SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૦૫ ] આસક્ત થયેલું છે એવા તે આધ્યાનથી મરીને સૂવર થયા. પેાતે પૂર્વે જે ખેતરને ભાગવટો કરતા હતા ત્યાં જ શરદકાળમાં ડાંગર ખાવાને માટે તે યૂથની સાથે આવ્યા. તાપસના અવતાર વખતના તેના પુત્ર શબ્દ કર્યો, આથી તે યૂથ નાસી ગયું; પણ પેલા સૂવરના બચ્ચાએ ઊંચું જોતાં પેાતાના પૂર્વજન્મના પુત્રને જોયા અને જાતિસ્મરણુ થતાં તે તેની પાસે આવ્યું. પેલા છેાકરાએ પણ દયા કરી તેને હાંક્યું નહીં અને તેને દૂધ-ભાત ખાવા આપ્યા. પૂર્વના સ્નેહથી તે સૂવર પુત્રની પાછળ પાછળ ચાલતા નગરમાં આવ્યા અને ત્યાં ઊછરવા લાગ્યા. એક વાર તેને બધેલેા હતેા અને ઘરમાં બધાં માણસા ઊંઘી ગયાં હતાં ત્યારે કુતરાએ તેને મારી નાખ્યા. ક્રોધાવિષ્ટ થયેલે અને ચીસા પાડતા તે મરીને તેજ નગરમાં સર્પ થયેા. ફરતાં ફરતાં તે ઘરમાં અગાઉનાં પરિચિત માણસાને જોઈને તેને જાતિસ્મરણુ થયુ, મમત્વને કારણે તે એ પ્રદેશમાં જ રહેવા લાગ્યા. તેને ફરતા જોઇને માણસાએ તેને દડાથી માર્યાં. એ અવસ્થામાં જીવવા ઇચ્છતા તે ત્યાંથી નાસી ગયે, અને શારીરિક વેદના અનુભવતા વિચાર કરવા લાગ્યા, “ આમાં આ લેાકેાના શા ઢાષ ? સર્પની જાત જ ભય પેદા કરનારી છે. અથવા મે` પેાતે જ ખીજાને પીડા આપનારું કર્મ કર્યું હશે, તેનું આ ફળ અનુભવું છું. આ પ્રમાણે માવ પામીને મરણ પામતાં તે પેાતાના પુત્રના જ પુત્ર થયા. જેને પેાતાના પૂર્વભવનુ સ્મરણુ થયુ છે એવા તે સ્વજનાને જોઇને વિચાર કરવા લાગ્યા, “ પુત્રને ‘પિતા ’ કહીને કેવી રીતે મેલાવીશ ? અને વહૂને ‘ મા’ શી રીતે કહીશ ? માટે મારે મૂગા રહેવુ જ ચેાગ્ય છે. ” ( આ પ્રમાણે વિચારીને મૂગેા જ રહ્યો) મેટા થતાં તે રાગી સ્વજનાની ચિકિત્સા લખીને કરતા હતા. આમ તે સર્વને માન્ય અને પૂજનીય થયા. "" kr ' એ દેશકાળમાં સૌધર્મ કલ્પવાસી એક દેવ નદીશ્વર તીર્થની યાત્રાએ આવેલે તે વિદેહમાં કેવલીને પૂછવા લાગ્યા, “ ભગવન્ ! હું ભવ્ય છું ? દુર્લભ એધિવાળા છે, કે સુલભ ખેાધિવાળા ? ” કેવલીએ કહ્યું, તુ ભવ્ય છે, પણ ગુરુની અત્યંત આશાતના કરીને તે દનમાહનીય કર્મ ઉપાર્જિત કર્યુ છે, તે તારા દુલ ભમેાધિકત્વનું કારણુ અન્યું છે. ” દેવે પૂછ્યું, “હું કેવી રીતે ખાધ પામીશ ? ” અરિહંતે કહ્યું, “ તુ અહીંથી ચ્યવીને જંબુદ્રીપના ભરતમાં આવેલી ઉજ્જિયની નગરીમાં પરાણે મૂગા બનેલા ઇલ્યપુત્ર રાહુકના ભાઈના પુત્ર થઈશ. તારા વડે અભ્યર્થના કરવામાં આવતાં તે તને ધ કરશે. ” આ સાંભળીને દેવ રાહુકની પાસે ગયા. રાહુકને તેણે ધન આપ્યું અને કહ્યુ, “ હું તારા ભાઇના પુત્ર થઈશ. મારી માતાને અકાળે કેરી ખાવાના ઢાદ થશે. તેની તું આ ઔષધેાવડે ફળપાક કરીને ચિકિત્સા કરજે. ૮ સમયે જે ખાલક થાય તે તમારે મને આપવા ' એમ તું કહેજે, અને તેઓ તે વસ્તુને સ્વીકાર કરે ત્યારે જ દાદના ઇલાજ કરજે. જન્મ થયા બાદ મને સાધુ પાસે વારવાર લઇ જજે. એમ કરતાં ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy