું. તેને જીવાડીને તે ઈચછા તેમણે સફળ કરી છે. ” આવી વાત કરતા અમે ઘેર પહોંચ્યા, થાક ખાઈને અમે ન્હાયા, બલિકર્મ કર્યું તથા જમ્યા. એ રીતે અમારો દિવસ ગયે. એ જ રીતે સુખપૂર્વક તે તુ પણ વીતી ગઈ. ચારુદત્તનાં લગન કોઈ એક વાર મારી માતા પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ હતી. સર્વાર્થને મિત્રવતી નામે રૂપાળી પુત્રી હતી. ભજનનો વખત થયો ત્યારે, રોકવામાં આવી છતાં, મારી માતા “મારે ઘણું કામ છે” એમ કહીને પિતાને ઘેર જવા નીકળી. મારા મામાએ તેને પૂછયું કે, “તું આવી નિનેહ કેમ છે? તારી ભેજાઈ સાથે તારે મેળ ન હોય તો પણ મારા ઉપર કૃપા કરીને તું રહે.” એટલે તેણે કહ્યું, “જે આ છોકરી મને આપે તો આપણે પ્રેમ ચાલુ રહેશે, નહીં તો આજથી આપણી પ્રીતિ તૂટી જશે.” પ્રણામ કરીને મારા મામાએ કહ્યું, “મારી પુત્રી ઉપર તારા સિવાય બીજા કોને અધિકાર છે કે જેથી તું આવું બોલે છે? જે તું મારા ઉપર પ્રસન્ન થતી હોય તે આ કન્યા તને આપું છું.” આમ કહેવામાં આવતાં પ્રસન્ન થયેલી મારી માતા ભેજન કરીને પોતાને ઘેર આવી. પછી તેણે ઘરના મોટેરાઓને ઉત્સવ આદિ કરવાનું કહ્યું. મારા પિતા એ વખતે રાજદરબારમાં ગયા હતા. પ્રિયપૃચ્છક લોકોને ગંધ-પુષ્પ આપવામાં આવ્યાં. મારા પિતા ઘેર આવ્યા ત્યારે તેમને કન્યાપ્રાપ્તિના સમાચારથી અને પ્રશંસાનાં વચનથી વધાવવામાં આવ્યા મારી માતાને તેમણે પૂછતાં તે બેલી, “સર્વાથે મિત્રવતી ચારુદત્તને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy