SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ [ ૧૩૫ ] બાવી. પછી (ખરેખરા) કૃષ્ણ અંતઃપુરમાંથી પાછા જતા હતા, તે જોઈને “ગ્ય છે” એમ વિચારીને સત્યભામાની દાસીઓએ “આ શું કરો છો, આધી ખસો’ એ પ્રમાણે બોલતા તેમને પંચગવ્યથી નવરાવી દીધા. એ પછી મંગલ વસ્તુઓથી તેમને સ્નાન કરાવ્યું. પછી પરિજનો બધાં ચાલ્યાં ગયાં, એટલે કૃષ્ણ સત્યભામાને કહ્યું, “મેં તને સર્વ અંતઃપુરની પૂજ્ય તરીકે સ્થાપના કરી છે, માટે જે લક્ષ્મીને નાશ ઈચ્છતી હોય તે મારી આવી મશ્કરી કરજે.” સત્યભામાએ કહ્યું, “આપ પોતે જ આમ કરવાની આજ્ઞા આપીને પછી મને ઠપકે કેમ આપે છે?” કૃણે કહ્યું, “મેં એવું કહ્યું જ કયારે છે? તું જૂઠું બોલે છે.” એટલે સત્યભામાં બોલી, “તમે કુબજાને બોલાવીને આવી આજ્ઞા આપી હતી. મેં પણ નક્ષત્રમાલા વડે વિભૂષિત વક્ષસ્થળવાળા તમને જોયા હતા. એ નક્ષત્રમાલા અત્યારે તમે કાઢી નાખી છે. આટલી નિશાની હું આપું છું. ” એટલે હસીને કૃષ્ણ બેલ્યા કે, “મેં ગઈ કાલે સાંબને ધમકાવ્યું હતું, માટે નક્કી તેનું જ આ કામ હશે.” આ સાંભળીને ક્રોધ પામેલી સત્યભામાં બોલી, “હું છોકરાઓને માટે રમવાનું રમકડું બની છું; પછી મારે જીવવાથી શું ?” એમ કહીને તે પોતાની જીભ ખેંચવા લાગી. કૃષણે તેને ઘણા પ્રયત્ન વારી અને કહ્યું, “દેવિ ! એ ઉદ્ધત છોકરાને કાલ સજા કરીશ, માટે શાન્ત થા.” સાંબને દેશવટે પછી કૃષ્ણ જાંબવતીને બોલાવીને કહ્યું, “તારા પુત્રે મારું પણ અપમાન કર્યું છે.” જાંબવતીએ કહ્યું, “આપ આપના પુત્રનું ચરિત્ર જાણે છે જ.” કૃષ્ણ બોલ્યા, “તને પણ જણાવીશ.” આ પછી ગોવાળિયાને વેશ ધારણ કરીને જાંબવતીની સાથે કૃષ્ણ સાંબ પાસે ગયા. રૂપાળી જાંબવતીને સાંબે પૂછયું, “છાશ મળશે કે?” જાંબવતીએ ઉત્તર આપ્યો “હા.” એટલે સાંબે “લાવ ત્યારે, લઉં” એમ કહીને જાંબવતીને હાથ પકડ્યો. પણ કૃષ્ણ પોતાનું રૂપ બતાવ્યું, એટલે સાંબ નાસી ગયે અને પાછો કૃષ્ણ પાસે આવ્યું નહીં. બીજે દિવસે કુલવૃદ્ધો પાસે સાંબને બોલાવવામાં આવ્યું. એટલે ખેરની ખીંટીને ફરસીથી છલો તે સભામાં આવ્યું. કૃષ્ણ પૂછયું, “ સાંબ! આ શું?” સાંબે ઉત્તર આપે, “જે ગઈ કાલની વાત કરશે તેના મેંમાં આ ખીંટી ઠોકી બેસાડીશ.” કૃણે કુલવૃદ્ધોને કહ્યું, “આ તમે સાંભળ્યું ? ગઈ કાલે એણે મને પંચગવ્યથી નવરાવ્યા હતે. એ વાત જે હું તમને કહીશ તો એ મારા મુખમાં ખીંટી ઠોકી બેસાડશે. તે જા, અહીંથી ચાલ્યા જા, પછી જે કરવું હોય તે કરજે. દ્વારવતીમાં તું રહીશ નહીં. ” વસુદેવે કહ્યું, “કૃષ્ણ! ક્ષમા કર. આ રમતિયાળ છોકર, ષિઓમાં નારદની જેમ, આપણા કુળમાં અલંકારરૂપ છે.” એટલે કૃષ્ણ બેલ્યા, “આને તમે મેએ ચઢાવ્યા છે, એથી મારી પણ મશ્કરી કરે છે. તેણે અહીં રહેવાનું નથી. ” કુલવૃદ્ધોએ કહ્યું, “સાંબ! નગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy