SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૦ ] વસુદેવ—હિંડી: : પ્રથમ ખ'ડ : વાર ત્રિશેખર માટુ' સૈન્ય લઇને આવ્યે તેણે અમયુક્ત અને યુદ્ધ કરતા વિદ્વેગને નગર મહાર જીવતા પકડ્યો અને કેદમાં નાંખ્યા. તેને વારવાને અશક્ત એવા અમે પરિવાર સહિત નગરમાંથી નીકળ્યા, અને આ પર્વત ઉપર આવ્યા. અમારા પૂર્વ પુરુષાએ વસાવેલું અરિંજય નગર તેણે લીધું, અને અત્યારે તે ( એ નગર ) ભાગવે છે. પછી નૈમિત્તિકના આદેશ સવાદ પામ્યા ( અર્થાત્ તમે મળ્યા ). સંતુષ્ટ થયેલા અમે મદનવેગાને વરમાાં નિમિત્તે તમારી પાસે માકલી. તમે એ વસ્તુ સ્વીકારી. ( તમારી સહાયથી ) વેરથી મુક્ત થયા છીએ એમ માનતા અમે એ કન્યા તમને આપી. ” આ પ્રમાણે દધિમુખે કહ્યું.૧ ‘ એ ત્રિશેખર માયાવી છે, અને અસ્ત્રોમાં વિશારદ છે’ (એમ મને કહેવામાં આવતાં) મેં પણ તેની પરીક્ષા નિમિત્તે દધિમુખના ઉપદેશથી અન્ના સાધ્યાં, અને તે સિદ્ધ થયાં. પછી કેટલાક દિવસ વીત્યા બાદ મદનવેગા કન્યા કાઈ માનવને આપવામાં આવી છે’ એમ સાંભળીને રાષે ભરાયેલે ત્રિશેખર પેાતાના સૈન્ય અને વાહન સાથે આવ્યેા. ત્રિશેખરના સૈન્યથી ત્રાસ પામેલા લેાકેાને કાલાહુલ મેં સાંભળ્યે. એટલે મેં ધિમુખને કહ્યું, “ વિષાદ ન કરીશ. ત્યાં જઇને એ ત્રિશેખરનેા હું નાશ કરીશ, અને મારા સસરાને છેાડાવીશ. મૃત્યુથી પ્રેરાયેલેા ત્રિશેખર પાતે જ અહીં આવ્યેા છે, તેા ખરેખર આપણ્ કાર્ય સિદ્ધ થયુ છે. ” પછી હું કવચ પહેરીને જેને ધેાળા ઘેાડા જોડેલા હતા એવા, સુવર્ણ'ની ઘટડીઓથી શબ્દાયમાન, નિપુણ શિલ્પીએ ઘડેલા અને જેમાં અનેક પ્રકારનાં શસ્રો ભરેલાં હતાં એવા રથ ઉપર આરૂઢ થયા. ધિમુખ મારા સારથિ થયા. દવેગ, ચંડવેગ વગેરે ચેાદ્ધાએ પેાતાના રસાલા સહિત ઉત્તમ અશ્વ અને હસ્તીઓ ઉપર ઝડપથી બેઠા. પછી શત્રુએના અને અમારા સૈન્યનું યુદ્ધ થયું. પૂર્વે જેમને વિજય મન્યેા હતા એવા ત્રિશેખરના ચાદ્ધાએ કહેતા હતા, શરણાગતવત્સલ રાજાને પ્રણામ કરા, જેથી તમે અહીં જ નાશ ન પામેા. ” એટલે દડવેગે કહ્યુ, “ બડાઈ મારવાથી શું? સામર્થ્ય બતાવા; જે ભયભીત નહીં થતા હાય તે પ્રકટ થશે-માલૂમ પડશે. ” પછી ખાણુનાં જાળાં વડે એકબીજાને ઢાંકી દેતા શૂરવીરા યુદ્ધ કરવા લાગ્યા. ત્રિશેખરે તામસ શસ્ર મૂકયું, તેથી બધે અંધકાર થઇ ગયા. માત્ર શબ્દથી જ દુશ્મનના અથવા પેાતાના પક્ષ જાણીને (ચાહાએ) તર્જના કરવા લાગ્યા. અમારા સૈનિકા ( અથવા અમારી શ્રેણિ-હરોળમાં રહેલાએ ) ડરી ગયા. મારાં ખાણાના વરસાદથી તેનાં અસ્ત્રોને પરાસ્ત કરવામાં આવ્યાથી કાપે ચઢેલા માયાવી ત્રિશેખર, જાણે પર્વતને ઢાંકી દેતા મેઘ હોય તેમ, શૂર! હવે તારી જાતનું રક્ષણ કર' એ પ્રમાણે ગ ના કરતા આણ્યે. આકાશમાં અમુક પ્રકારના રંગ થવાથી જેમ મેઘ રોકાઇ જાય તેમ મે' પણ લઘુહસ્તપણે-ચતુરાઇથી તેની બાણવર્ષાને નિષ્ફળ બનાવી. પછી તેણે શિત 66 " ૧. ત્રિમુખના કથનના પૂર્વાનુસધાન માટે જીએ આ લંભકના પ્રારંભમાં પૂ. ર૯૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy