SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મ્મિલ્લ-હિંડી [ ૪૩ ] “ રાખે ? હું પુત્રિ! તે કયાં ગયા છે એ હું જાણુતી નથી. ” તેના જવાબ ઉપરથી વસન્તતિલકાએ જાણ્યું કે, “ નક્કી, આ માટે જ આવા અપૂર્વ ઉત્સવ કર્યો હાવા જોઇએ. જરૂર, આમાં મારી માતાના જ દોષ છે. ” આમ વિચારીને શાકાતુર થયેલી તે વસન્તતિલકાએ પ્રતિજ્ઞા કરી કે— " एसो वेणीबंधो कओ मए धणियसप्पइण्णाए । मोवो य पिणं, मत्तूण य आवयंतेण ॥ અર્થાત્ અત્યંત સાચી પ્રતિજ્ઞાપૂર્વક મેં આ વેણી બાંધી છે. કાં તે તે માશ પ્રિયતમ છેડશે અથવા મારા ઉપર આવતું મૃત્યુ છેડશે. ” આ પ્રમાણે કહીને જેણે ગંધ, પુષ્પ અને અલંકારાના ત્યાગ કર્યો છે એવી તે વસન્તતિલકા માત્ર શરીરને ટકાવી રાખવા માટે કેવળ શુદ્ધોદકથી સ્નાન કરતી દિવસેા ગાળવા લાગી. સ્મિલ્લના અગડદત્ત મુનિ સાથે સમાગમ બીજી ખાજી, ધમ્મિલ પણ બેઠા હતા ત્યાંથી ઊઠીને તે જીર્ણોદ્યાનમાં ફરવા માંડ્યો. ત્યાં તેણે વિપુલ પાંદડાવાળા, વિશાળ, ગંભીર, નવી કુંપળા તથા પલ્લવાવાળા, અત્યંત ઘટાદાર, ફૂલના ભારથી નમેલા, જેને શિખરપ્રદેશ ભ્રમરાના ગુંજારવથી શબ્દાયમાન હતા એવા, તથા જેના પલ્લવરૂપી હાથ પવનથી કંપતા હતા એવા સુન્દર અશેક વૃક્ષની નીચે બેઠેલા, જિનશાસનના સારરૂપ પરમ સત્ય જેણે જાણ્યુ' છે એવા, અનેક ગુણેાવાળા, આનદયુક્ત અને સાધુએમાં ગંધહસ્તી સમાન શ્રેષ્ઠ એવા એક સાધુને જોયા. પૂર્વભાષી એ સાધુએ મૃદુ અને મધુર વાણીથી ધસ્મિલ્લને કહ્યું, “ ધમ્મિલ ! અજ્ઞાન માણસની જેમ સાહસ શા માટે કરે છે ? ” દેવેન્દ્રોવડે વાયેલા, તપ અને ગુણેાના ભંડારરૂપ સાધુને પ્રણામ કરીને ધમ્મિલ કહેવા લાગ્યા કે, “ હે ભગવન્! પૂર્વે ધર્મ નહીં કર્યાં હાવાને કારણે હું દુઃખી છું. ” સાધુએ પૂછ્યું, “ તારે શું દુ:ખ છે ? ” ધસ્મિલ્લે જવામ આપ્યા, “જે પોતે દુ:ખ પામ્યા નથી, જે દુઃખના નિગ્રહ કરવામાં સમર્થ નથી અને જે બીજાના દુ:ખે દુ:ખી નથી તેને દુ:ખ ન કહેવું જોઇએ. ” ત્યારે સાધુએ કહ્યુ, “ હું પાતે દુ:ખ પામેલેા છું, દુ:ખના નિગ્રહ કરવાને સમર્થ છું અને ( અત્યારે તારી સ્થિતિ જોઇને ) દુઃખી થાઉં છું, માટે તારૂ દુ:ખ મને કહે. ” '' 66 યસ્મિલ્લે પૂછ્યું, “ ભગવન્ ! શું તમને મારા કરતાં પણ વધારે દુ:ખ પડયું છે ? ” સાધુએ કહ્યુ, હા. ” પછી ધસ્મિલ્લે પેાતાની યથાવીતી કહી સંભળાવી. એટલે સાધુએ કહ્યું, “ ધમ્મિલ ! ધ્યાનપૂર્વક સાંભળ મે જે સુખદુ:ખ અનુભવ્યાં તે તને કહું છું— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy