SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬૬ ] વસુદેવહિંડી : : પ્રથમ ખંડ : દિવસ પૂરા થયા, એટલે રાજા પદ્મરથના ખાડું સમાન અમાત્ય થાડા પરિવાર–સેવકા સાથે રથ લઈને આવ્યે. મને તે બહુમાનપૂર્વક પેાતાને ઘેર લઇ ગયા. અર્ધ્ય થી મારા સત્કાર કરવામાં આવ્યેા, એટલે હું ઘરમાં પ્રવેત્સ્યા. ત્યાં વિનયવાળાં પરિજનાને મે' જોયાં, જેનેા સત્કાર કરવામાં આવ્યેા છે એવા તથા મહામૂલ્યવાન શયનમાં રહેલા મારી રાત્રી વીતી ગઈ. બીજે દિવસે સુખાસનમાં રહેલા મને અમાત્ય પ્રણામ કરીને પૂછવા લાગ્યા, “ સ્વામી ! હરિવંશની ઉત્પત્તિ મને કહેા; હિર કાણુ હતા? અથવા (તેના વંશના) રાજાએ કેવા હતા?” એટલે પૂર્વે સાધુએની પાસે ધારણ કરેલું હરિવ ંશનું કથાનક મે તેને કહ્યુ, “સાંભળા, શાસ્ત્રને અનુસા૨ે તમને કહીશ. ” પછી આન ંદિત મનવાળા તેને હું કહેવા લાગ્યા— હરિવંશની ઉત્પત્તિ ,, "" વત્સા નામે જનપદ છે. ત્યાં કૌશાંખી નામે નગરી છે. પ્રણામ કરતા જા જેની સન્મુખ ઊભા રહેતા હતા એવા સન્મુખ નામે રાજા ત્યાં હતા. વીરક નામે વણકરની ભાર્યાં વનમાલા અત્યંત રૂપાળી હાવાથી તે રાજાએ ગુપ્ત રીતે તેનું હરણ કર્યું. વનમાલાથી વિચાગ પામેલા, વિલાપ કરતા અને ભ્રાન્તચિત્ત એવા વીરક ખાલતપસ્વી–તાપસ થયેા. વનમાલા પણુ, વનમાલાની જેમ, એ રાજાની માનીતી હતી, એક વાર વનમાલાની સાથે ગેાખમાં બેઠેલા સન્મુખ રાજાએ અવસ્થાન્તરમાં-દયાજનક અવસ્થામાં રહેલા વીરકને જોઇને વિચાર્યું, “ અહા ! મેં અકાર્ય કર્યું...! આ બિચારા મારા દેાષને લીધે જ દુ:ખ પામ્યા છે. ” વનમાલાએ પણ એ વસ્તુ તે જ રીતે સ્વીકારી. પછી જેમને સવેગ ઉત્પન્ન થયા છે એવાં તથા મહાભદ્રં-ભદ્ર પ્રકૃતિથી જેમણે મનુષ્યનુ આયુષ્ય માંધ્યું છે એવાં તે એ ઉપર વીજળી પડી. તેઓ હિરવર્ષમાં મિથુન તરીકે ઉત્પન્ન થયાં. વીરક પણ કાળધર્મ પામીને સૌધર્મ કલ્પમાં ત્રણ પત્યેાપમની સ્થિતિવાળા અને દિવ્ય ભાગેામાં પ્રસક્ત એવા ફિલ્મિષિક દેવ થયા. મિથુનનું પૂર્ણાંકોટિ આયુષ્ય જ્યારે ખાકી રહ્યું ત્યારે વીરક દેવે તેમની સાથેનુ પેાતાનુ વેર સંભારીને તે આયુષ્ય એક લાખ વર્ષ. બનાવીને—રાજધાની ચંપામાં ઇક્ષ્વાકુકુળના ચદ્રકીર્તિ રાજા અપુત્ર મરણ પામ્યા હતા અને નાગરિકા રાજાની આકાંક્ષા કરતા હતા ત્યાં આ મિથુન ભલે નરકગામી થાય ’ એમ વિચારીને હિરવર્ષમાંથી તેને ઉપાડી લાવ્યેા. ચિત્રસ નામનાં ( હરિવનાં ) વૃક્ષાને ત્યાં લાવીને વીરકે કહ્યું, “આ વૃક્ષેાનાં માંસના રસ વડે ભાવિત એવાં ફળ આ મિથુનને આપજો, ” દિવ્ય પ્રભાવ વડે તેણે તેની-મિથુનની સેા ધનુષ્યની ઊંચાઇ કરી. તે હિર નામે રાજા હતા, તેની હિરણી દેવી હતી; તેમને પૃથ્વીપતિ નામે પુત્ર હતા. તેના મહાકગિર, તેનેા હિમગિરિ, પછી વરિ, પછી નરગિર અને ઇન્દ્રગિરિ ૧. આ વસ્તુ સામાન્યતઃ ન બને, નિકાચિત આયુષ્યમાં ફેરફાર ન થાય, છતાં પૂર્વ કાર્ટિનુ આયુષ્ય ફેરવીને વીરક દેવે પેલા મિથુનનુ એક લાખ વર્ષોંનું આયુષ્ય બનાવ્યુ તેને એક આશ્ચર્ય' લેખવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy