SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતી સંભક [૪૬૭ ]. થયા. એ અનુક્રમે શેષ કમથી માધવ (હરિ) તથા ઈન્દ્રગિરિના તે વંશમાં અસંખ્યય રાજાઓ થઈ ગયા. ઈન્દ્રગિરિને પુત્ર દક્ષ નામે રાજા “પ્રજાપતિ” કહેવાતો હતો. તેની ઈલા દેવી હતી, તેનો ઈલ નામે પુત્ર હતો. પુત્ર નિમિત્તે રાજાની સાથે રૂઠેલી તે ઈલા પુત્રને લઈને પોતાના પરિવાર સહિત તેની પાસેથી ચાલી ગઈ હતી. ઈલાએ તામ્રલિપ્ત દેશમાં ઈલાવર્ધન નગર વસાવ્યું. ઈલ કુમારે માહેશ્વરી નગરી વસાવી. ઇલનો પુત્ર પુલિન નામે હતે. લંગડી મૃગલીને વાઘની સામે ઊભેલી જોઈને, “આ ક્ષેત્રનો પ્રભાવ છે” એમ વિચારીને તેણે ત્યાં કુંડિની નગરી વસાવી. તે વંશમાં ઈન્દ્રપુરને અધિપતિ વરિમ નામે રાજા હતા, તેણે સંયતી અને વનવાસી એ બે નગરી વસાવી. તેના વંશમાં કેલ્લયર નગરમાં કુણિમ રાજા થયો. તેના વંશમાં મહેન્દ્રદત્ત થયો. તેના પુત્રો રિષ્ટનેમિ અને મત્સ્ય હતા, તેમના આધિપત્યમાં ગજપુર-હસ્તિનાપુર અને ભધિલપુર હતાં, તથા તેમને સો પુત્ર હતા. તેના વંશમાં અયધનુ રાજા થયે, તેણે શોધ્યા નગર વસાવ્યું. તેના વંશમાં મૂલ રાજા થયે, વંધ્ય તેને પુરોહિત હતો. તેના વંશમાં વિશાલ રાજા થયે, તેણે મિથિલા નગરી વસાવી. તેના કુળમાં હરિસેન, તેના કુળમાં નભસેન, તેના કુળમાં શંખ, પછી ભદ્ર, તથા તેના વંશમાં અભિચંદ્ર થયો. પછી ઉપરિચર-જેના પગ પૃથ્વીને અડતા નહતા એવો વસુ રાજા થયે, “બકરીથી ઉત્પન્ન થયેલા અજ અથવા છગલ (બકરા) વડે યજ્ઞ કરે” એ સંબંધમાં શક્તિમતીમાં નગરી પર્વત અને નારદ વચ્ચે થયેલા વિવાદમાં પશુધના સમર્થનમાં ખોટું વચન કહેવારૂપી સાક્ષીકાર્ય તેણે કર્યું હોવાથી દેવતા વડે પછાડાયેલે તે નરકગતિમાં ગયે. જેમને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો એવા તેના છ પુત્રને અધિષિત દેવતાએ નાશ કર્યો. બાકી રહેલા સુવસુ અને પૃથધ્વજ નાસી ગયા. તેમને સુવસુ મથુરામાં રહ્યો. પૃથધ્વજ રાજાના વંશમાં સુબાહુ, તેનો દીર્ઘબાહુ, પછી વાબાહ, પછી અર્ધબાહ, પછી ભાનુ, તેના વંશમાં સુભાનુ, અને પછી યદુ થયા. યદુના વંશમાં શૌરિ અને વીર થયા. શૌરિએ શૌરિપુર વસાવ્યું, અને વીરે સૌવીર વસાવ્યું. સૌવીર રાજાના અંધકવૃષ્ણિ અને ભેજવૃષ્ણિ બે પુત્રો હતા. અંધકવૃષ્ણિના સમુદ્રવિજય આદિ દસ પુત્ર-સમુદ્રવિજય, અક્ષભ, સ્વિમિતિ, સાગર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ છે, અને કુન્તી અને માદ્રી એ બે પુત્રીઓ છે. ભેજવૃષ્ણિને પુત્ર ઉગ્રસેન છે. આ મુખ્ય રાજાઓનું નામ સંકીર્તન મેં કર્યું છે.” પદ્માવતીનું પાણિગ્રહણ આ સાંભળીને અમાત્ય અત્યંત હર્ષ પામ્યા. વંદન કરીને તેણે કહ્યું, “સ્વામી ! તમારે (જવાને માટે) ઉત્સુક ન થવું, અમે લાંબા સમય સુધી સેવા કરવાની ઈચ્છાવાળા છીએ.” આ પ્રમાણે ત્યાં મારા કેટલાક દિવસો વીતી ગયા. પવરથ રાજાએ શુભ દિવસે મને તેડાવીને, જાણે બીજી પધલતા હોય તેવી, પદ્માવતી કન્યા મને આપી. વિધિપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy