SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : તેએ સત્યના પગે પડ્યા અને મેલ્યા, “ આ પ્રાણ હવે આપને આધીન છે, આજથી અમે આપના શિષ્યા છીએ, પરન્તુ સાધુધર્મ પાળવાને શક્તિમાન્ નથી, માટે ગૃહસ્વધર્મ અમે સ્વીકારીશુ. ’” આ પછી તેએ અતને ધારણ કરનારા શ્રાવકા થયા, અને અમૃત સમાન જિનધમ તેમણે જાણ્યા. વિહાર કરતા સાધુએ પણ ત્યાંથી ગયા. શીલવાન અને જિનપૂજામાં રત એવા તેએ માતા-પિતાને સમજાવવા લાગ્યા કે, “ અરિહંતે ઉપદેશેલેા માર્ગ તમે સ્વીકારેા. ” એટલે માબાપે કહ્યુ, “ પુત્રા ! જેમના લયથી તમે આ ધર્મ સ્વીકાર્યા હતા તે શ્રમણા ચાલ્યા ગયા છે, માટે હવે એ ધર્મ થી ખસ કરી. ” પુત્રાએ કહ્યું, “હું માતા-પિતા ! નિર્ગુણુ વસ્તુ માટે દુરાગ્રહ રાખવા એ મૂઢતા છે. જિનેશ્વરે ઉપદેશેલા ધર્મ સત્ય, વાસ્તવિક અને નિર્વાણમાં લઈ જનારા છે, માટે અજ્ઞાન ન મનેા. એ સન્માર્ગના સ્વીકાર કરા, જેથી દુર્ગંતિમાં જવું પડે નહીં. ” મા-બાપે કહ્યું, “ તમે એ શ્રમણાના ઉપદેશ સાંભળીને અમને અમારા વેદોક્ત કુલધર્મ થી ભ્રષ્ટ કરવા ઇચ્છેા છે. જો કુલધર્મ સ્વીકારવાથી દુર્ગતિમાં જવાતુ હાય તા ભલે અમે જઇશું. ” પુત્રાએ ઉપદેશ કરવા છતાં પણ તેઓએ જિનધર્મ સ્વીકાર્યું નહીં. પછી ધર્મ માં ઢઢ રહેલા તે એ ભાઇએ કાલધર્મ પામીને સાધ કલ્પમાં પાંચ પત્યેાપમના આયુષ્યવાળા દેવા થયા. પ્રદ્યુમ્ન અને સાંમના પૂર્વ જન્મની કથામાં પૂર્ણ ભદ્ર-માણિભદ્રના ભવ ત્યાંથી ચવીને, ગજપુરમાં જિતશત્રુ રાજા, ધારિણીદેવી, અજિતસેન યુવરાજ, અરહદાસ શ્રેષ્ઠી, તેની ભાર્યા પુષ્પશ્રી, તેના ગર્ભોમાં અનુક્રમે મેાટા અને નાનાભાઇ પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર તરીકે તેઓ જન્મ્યા. એક વાર મહેન્દ્ર નામે અણુગાર પેાતાના ગણુસહિત હસ્તિનાપુર( ગજપુર )માં સમેાસર્યા હતા. તેમની પાસે ધર્મોપદેશ સાંભળીને રાજા અને શ્રેષ્ઠીએ દીક્ષા લીધી. પછી અજિતસેન રાજા થયા અને પૂર્ણ ભદ્રં શ્રેષ્ઠી થયા. સાધુએ વિહાર કરીને ઘણે કાળે પાછા ગજપુરમાં આવ્યા. પૂર્ણભદ્ર અને માણિભદ્ર તેમને વન કરવાને માટે નીકળ્યા. માર્ગમાં પક્ષીનું પાંજરું' ખભે મૂકીને ચાલતા તથા પિંગલા નામે કૂતરી જેની પાછળ પાછળ આવતી હતી એવા ચાંડાલને તેમણે જોયા. એ જોઇને પૂર્ણ ભદ્ર-માણિભદ્રને અત્યંત સ્નેહ પેદા થયા. એમને વિચાર થયા, “ આ જોઇને અમને સ્નેહ કેમ થાય છે? ગુરુને પૂછીશું. ” પછી તેમણે ચાંડાલને કહ્યુ, “ અમે સાધુ પાસે જઈને પાછા વળીએ ત્યાંસુધી રાહ જોજે, તેા તને કંઇ ઇનામ આપીશું. “ જેવી આપની આજ્ઞા ” એમ કહીને ચાંડાલ ત્યાં ઊભો રહ્યો. પછી તેએ ગયા અને મહેન્દ્ર અણગારને વંદન કરીને પૂછવા લાગ્યા, ભગવન્ ! ચાંડાલ અને તેની કૂતરી ઉપર અમને અત્યંત સ્નેહ થયા, તેનું કારણ કહેા. ” અવધિજ્ઞાનથી ઇને સાધુએ કહ્યું કે, “ પૂર્વજન્મમાં એ તમારાં માતાપિતા હતાં. ઘણું પાપ ઉપાર્જન કરીને મરણ પામી સર્પાવત * "" ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy