SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ . બૃહત્કથા 'ની. આયાજનાના મુખ્ય અશા ધ્યાનમાં રાખીને તેમણે ‘ વસુદેવ—હિ'ડી'ની રચના કરી હાય.પ ગ્રન્થકારે પ્રારંભમાં કહ્યું છે તેમ, મૂળ વસ્તુ પરત્વે તે ‘ વસુદેવ-હિંડી’ પ્રાચીનતર એવા ‘પ્રથમાનુયાગ ’ ગ્રન્થની ઋણી છે, પછી એ વસ્તુની આયેાજના અને વિસ્તાર પરત્વે ‘ બૃહત્કથા ' સાથેનું તેનુ અસાધારણ સામ્ય આપણને આમ માનવા પ્રેરે છે. . ' . . · વસુદેવહિડી પ્રથમ ખંડ નીચે પ્રમાણે છ વિભાગામાં વહેંચાયેલા છે—કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર અને ઉપસહાર. કથાની ઉત્પત્તિ, પીઠિકા અને મુખ એટલામાં કથાને પ્રસ્તાવ આવે છે. એમાં વળી કથાની ઉત્પત્તિ એ વિભાગમાં તપશ્ચર્યાનાં ફળરૂપે આ લોકમાં જ ખત્રીસ કન્યાએ પરણીને અનેક પ્રકારે સુખ ભોગવનારા સાવાહપુત્ર ધમ્મિલનો કથા ધમ્મિલ—હિ'ડી' એ નામથી વિસ્તારપૂર્વક આપવામાં આવી છે એ પણ શૃંગારકથાના બ્યપદેશથી કહેવાયેલી ધર્માંકથા જ છે. એમાં શ્રેણિકના વસુદેવ વિષેના પ્રશ્નના ઉત્તરમાં, “ આ પછી ભગવાને શ્રેણિકને, સત્ત કહી શકે તેવી રીતે, વસુદેવચરિત કહ્યું ” (પૃ. ૩૨ ) એવા સ્પષ્ટ નિર્દેશ પછી વસુદેવચરિતને બલે લગભગ ૫૫ પાનાનુ મ્મિલરિત આવે છે, એથી એક માઢુ વિષયાન્તર થાય છે. જો કે વિષયાન્તરે અને અવાન્તર કથાઓની આ ગ્રન્થમાં કાઇ નવાઇ નથી. પ્રતિમુખમાં વસુદેવ પોતાની આત્મકથાને પ્રારંભ કરે છે. રુકિમણીના પુત્ર સાંખનું લગ્ન સત્યભામાના પુત્ર સુભાનુ માટે એકત્ર કરવામાં આવેલી ૧૦૮ કન્યાઓ સાથે થયું હતું. આથી પ્રદ્યુમ્ને વસુદેવને કહ્યું, “ આ તમે સે। વર્ષ સુધી ભમ્યા ત્યારે અમારી દાદીઓને મેળવી, પણુ સાંબના અંતઃપુરમાં જીએ; સુભાનુ માટે એકત્ર કરેલી કન્યાએ એકી સાથે સાંબને પરણી ગઇ '' (પૃ. ૧૩૯ ). વસુદેવે પ્રદ્યુમ્નને કહ્યું”, ‘‘ સાંભ કૂવાના દેડકાની જેમ સહેલાઈથી પ્રાપ્ત થયેલા ભાગથી સંતુષ્ટ થયેલા • છે. હું તે। માનુ છું કે મેં પરિભ્રમણ કરતાં કરતાં જે સુખ અથવા દુ:ખ અનુભવ્યાં છે તે બીજા ક્રાઇ પુરુષે ભાગ્યે જ અનુભવ્યાં હશે ( પૃ. ૧૩૯-૪૦ ). આથી પ્રદ્યુમ્નની વિનંતી ઉપરથી વસુદેવે પોતાનાં પરિભ્રમણુના વૃત્તાન્ત કહી સંભળાવ્યેા. એ વૃત્તાન્ત તે ‘ વસુદેવ-હિ’ડી ’. ' વસુદેવની આત્મકથાના ખરા અર્થાંમાં વિસ્તાર ‘રારીર’એ વિભાગથી થાય છે. લલકાના પ્રારંભ પશુ ત્યાંથી જ થાય છે. ‘વસુદેવ–હિડી’ના આ પ્રથમ ખંડમાં કુલ ૨૮ લભક છે; તેમાંથી ૧૯-૨૦ એ એ લંભક ઉપલબ્ધ થતા નથી૬ તથા ૨૮ મે લલક અપૂર્ણાં મળે છે. અપૂર્ણ ૨૮ મા લભકને છેવટના ભાગ ૫. ‘ વસુદેવ-હિંડી ’– મધ્યમ ખંડના કર્તા શ્રીધર્મસેનગણિ મહત્તરે પેાતાના એ ગ્રન્થના પ્રારંભમાં જ • અહમ્થા 'ના નાચક નરવાહનન્તત્તના નામનિર્દેશ નીચે પ્રમાણે કર્યાં છે.—મુળરૢ વાળારાં ૨ | સોળ છોડ્યાળઙળેાળદુલ-ખ-ધુંધુમાર-ળિસદ્-બુહ્મવ-મંધાતામ-રામળ-ઝાળમેયા-ઢોરવ-જંતુજીય-વાદળટ્ત્તાફાળું દ્દાઓ ામિયાઓ જોશો તેનું હામાપુ રન્નતિ | આ પ્રમાણે લેાકા કામક્થાઓમાં રસ લેતા હાવાથી પાતે શૃંગારકથાના બ્યપદેશથી ધર્મી કહે છે એમ પણ તેમણે સ્પષ્ટ કહ્યુ` છે—ામજદ્વારજ્ઞદ્વિતયરસ બળસ સિંગારાવવજ્ઞેળ ધમ્મ ચૈવ રિહેમિ ॥ વળી આગળ કહ્યુ છે—દુળ હારમેળ મળમિ-જામન્ના વિ વિકલનયિબિહિત્તા ઉગામવસેળ ધમ્મમંદાર્ સંવ્રુતિ । અર્થાત્ ‘વસુદેવ−હિંડી ’ની કથાનું ખાપુ ‘બૃહત્કથા ની જેમ શૃંગારકથાનુ છે અને તેમાં ગ્રન્થકર્તાએએ ધર્મપદેશના સભાર ભર્યાં છે એમ માનવામાં બાધ નથી. ૬. આ અનુપલબ્ધ લલકા પૈકી એકનું નામ · પ્રિયદર્શીના લલક' હોવુ જોઇએ, કારણ કે છેલ્લા ‘દેવકીલલક ’માં * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy