SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૦૭ ] ભવમાં સર્વ જીવો માત-પિતા થયેલાં હોય છે. દેવ અને નારકના ભવમાં એવું નથી. તું કે જે પૂર્વભવને તાપસ નામે શેઠ છે તેની બાબતમાં પણ એવું છે. તે પૂર્વે અનુભવેલા ભવ પણ મેં પ્રમાણ સાથે કહી બતાવ્યા છે. તાપસના ભાવમાં જે તારી માતા હતી તે જ જન્માન્તરમાં પણ હતી એમ તું શી રીતે જાણે શકે છે? આ સંસારમાં ભમતા પ્રાણીએ સવે સંબંધ અનુભવેલા છે. આ જ ખરી વસ્તુ છે. ” આ સાંભળીને અપૂર્ણ નયનવાળો તે રાહુક સાધુને પગે પડયો અને બોલ્યો કે, “ભગવન્! સંસારની સવે ગતિઓ આપ જાણે છો.” તેનું આ વચન સાંભળીને સાથે આવેલા પુરુષ અત્યંત વિસ્મય પામીને બોલવા લાગ્યા, “ અહે! આશ્ચર્ય છે ! અમારી સાથે ઊછરેલ અને જન્મથી જ મૂગો આ રાહુક અત્યારે સાધુનું વચન સાંભળીને બોલવા લાગ્યા!” પછી સત્યવાદી એવા સત્યે અગ્નિભૂતિ અને વાયુભૂતિને કહ્યું, “તમે પૂર્વજન્મમાં શિયાળ હતા, તેનું આ બીજું પ્રમાણ છે.” મધ્યસ્થાએ પણ “બરાબર છે” એમ કહ્યું. ઉદાસ થયેલા તે બ્રાહ્મણે કહ્યું, “અમે નિરુત્તર થયા છીએ, અમારો સંશય દૂર થયા છે, જન્માક્તર જાણનારા શ્રમણનો વિજય થયો છે.” પ્રશંસા કરતી બધી પર્વદા ગઈ. ૫ર્ષદાના માણસોએ સોમદેવ અને અગ્રિલાને આ કહ્યું. રોષથી સળગી ગયેલાં તે બે જણુએ કહ્યું, “હે પુત્રો ! જે શમણે મહાજનની વચ્ચે તમારો તિરસ્કાર કર્યો છે તેને ગુપ્ત રીતે વધ કરાવો.” પુત્રોએ કહ્યું, “આવા મહાત્મા તપસ્વીનો વધ શી રીતે કરાવાય?” એટલે માતા-પિતા બોલ્યાં, પણ અમારે માટે તો તે વધ્ય છે, માટે તમે પ્રતિકૂળ ન થાઓ.” માતા-પિતાના આ વચનને પ્રમાણ કરતા તે બે જણા સાધુઓ રહેતા હતા તે પ્રદેશમાં ગયા. સત્ય અણગાર સુમના શિલા ઉપર સર્વરાત્રિકી પ્રતિમામાં કાર્યોત્સર્ગ કરીને રહેલા હતા. તેનો વધ કરવાને આ બે જણ તૈયાર થયા, એટલે એ શિલાના અધિષ્ઠાયક યક્ષે શબ્દ કર્યો, “અરે દુરાચારીઓ ! ઋષિને વધ કરનારાઓ! તમે નાશ પામ્યા છો !” આમ બોલતાં એ યક્ષે તેમને લેયકર્મનાં બનાવેલાં પૂતળાંઓની જેમ થંભાવી દીધા. પ્રભાતે આ અવસ્થામાં રહેલા તેમને લોકોએ જોયા. પછી તેમનાં સ્વજનેએ સત્યને વિનંતી કરી, “મહાઋષિ! ક્ષમા કરે, આ લોકોને જીવિતદાન આપે.” શરદઋતુના સરોવરનાં જળ સમાન નિર્મળ હૃદયવાળા સત્યે કહ્યું, “હું તેમના ઉપર ક્રોધ કરતો નથી, આ તો સુમન યક્ષ કે પેલે છે, અને તેણે એમને થંભાવી દીધા છે. ” યક્ષને વિનંતી કરવામાં આવતા તેણે કહ્યું, “આ પાપકમીએ ભલે અહીંજ સોસાઈ જાય; એમનું હવે જીવન નથી.” આ પ્રમાણે અદશ્ય રહીને બોલતા યક્ષને અવધિજ્ઞાનવાળા સત્યે કહ્યું, “આ તે જિનવચનથી બાહો અજ્ઞાનીઓ છે, માટે તેમને ક્ષમા કરો અને કેય દૂર કરો. આ પછી યક્ષ શાન્ત થશે. તે બે જણ પાછા સ્વાભાવિક હરતા ફરતા થયા. તેઓએ વિચાર કર્યો, “અહો ! સાધુઓ દયાવાનું છે. અમારા જેવા નિર્દયે પ્રત્યે પણ તેઓ અનુકંપા ધરાવે છે. તેઓ જે ઉપદેશે છે તે જ મોક્ષનો માર્ગ છે.” પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy