SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કથા ' પેાતાની નજર જોઇ હાય એવા પુરાવા મળતા નથી. ગમે તેમ, પણ મૂળ ગ્રન્થને અભાવૈં તેના વિષયને તથા રચનાપતિને કેટલેક ખ્યાલ આપણને પ્રસ્તુત રૂપાન્તરો ઉપરથી આવે છે. જો કે એક બાજુ બુધસ્વામીનું રૂપાન્તર તથા બીજી બાજુ સામદેવ અને ક્ષેમેન્દ્રનાં રૂપાન્તરા—એ એમાં પણ કેટલાક મહત્ત્વને તફાવત છે. * * એમાં કૌશાંખીપતિ વત્સરાજ ઉદયનના પુત્ર નરવાહનદત્તનાં અનેકવિધ પરિભ્રમણ, પરાક્રમે તથા અનેક વિદ્યાધર અને માનવ કન્યાઓ સાથેનુ તેનું પાણિગ્રહણ વર્ણવેલુ છે. એમાં પણ ‘ વસુદેવ-હિંડી ’ની જેમ સેંકડા નાની-મોટી આડકથાએ આવે છે. અરે, ‘ વૈતાલપચીશી'ની આખીયે વાર્તા પણ ‘ કથાસરિત્સાગર ’માં એક આડકથારૂપે જ મૂકેલી છે ! વળી કાશ્મીરી રૂપાન્તરામાં કથાના વિભાગોને ‘લેખક ’ નામ આપવામાં આવ્યું છે, એટલું જ નહીં પણ જે કન્યા સાથે નરવાહનદત્તનું લગ્ન થયું હોય તેના નામ અનુસાર ધણીવાર તેને લખકનું નામકરણ થયેલુ છે—જેમકે મદનમજીકા લખક, રત્નપ્રભા લેખક, અલંકારવતી લખક, સુરતમ’જરી લખક, ઇત્યાદિ પરન્તુ ‘ લીંબક ’ જેવા કાઇ શબ્દ સંસ્કૃત ભાષામાં નથી, અને ધારો કે એવા શબ્દ હાય તા પણ તેને અથ · પ્રાપ્તિ' એવા થઇ શકે નહીં. આથી એમ અનુમાન થાય છે કે સામદેવભટ્ટ અને ક્ષેમેન્દ્ર જેવા સંસ્કૃત રૂપાન્તરકારોએ મૂળ ‘બૃહત્કથા'ના કથાવિભાગ સૂચવતા હંમો અથવા તેને મળતા પૈશાચી ભાષાના કાઇ શબ્દને, સંસ્કૃત ગ્રન્થકારો લેાકભાષાના શબ્દોની બાબતમાં ઘણીવાર કરે છે તેમ, ‘લખક’ એવું બનાવટી સંસ્કૃત રૂપ આપી દીધું હાય. (દિગંબર વિદ્વાન વાદીસિંહે પોતાના ગદ્ય-ચિન્તામણિ’ ગ્રન્થમાં નાયકને પત્નીની પ્રાપ્તિ વર્ણવતા કથાપરિચ્છેદેને ‘લખ’ નામ આપ્યું છે, એ વસ્તુ પણ આ સંભિવતતાનું સમર્થન કરે છે.) અલબત, જ્યાં કન્યાની પ્રાપ્તિના પ્રસંગ નથી એવા કેટલાક કથાભાગાને પણ ‘કથાસરિત્સાગર’માં 'લખક' નામ આપેલુ છે, જેમકે લાવાણુક લખક, સ પ્રભ લખક, મહાભિષેક લખક ઇત્યાદિ; પરન્તુ અહીં ‘ લખક ’ શબ્દ ઉપત્તિરહિત છે, કારણ કે એ વડે ક્રાઇ પ્રાપ્તિનું સૂચન થતું નથી. સંભવ છે કે આ ફેરફાર કદાચ સંસ્કૃત રૂપાન્તરકારોના હાય, અને રુક્ષ્મ શબ્દા વ્યુત્પત્તિમૂલક અર્થ વીસરાયાને કારણે એ શબ્દને તેમણે એ રીતે માત્ર કથાવિભાગ સૂચવવા માટે રૂઢિથી પ્રયાગ કર્યાં હાય. ગમે તેમ, પણ કથાના કલેવરની એકંદર યાજનાની બાબતમાં ‘ બૃહત્કથા' અને ‘ વસુદેવહૂંડી ' નુ અસાધારણ સામ્ય છે એ તે આ ઉપરથી સહેલાઇથી જોઇ શકાશે. : વળી સંખ્યાબંધ પાત્રાનાં નામે અને પ્રસ ંગાની ખાખતમાં પણ ‘ બૃહત્કથા ’ અને ‘વસુદેવ’િડી’ વચ્ચે નોંધપાત્ર સામ્ય છે. આ સબંધમાં વિશેષ વિસ્તાર અહીં અનાવશ્યક છે, પરન્તુ જિજ્ઞાસુ વાચકને ‘ બૃહત્કથામંજરી ’ કે ‘ કથાસરિત્સાગર ’ ની એકાદ વિસ્તૃત અનુક્રમણિકા ઉપર ઊડતી નજર નાખવા મારી ભલામણ છે. બૃહત્કથા * એક લૌકિક કથા હતી. એના કર્તાના ઉદ્દેશ કેવળ સાહિત્યિક આનંદ આપવાને હતા. ‘ વસુદેવ-હિંડી ’તે પણ તેના પ્રધાન કથાઅંશની બાબતમાં–વસુદેવનાં પ્રણયવિષયક પરાક્રમેની બાબતમાં જોઇએ તો તે પણ એક ઐતિહાસિક લૌકિક કથા જેવી જ લાગશે; શ્રમણ ગ્રન્થકર્તાતી ધમ બુદ્ધિએ જ એ લૌકિક કથાના ઉત્તમ ધમકથારૂપે પરિણામ નીપજાવ્યેા છે એમ કહીએ તે વધારે પડતુ નથી. ' બૃહત્કથા ' ઈસવીસનના પ્રારંભકાળમાં રચાયેલી છે. ‘ વસુદેવ-હિંડી નેા રચનાકાળ તેનાથી ખે ત્રણ સૈકા પછીને છે. સંભવ છે કે સધદાસણને ‘ બૃહત્કથા ’ જેવી ઉચ્ચ સાહિત્યક ગુણવત્તાવાળી અને વિપુલ વિસ્તારવાળી લૌકિક કથા જોઇને એવી એક ધર્માંકથા રચવાની ઇચ્છા થઇ હોય, અને પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy