SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ્લ–હિંડી [ ૩૭ ] કહ્યું છે, જેથી એ ચૂપ થઈ ગયો? ત્યારે સાધુએ મિથ્યાત્વરહિત અને સત્ય વચનથી તેને કહ્યું, “ભાઈ ! આ બકરો તારો પિતા થાય છે. તે તમને કહે છે, “હું તમારો પિતા છું; મને મારો નહીં. તમે મને ઓળખતા પણ નથી ?” બ્રાહ્મણપુત્ર સાધુને કહ્યું, “ પણ અમને શી રીતે ખાત્રી થાય કે આ અમારા પિતા છે?” એટલે સાધુએ બધું વૃત્તાન્ત કહ્યો, તથા હેતુ, કારણ અને નિશાની સાથે બધી હકીકત વર્ણવી. આ પ્રમાણે ખાત્રી થતાં એ છોકરો સાધુને પગે પડીને ઊ અને પિતાના ભાઈએને બધી હકીકત કહેવા લાગ્યા. આ સાંભળીને અત્યંત વિસ્મય પામેલા તેઓ મિત્ર, બાંધવ, સ્વજન અને પરિજનો સાથે સાધુની પાસે ગયા અને વંદન કર્યા. તે સર્વેએ અત્યંત વૈરાગ્ય પામી શીલવતો સ્વીકાર્યો અને બકરાને લઈને પિતાને ઘેર ગયા. સાધુની કૃપાથી બકરાને મુક્ત કરવામાં આવ્યું. ત્યારથી માંડીને પેલા સર્વ બ્રાહ્મણોએ અરિહંત દેવને સ્વીકાર્યા, અને સાધુઓને માન આપવા માંડ્યા. હે સુભદ્રા! જેવી રીતે એ કેકણક બ્રાહ્મણે પિતે જ કરેલાં કર્મના વિપાકને પરિણામે દુઃખ અને સંસારને પ્રાપ્ત કર્યા હતાં, તેવી રીતે તે જાતે જ પોતાના પુત્રને સંસારરૂપી મહાવનમાં નાખે છે.” આ સાંભળીને અપૂર્ણ નયન અને ગદગદ કંઠવાળી તથા ભારે દુઃખ અને શેકથી પીડા પામતી તે સુભદ્રાએ પતિને કહ્યું, “મને ખબર નહોતી કે વસુભૂતિ બ્રાહ્મણની બાબતમાં આવ્યું હતું તેવું જ પરિણામ અહીં પણ આવશે.” ત્યારે ગૃહપતિએ પૂછયું, “વસુભૂતિ બ્રાહ્મણનું શું થયું હતું ?” સુભદ્રાએ કહ્યું, “ સાંભળો આર્યપુત્ર ! વસુભૂતિ બ્રાહ્મણનું કથાનક એક કાળે નંદપુર નામે નગર હતું. ત્યાં વસુભૂતિ નામે અધ્યાપક બ્રાહ્મણ રહેતો હતું. તેની પત્નીનું નામ યજ્ઞદત્તા હતું. તેને બે બાળકે હતાં. સમશન પુત્ર અને સેમશર્મા પુત્રી. રોહિણી નામે તેની ગાય હતી. આ બ્રાહ્મણ દરિદ્ર હતો. તેને કોઈ એક ધર્મચિવાળા ગૃહસ્થે ખેતરનો એક ટુકડો આપેલ હતો. તેમાં બ્રાહ્મણે ડાંગર વાવી. વાવી રહ્યા પછી પોતાના પુત્રને તે કહેવા લાગ્યું, “ પુત્ર ! હું શહેરમાં જાઉં છું. ચંદ્રગ્રહણ થવાનું છે, આથી દ્રવ્યને માટે કઈ શાહુકારો પાસે હું યાચના કરીશ. તું આ ખેતરનું નીંદામણ અને સાચવણી કરજે. પછી હું જે ધન લાવીશ તે વડે તને તથા તારી બેનને પરણાવીશું. રોહિણી ગાય પણ વિયાશે.” આમ કહીને તે બ્રાહ્મણ ગયો. પછી એક વાર ત્યાં નટલોકો આવ્યા. પેલો બ્રાહ્મણપુત્ર નટના સંસર્ગથી નટ થઈ ગયે. તેની બહેન પણ કઈ વંઠેલાના સંગથી સગભાં થઈ. જેનું (ગર્ભનું) બંધન શિથિલ થયું છે એવી રોહિણી ગાયને ગર્ભ પણ પડી ગયો. ખેતરમાં પેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy