SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ગધર્વદતા સંભક [[ ૧૮૩ ] છે! જા, ચાલ્યો જા, નહીં તો તને પણ પિશાચ વળગી પડશે!” એટલે તે ગયો. આ બધું મારી શય્યાપાલિકાએ પરિહાસપૂર્વક મને કહ્યું. ચાદરને ગણિકાગ્રહમાં પ્રવેશ પછી કોપાયમાન થયેલી મારી માતાએ ગોમુખ વગેરે મારા મિત્રોને બોલાવીને કહ્યું, મારું એક પ્રિય કરો, ચારુસ્વામીનો ગણિકાગ્રહમાં પ્રવેશ કરાવો.” ગોમુખે કહ્યું, “માતા ! એમ કરવાથી પિતાજી ખીજાશે. એક વાર વ્યસન પડ્યા પછી તે છોડવું મુશ્કેલ છે, માટે ગણિકાગ્રહમાં પ્રવેશની વાત ન કરશે.” એટલે તે બોલી, “શેઠ ખીજાશે તે મારા ઉપર ખીજાશે. તમે વિરોધ કર્યા સિવાય મારું વચન કરો. વ્યસનના દોષની વાત કરવાનું તમારે શું કામ છે? “વ્યસની માણસ ધનનો નાશ કરે છે; આ કારણથી જ ઘણુ વખતથી મેં મનોરથ કરેલ હતો કે-ધનનો ઉપભોગ કરનાર પુત્ર મને ક્યારે થશે? મને પુત્ર થયેલ છે. જે કદિ વેશ્યાને વશ થઈને તે ધનનો નાશ કરશે તો પણ મારો મને રથ પૂર્ણ થશે. ” મારા મિત્રોએ પણ આ વાત સ્વીકારી. આ સર્વ વાર્તાલાપ દાસીએ મને કહ્યો અને બોલી કે, “આર્યપુત્ર! હવે તો તમે ગણિકાગ્રહમાં રહેશે, એટલે તમારું દર્શન અમને દુર્લભ થઈ જશે.” કેટલાક દિવસો વીત્યા પછી મને મિત્રો વિનંતી કરવા લાગ્યા, “ચારુસ્વામી ! ચાલો આપણે ઉદ્યાનમાં જઈએ ત્યાં ભેજન કરી કડા કરીને પાછા આવીશું.” મેં કહ્યું, “જો તમે ભેજન રાખ્યું છે તો મને પહેલાં કેમ ન કહ્યું ?” તેઓ બેલ્યા, “બીજ રોકાણને કારણે મેં કહ્યું હતું. શું એ ભેજન પણ તમારું નથી કે આવો ભેદભાવ રાખો છો ?પછી હું તેમની સાથે નીકળે. અમે ઉદ્યાનમાં પહોંચ્યા. “તડકાને લીધે હું તે તરસ્યા થયો છું” એમ બોલતે હું વિશ્રામ લેવાની ઈચ્છાથી ઝાડની નીચે ઊભો રહ્યો. પછી હરિસિંહ (પાણી લેવાને માટે) પાસેની પુષ્કરિણમાં ઉતર્યો, અને એક મુહૂર્ત માત્ર ત્યાં રહીને મને બોલાવવા લાગ્યો, “આવો, આશ્ચર્ય જુઓ.” તેના વચનથી હું ગયે અને પુષ્કરિણીમાં ઊતર્યો તથા બે, “કહે, તે શું આશ્ચર્ય જોયું ?” તેણે મને તરુણ યુવતિઓના વદનના લાવણ્યનું હરણ કરનારાં પડ્યો બતાવીને કહ્યું, “જુઓ, પઘોમાં ( રક્ત) કમલના રંગની કાન્તિવાળો અદષ્ટપૂર્વ રસ મેં જોયો. તે શેને હશે?” ગોમુખે ઘણીવાર સુધી તેનું અવલોકન કરીને કહ્યું, “દેવોના ઉપગને યોગ્ય આ પુષ્કરમધુ કોઈ પણ રીતે અહીં ઉત્પન્ન થયું છે, માટે જરાયે વિલંબ કર્યા વગર પદ્મિનીપત્રના પડિયાઓમાં તે ગ્રહણ કરી લે.” મિત્રોએ તે લઈ લીધું, પછી તેઓએ અંદરોઅંદર વિચાર કર્યો, “આ વસ્તુ મનુષ્યલોકમાં દુર્લભ છે, એનું આપણે શું કરવું?” હરિસિંહે કહ્યું, “આપણે તે રાજા પાસે લઈ જઈએ; તેથી પ્રસન્ન થઈને રાજા આપણને આજીવિકા આપશે. ” વરાહે કહ્યું, “રાજાને મળવામાં ઘણી મુશ્કેલી પડે છે, મળ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy