SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પણ જે હું બોધ ન પામું તે મારા નામથી અંકિત થયેલાં આ કુંડળ મને બતાવજે.” એમ કહીને વૈતાઢ્ય પર્વતના સિદ્ધાયતન પાસેની પુષ્કરિણીમાં તે કુંડળ, રાહુકને એ પ્રદેશમાં લઈ જઈને, દેવે નાખ્યાં. “આ વાતનું મને સ્મરણ કરાવજે” એમ કહ્યું અને ફરી પાછો રાહુકને નગરમાં આણ્યો.” પછી દેવે સૂચવ્યા પ્રમાણે (રાહકના ભાઈની પત્નીને) દેહદનો ઉપચાર કરવામાં આવ્યું, અને તેના ફળરૂપે પુત્રને જન્મ થયો. એ પુત્રને રમાડતો રાહુક તેને સાધુ પાસે લઈ જતો હતો. એ જોઈને સાધુઓ મોટા સાદે અવાજ કરતા હતા, અને તેને કહેતા હતા, “ શ્રાવક! આ બાળક સ્વાધ્યાય અને ધ્યાનમાં વિન કરે છે. ” આથી તે રાહક એ બાળકને બંધ પમાડવા માટે અહીં આવે છે. અહીં આવીને નિર્વેદપૂર્વક તે તપશ્ચર્યા કરશે. દીક્ષા લઈ થોડા સમય સાધુધર્મ પાળી કાળધર્મ પામીને દેવ થશે. અગાઉના સંકેતનું સ્મરણ કરી ઉજજયિની જઈને, આઠ વર્ષથી કંઈક મોટા થયેલા પેલા બાલકના શરીરમાં રોગ પેદા કરશે. જ્યારે બધા વેદ્યો હાથ હેઠા મૂકશે ત્યારે પોતે વૈદ્યનું રૂપ ધારણ કરીને કહેશે કે, “જો એ બાળક મને શિષ્ય તરીકે આપો તો તેને હું નીરોગ કરું.” તેનાં મા-બાપે એમ કરવાની હા પાડતાં બાળક સાજે થશે એટલે પિતાના શસ્ત્રકેશન (ઓજારોની પેટીને) જો તેને ઉપાડવા માટે આપશે. પત્થર જેવા ભારે એ જાને પેલે બાળક ઉપાડી શકશે નહીં. * ઉપાધ્યાય ! આટલે ભાર ઉપાડીને એક પણ પણ ચાલવાની મારી શકિત નથી.” એમ તે કહેશે, એટલે રાહુક તેને કહેશે કે, “જે શ્રમણ તરીકે દીક્ષા લે તો તને જવા દઉં.” ઘણા પ્રકારે પ્રયત્ન કરવા છતાં પણ છોકરો દીક્ષા લેવાનું નહીં સ્વીકારે. આ પ્રમાણે પ્રયત્ન કર્યા પછી અંતે વૈતાઢ્ય પર્વત ઉપર લઈ જઈને રાહુક તેને કુંડલ બતાવશે એટલે એ છોકરાને પોતાના (દેવ તરીકેના) પૂર્વભવનું સમરણ થતાં તીવ્ર વૈરાગ્ય થશે અને તે દીક્ષા લેશે.” આ પ્રમાણે વાત પૂરી થતાં કુતુહલવાળા જોનારા પુરુષો પેલા આગતુક માણસોની સામે ગયા. સાધુએ કહ્યા હતા તેવા માણસોને તેમણે જોયા, અને પ્રશ્ન કરતાં કહ્યા પ્રમાણે ના મૂગા માણસને તેમણે બતાવ્યું. “બ્રાહ્મણને પરાજય થયો છે” એમ બોલતા તે પુરુષ પર્ષદાની સામે આવ્યા, અને જે જોયું તથા સાંભળ્યું હતું તે કહ્યું. પેલાં આગન્તુક પુરુષો પણ અનુક્રમે આવી પહોંચ્યા અને વંદન કરીને બેઠા. મૂગા ઇભ્યપુત્રને સાધુએ કહ્યું, “રાહુક! પૂર્વભવના તાપસ ! મરીને તું સૂવર થયે. ત્યાં ચીસો પાડતા તને કુતરા એ મારી નાખતાં સર્પ થયો. ત્યાં પણ દંડાથી તારા ઉપર ઘા કરવામાં આવતાં નાસી ગયો અને મરણ પામ્યા. પછી પુત્રના પુત્ર તરીકે જન્મ્યો, પણ માનને કારણે માતા-પિતાને બેલાવતા નથી. આ પ્રમાણે તારે કાળ ગ. પછી “દેવનું વચન કરવું જોઈએ” એમ વિચારીને તું અહીં આવ્યું છે. આ સંસારમાં ભમતા પ્રત્યેક જીવને તિર્યંચ અને મનુષ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy