SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અથ એક જ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યમાં હિંદી શબ્દ ‘ પરિભ્રમણુકથા 'ના અથ'માં સુપરિચિત હતા. બ્રહ્મદત્ત ચક્રવર્તીના ભ્રમણ સંબંધમાં ઉત્તરાધ્યયન નિયુક્તિમાં કહ્યું છે–સા ૩ નહિંદી મોઢવ્વા યંમત્તા ( ગા. ૩૫૩ ), અને તે ઉપર ટીકાકાર શાન્તિસૂરિ લખે છે-ત્ત્વ ૨ પ્રાપ્તાવસરા શ્રાવિડી ( પૃ. ૭૭૮ ). વળી ગ્રન્થમાં વસુદેવને તેમના અનુભવે સંભળાવવાને વીનવતાં પ્રદ્યુમ્ન કહે છે—ભનય ! કુળદ મે વસાયું, હેદ ના હિંડીય સ્થ (મૂલ, પૃ. ૧૧૦). આમાંના હિઁક્રિય સ્થ પ્રયાગને કારણે પણ ગ્રન્થનું ‘ વસુદેવ-હિંડી ' એ નામ પ્રચલિત થવામાં કેટલીક સરલતા થઇ હાય. અને સૌથી વધારે સંભવિત એ છે કે તે કાળે વસુદેવની લેાકપ્રચલિત કથા, તેમાં મુખ્યત્વે વસુદેવનાં પરિભ્રમણાનું વષઁન આવતુ હાવાને કારણે, લેકામાં ‘વસુદેવ હિ‘ડી ' એ નામથીજ જાણીતી હોય. . ગ્રન્થના વિષય અને તેની રચનાપદ્ધતિ . ગૂજરાતી તેમજ પ્રાકૃતમાંના હિંડ' ધાતુને અથ · ચાલવું-ફરવું–પરિભ્રમણુ કરવું' એવા થાય છે. એટલે ‘ વસુદેવ-હિંડી ' એટલે · વસુદેવનું પરિભ્રમણુ. ' શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા, અને વર્ષોંના પરિભ્રમણુ દરમ્યાન તેમણે અનેક માનવ અને વિદ્યાધર કન્યા સાથે લગ્ન કર્યાં હતાં તથા અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અનુભવ લીધા હતા તેને વૃત્તાન્ત એ ‘ વસુદેવ-હિંડી'ના કથાભાગનું મુખ્ય કલેવર છે. પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધ કથાઓ, લાકકથાઓ અને વાદસ્થળેા તેમજ તીર્થંકરો, ધર્મપરાયણ સાધુએ અને ધાર્મિક પુરુષોનાં ચરિત્ર તથા બીજી અનેક વસ્તુઓનું નિરૂપણ કરીને, ક્વચિત્ સાહિત્યિક સપ્રમાણતાનેા ભાગ આપીને પણ, આ ગ્રન્થને એક મહાકાય ધર્માંકથા તરીકે રજૂ કર્યાં છે. વસુદેવહિંડી ની કથા મહાવીરસ્વામીએ શ્રેણિક રાજાને તથા સુધર્માસ્વામીએ શ્રેણિકના પુત્ર કણિકને સંભળાવી હતી, અને તે જ કથા વળી સુધર્માંસ્વામીએ પોતાના શિષ્ય જંબૂવામીને કહી હતી. પશુ વસુદેવનાં પરિભ્રમણાના મુખ્ય કથાભાગ ખુદ વસુદેવના મુખમાં જ મૂકવામાં આવ્યે છે. યૌવનકાળના અનેકવિધ અનુભવા અને પરિભ્રમણા દરમ્યાન પોતે ભોગવેલાં સુખદુઃખેા વસુદેવ સ્વમુખે પોતાના યુવાન પૌત્રાને, તેમની વિનંતી ઉપરથી, કહી સભળાવે છે. અર્થાત્ ગ્રન્થની મુખ્ય કથા વસુદેવની આત્મકથારૂપે જ ચાલે છે. . આ ગ્રંથની રચનાપતિ ભારતીય સાહિત્યમાં જોકે અપવાદરૂપ નહીં તે પણ એક રીતે વિશિષ્ટ તે છે જ. વસુદેવની આત્મકથારૂપ મુખ્ય કથાના વિભાગોને ‘લભ-લભક’ ( પ્રા. રુમ્મો ) નામ આપવામાં આવ્યું છે. જે કન્યા સાથે વસુદેવનુ લગ્ન થયું હોય તેના નામ અનુસાર તે તે લંભકનુ પણ નામકરણ થયેલું છે; જેમ કે શ્યામા-વિજયા લંભક, શ્યામલી લંભક, ગન્ધદત્તા લંભક, નીલયશા લંભક, ઇત્યાદિ. ‘ લલક ' શબ્દ સંસ્કૃત રુમ ધાતુ ઉપરથી આવેલા છે, એટલે આ કથાવિભાગે વસુદેવને થયેલી તે તે કન્યાની પ્રાપ્તિના સૂચક છે. ગ્રન્થની આ પ્રકારની યેાજના ભારતીય સાહિત્યમાં અન્યત્ર માત્ર એક જ પ્રાચીન ગ્રંથમાં થયેલી અત્યાર સુધીમાં માલૂમ પડેલી છે, અને તે ગુણુાઢ્ય કવિએ પૈશાચી પ્રાકૃતમાં રચેલી ‘ બૃહત્કથા ’માં. એ કથા સવીસનની પહેલી અથવા ખીજી શતાબ્દીમાં રચાઈ હાવાનુ વિદ્વાનો માને છે. બૃહત્કથા 'ના એ સંસ્કૃત રૂપાન્તરકારો સેામદેવભટ્ટ અને ક્ષેમેન્દ્ર ગુણાઢ્ય કવિને પ્રતિષ્ઠાનના રાજા સાતવાહનના સમકાલીન તરીકે વર્ણવ્યેા છે અને સાતવાહનને, વાજખી રીતે જ, શકપ્રવર્તક શાલિવાહનથી અભિન્ન ગણતાં, આ માન્યતા સમુક્તિક ઠરે છે. આ કથામન્ય એક કાળે ભારતીય સાહિત્યમાં ખૂબ જ લોકપ્રિય હોવા જોઇએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy