SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૦૯ ] નરકમાં પાંચ પોપમ સુધી દુઃખ અનુભવીને ત્યાંથી ઉદ્વર્તિત થઈ અહીં જમ્યાં છે.” પ્રમાણપૂર્વક આવું સાંભળીને જેમને જાતિસ્મરણ થયું છે એવા તે બે ભાઈઓ સાધુને વંદન કરીને ચાંડાલની પાસે આવ્યા. તેને તેઓ પિતાના ઘેર લઈ ગયા અને પૂર્વભવને વૃત્તાન્ત કહ્યો. ચાંડાલ અને કૂતરીને પણ જાતિસ્મરણ થયું. પછી તેમણે ચાંડાલને કહ્યું, “ અમે તને વૃત્તિ આપીશ, તેથી ગુજરાન ચલાવજે. પણ હવે પાપકર્મ બંધ કર, જેથી નરકમાં જવું પડે નહીં. ” એટલે અશ્રપાત કરતો તે ચાંડાલ કહેવા લાગ્યું, “આ નિન્દ જાતિમાં હવે સમય ગાળવાને હું શક્તિમાન નથી, માટે અનશન કરીને હું મરીશ.” તેણે ઘણે આગ્રહ કર્યો એટલે તેઓએ તેને ભક્તનું પચ્ચકખાણ આપ્યું, ત્યારે જ તે રહ્યો. પિંગલા કૂતરીને ભેજન આપવામાં આવ્યું, પણ તે તેણે ખાધું નહીં. શ્રેષ્ઠીએ કહ્યું, “પિંગલે ! તું ખાતી નથી, તે તેં પણ શું ભક્તનું પ્રત્યાખ્યાન કર્યું છે? ” કૂતરીએ માથું હલાવી હા પાડી. પછી સાત રાત્રિમાં તે મરણ પામી. ચાંડાલ પણ અઢાર દિવસમાં નંદીશ્વર દ્વીપમાં દેવ થયે. કૂતરી હતી તે એ જ નગરના અજિતસેન રાજાની પુત્રી સુદર્શના નામે થઈ. તે પૂર્ણભદ્ર-માણિભદ્ર સનેહ વડે તેને સૂચિત કરી–ઓળખી. સમય થતાં “હે અગ્રિલા ! હે પિંગલા !” એવા સંબોધન કરી તેમણે તેને પ્રતિબંધ પમાડ્યો. શ્રેણી પૂર્ણભદ્ર એ રાજાનો અત્યંત સ્વજન હતો, આથી તેના વડે પ્રેરાઈને સુદર્શનાએ પ્રિય દર્શના સાધ્વી પાસે દીક્ષા લીધી, અને સાધ્વધર્મ પાળીને તે દેવલોકમાં ગઈ. તે પૂર્ણ ભદ્ર-માણિભદ્ર પણ શ્રાવકધર્મ પાળીને, સમાધિથી કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ગયા. પ્રદ્યુમ્ન અને સાંબના પૂર્વ જન્મની કથામાં મધુ-કૈટભને ભવ ત્યાં બે સાગરોપમ સુધી દિવ્ય ભેગ ભેગવ્યા પછી આવીને ગજપુરમાં વિશ્વસેન રાજાની સુરૂપ દેવીના અનુક્રમે મોટા અને નાના પુત્રો મધુ અને કૈટભ નામે થયા. સમય જતાં મધુ રાજા થયો. નંદીશ્વર દેવ પણ સંસારમાં ભમીને વટપુરમાં કનકરથ નામે રાજા થ. સંસારમાં ભ્રમણ કરતી સુદર્શન પણ તેની ચંદ્રાભા નામે પત્ની થઈ. મધુ અધિરાજા હતો, પણ આમલકલ્પા નગરીને અધિપતિ ભીમ નામે રાજા તેની આજ્ઞા બરાબર પાળો નહોતો. આથી તેણે ચઢાઈ કરી અને (કૂચ કરતાં માર્ગમાં ) વટપુર પહોંચે. કનકરથ રાજા બહમાનપૂર્વક તેને પિતાને ત્યાં લઈ ગયો. કનકની ઝારીથી પાણી રેડીને ચંદ્રાભા દેવી તેના પગ જોવા લાગી. તેના રૂપથી અને હસ્તપલવના સ્પર્શથી આનંદ પામતે મધુ તેની ઉપર મેહ પામ્યો, પણ પોતાની સ્થિતિ ગમે તેમ છૂપાવીને તે ત્યાં બેસી રહ્યો. જેમ તેમ ભેજન કરીને મધુ નીકળ્યો અને પિતાના ઉતારે આવ્યા. નિપુણ એવા મંત્રીએ તેને પૂછયું, “સ્વામી! તમારી મુખકાન્તિ જુદા પ્રકારની દેખાય છે, માટે વધુ પડતો આત્મવિશ્વાસ રાખીને ઠગાઈ ન જશો. કહે, તમારા શરીરમાં શો વિકાર છે?” મધુ બોલ્યો, “તેં સાચે તર્ક કર્યો. કારણ કહું છું-કનકરથ રાજાની દેવી ચંદ્રાભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy