SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે સંખ્યાબંધ સંસ્કૃત નાટકે અને કથાગ્રન્થા એને આધારે રચાયેલ છે અને તેમાંની કથાઓની અસરો પ્રાંતિક ભાષાએમાં રચાયેલ સાહિત્ય સુધી પણ કાયમ રહેલી છે. પ્રાચીન ભારતની લૌકિક વાર્તાએને એક આકગ્રન્થ હાવા છતાં બૃહત્કથા ’એ કાઇ ધમાઁગ્રન્થની સાથે સરખાવી શકાય એટલાં આદર અને લોકપ્રિયતા આપણા દેશમાં પ્રાપ્ત કર્યાં હતાં. અનેક સંસ્કૃત કવિએ પોતાની રચનાઓમાં * : બૃહત્કથા ' વિષે માનભેર ઉલ્લેખા કર્યા છે તે પણુ આ દૃષ્ટિએ આપણુ ખાસ ધ્યાન ખેંચે છે. - બૃહત્કથા 'ના નાયક નરવાહનદત્તના પિતા ઉદયનની કથામાં નિપુણુ એવા અવન્તિવાસી ગ્રામોને ઉલ્લેખ મહાકવિ કાલિદાસે કર્યા છે ( પ્રાપ્યાયન્તીનુવચનથાજોનિપ્રામગૃહાર્ । ‘- મેધદૂત, ' પૂ་મેધ, શ્લાક ૩૧ ). મહાકવિ બાણે ‘ બૃહત્કથા'ને એક શ્લિષ્ટ શ્લોકમાં મહાદેવની લીલા સાથે સરખાવી છે ( સમુદ્રીવિતર્યા હતૌરીપ્રસાધના | ઢરહીછેવ નો ચ વિસ્મયાય નૃથા । · હરિત, ' મંગલાચરણુ, શ્લોક ૧૭ ). ‘ વાસવદત્તા 'ના કર્તા સુક્ષ્મએ પણ એક ઉપમામાં બૃહત્કથા 'તા નિર્દેશ કર્યા છે. ( વૃત્તથાજનૈરિત સામજ્ઞિાનિવહૈ:। ). કાવ્યાદર્શ 'કાર દંડીએ અદ્ભુત અથવાળી બૃહત્કથાના ઉલ્લેખ કર્યા છે ( થા દ્દેિ સર્વમામિ: સંસ્કૃતન ચ ચધ્યતે। મૂતમાળામાં પ્રાદુસ્ક્રુતાર્થો હૃદયાત્ ॥ ‘ કાવ્યાદર્શ, ’ ૧-૩૮. ). ‘ નિશીથસૂત્ર ' ઉપરની ચૂર્ણિમાં લૌકિક કામકથા તરીકે નરવાહનદત્તતા કથાની નિર્દેશ છે ( મળેથિીર્દિના જામન્હા । तत्थ लोइया णरवाहणदत्तकथा । लोउत्तरिया તરંગવતી મનપસેળાવીf । ); તથા સ. ૮૩૫ માં પ્રાકૃત ‘કુવલયમાલાકથા ’ રચનાર દાક્ષિણ્યાંક ઉદ્યોતનસૂરિએ એ કથાના મગલાચરણમાં એક ગાથા વડે ગુણાત્મ્ય અને તેની ‘ બૃહત્કથા ’ની પ્રશંસા કરી છે ( सकलकलागमनिलया सिक्खावियकइयणा सुमुहयंदा | कमलासणो गुणड्ढो सरस्सई जस्स वड्डकहा ॥ ). 4 k * દર્શરૂપક 'ના કર્તા અને માલવપતિ મુ ંજના સભાસદ ધનંજયે રામાયણાદિની સાથે ‘ બૃહત્કથા ’ ઉલ્લેખ કર્યાં છે ( સ્ત્યાચશે મિટ્ટુ વસ્તુનિમવજ્ઞાત રામાયળાવિ૨ વિમાન્ય નૃથાં ૨૪ આસૂત્રયેત્તવનુ નેતૃરસાનુનુયાચિત્રાં થામુચિતચાહવશ્વપ્રવઐ: ॥ નિયસાગરનું સંસ્કરણ, ચોથી આવૃત્તિ, પૃ. ૩૩-૩૪) તથા તેના ટીકાકાર અને ભાઈ ધનિક ‘ બૃહત્કથા 'ને મુદ્રારાક્ષસ 'નું મૂળ કહી છે ( તંત્ર વૃથામૂરું મુદ્રારાક્ષસમ્ । એજ, પૃ. ૩૪ ). ભાજરાજના વિનેદાથૅ તિલકમંજરી ' રચનાર કવિ ધનપાલે એ કૃતિના પ્રારંભમાં જ કહ્યું છે કે બૃહત્કથા'ની આગળ ખીજી કથા કથા જેવી લાગે છે ( સત્સ્ય નૃથામ્નોવિવુમાવાય સંòતા:। તેનેતરથાઃ સ્થા; પ્રતિમાન્તિ તપ્રતઃ । પૃ. ૭ ). આચાર્ય હેમચન્દ્રે કાવ્યાનુશાસન 'ની સ્નાપન્ન વૃત્તિમાં કથાના પ્રભેદેમાં બૃહત્કથા 'ના ઉલ્લેખ કર્યા છે ( દ્વિત્તા-દ્રુતાf નાનાત્તાવિચરિતયત્ વૃથા । અધ્યાય ૮, સૂ. ૮). ઇસવીસનની છઠ્ઠી શતાબ્દીના દક્ષિણ હિન્દના એક તામ્રપત્રમાં તથા નવમી શતાબ્દીના કાંઠેાડિયાના એક શિલાલેખમાં પણુ ‘ બૃહત્કથા ’ના આદરપૂર્વક ઉલ્લેખ કરેલા છે. k k . t પણ ભારતીય સાહિત્યને એ અદ્ભુત કથાગ્રન્થ કાળના પ્રવાહમાં ખેંચાઈ ગયા છે; સૈકાઓ પૂર્વે તેને નાશ થઇ ગયા છે. એનાં ત્રણ સક્ષિપ્ત સંસ્કૃત રૂપાન્તરો આજે પ્રાપ્ત થાય છે—બુધસ્વામીકૃત બૃહત્કથાલેાકસંગ્રહ ' ( અનુમાને પાંચમા અથવા છઠ્ઠો સૈકા ), સામદેવભટ્ટકૃત કથાર્તારસાગર ’ ( અગિયારમા સૈકા ) અને ક્ષેમેન્દ્રકૃત * બૃહત્કથામંજરી ' ( અગિયારમા સૈકા ). બુધસ્વામીની કૃતિ નેપાળમાં રચાયેલી છે, જ્યારે સામદેવ અને ક્ષેમેન્દ્રની રચનાએ કાશ્મીરમાં થયેલી છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતમાં વામનભટ્ટની ‘ બૃહત્કથામંજરી ’ રચાયેલી છે, પણ તેને જૂજ ભાગ જ અત્યાર સુધીમાં પ્રાપ્ત થયા છે. અગિયારમા સૈકામાં ‘ બૃહત્કથા ’નાં સંસ્કૃત રૂપાન્તર થયાં છે, એ બતાવે છે કે એક અથવા ખીજા સ્વરૂપમાં એ ગ્રન્થ ત્યાં સુધી તેા વિદ્યમાન હતા. એ પછીના કાષ્ટ ગ્રન્થકારે મૂળ પૈશાચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy