SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૦ ] વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ : છે, તે મારા હૃદયમાં પ્રવેશી છે. “જે હું તેને પ્રાપ્ત નહીં કરું તો હું નહીં જીવું” એ નિશ્ચય છે. આ પ્રકારની ચિતાને કારણે મારા મુખની વિવર્ણતા તેં જોઈ છે.” મંત્રીએ કહ્યું, “સ્વામી ! કનકરથની પત્નીનું જે બળાત્કારે હરણ કરવામાં આવે તે આપણે એકલા માર્યા જઈશું, માટે વિનંતિ કરું છું કે–તેને યુક્તિપૂર્વક મેળવવી જોઈએ. કનકરથની સાથે પ્રેમ વધારે, રાણીઓને ત્યાં મોકલો, બિમારીનો દેખાવ કરો. એ પ્રમાણે જવા-આવવાથી વિશ્વાસ વધતાં નિવિદને સંગ થઈ શકશે.” મધુએ તેમ કર્યું. બિમારીના સમાચાર સાંભળી કનકરથ અને ચંદ્રામાં વારંવાર ત્યાં આવવા લાગ્યાં. વિરોધી ભીમ રાજા પણ કનકરથે કરેલું મધુનું સન્માન સાંભળી પાછો હઠ્યો. મધુ પાછો વળે અને ગજપુર ગયે. કનકરથને તેણે કહ્યું, “કેટલાક સમય અમારી સાથે રહીને પછી તમારા નગરમાં પાછા આવજે.” કનકરથે “ભલે ” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. કેટલાક દિવસો વીત્યા બાદ, ગજપુર ગયેલા રાજાઓને સત્કાર કરીને ભાર્યા સહિત તેમને વિદાય આપવામાં આવી. અંતે કનકરથને પણ વિદાય સત્કાર કરવામાં આવ્યું, પણ ચંદ્રાભાને આભરણ તૈયાર કરવાના બહાને રોકી રાખવામાં આવી. ચંદ્રાભાએ સાંભળ્યું કે-“હવે હું બહાર નીકળી શકું એમ નથી.” એટલે તેણે પિતાની વિશ્વાસપાત્ર દાસીને કનકરથ પાસે આ ખબર કહેવા મોકલી. આ હકીકત જાણીને ભયભીત થયેલ કનકરથ ત્યાંથી ચાલ્યો ગયો, અને પુત્રને રાજ્ય આપીને તેણે તાપસ તરીકે દીક્ષા લીધી. ચંદ્રની ચંદ્રકળાની જેમ, ચંદ્રાભા મધુની માનીતી થઈ ઘણા કાળે તાપસરૂપધારી કનકરથ રાજાને ગજપુરના રાજમાર્ગ ઉપર ચંદ્વાભાની દાસીએ જે, તેણે ચંદ્રાભાને નિવેદન કર્યું કે, “સ્વામિનિ ! આજે મેં રાજાને જોયા.” ચંદ્રભાએ પૂછયું, “તું રાજાને કયારે જેતી નથી?” દાસીએ ઉત્તર આપે, “સ્વામિનિ ! આ તો કનકરથ નામે તાપસ હતે.” તેણે કહ્યું, “ક્યાં છે? મને બતાવ.” ત્યાં ઊભી રહીને દાસીએ તેને એ બતાવ્યો. તેને જોઈને ચિન્તાતુર થયેલી ચંદ્રાભા પિતાની જાતની નિન્દા કરતી બેઠી કે, “અહો હું મંદભાગિનીના દેષથી આ રાજા આવી અવસ્થા પામે છે.” એટલામાં મધુ તે સ્થળે આવ્યો. તેણે પૂછયું, “દેવિ ! આદરપૂર્વક શું જુએ છે?” રાણુએ તુરત વાત ઉપજાવી કાઢીને કહ્યું, “દેવ! આ નગરની બહાર જાણે સૂતરથી ભાગ પાડ્યા એવું શું દેખાય છે, એને વિચાર કરું છું.” રાજા છે, દેવિ ! આ નગરવાસી લોકોનાં ખેતરે છે, આજીવિકાને માટે એમાં અનાજ ઉગાડવામાં આવે છે.” રાણુએ પૂછયું, “દેવ! એમાં આપણું કયું ખેતર છે?” મધુએ કહ્યું, “જે વિભાગ પાડનારાં સૂત્ર છે તે આપણું ખેતર છે.” રાણું બોલી, “આવાં ઝીણું ખેતરમાં શું થતું હશે, જેથી આપણે જીવીએ છીએ ?” રાજાએ કહ્યું, “આ તો મર્યાદા છે, અને તે મે( સીમા)એ નામથી પણ ઓળખાય છે. જે એનું ઉલંઘન કરે તે અપરાધી ગણાય છે. એની શિક્ષા માટે અપરાધને અનુરૂપ દંડ કરવામાં આવે છે, અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy