SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ મદનગા લંભક [ ૩૧ ] સાધનમાં પરાયણ રહેલે જાણીને રામના દ્ધાઓ નગરમાં પ્રવેશીને (નગરને) પરાભવ કરવા લાગ્યા. આથી શુદ્ધ થયેલે તે કવચ પહેરી સજજ થઈ રથમાં બેસીને નીકળે. દારુણ યુદ્ધ કરીને પછી તે લક્ષમણની સાથે લડવા લાગ્યો. જ્યારે સર્વ શસ્ત્રો નિષ્ફળ ગયાં ત્યારે અવિષણ માનસવાળા અને રોષયુક્ત નયનવાળા તે રાવણે લક્ષમણનો વધ કરવા માટે ચક્ર મૂકયું. પણ તે લક્ષ્મણની મહાનુભાવતાના પ્રભાવથી તે ચક્ર તેના વક્ષસ્થળ ઉપર તુંબથી પડયું (આડું પડયું-ધારથી ન પડયું). અમૂઢ હૃદયવાળા લક્ષમણે તે ચક્ર રાવણના વધ માટે મૂકયું; દેવતાવડે અધિષિત એવું તે ચક કુંડલ અને મુકુટ સહિત તેનું મસ્તક છેદીને પાછું લક્ષમણુની પાસે આવ્યું. ગગનતલમાં રહેલા ઋષિવાદિત અને ભૂતવાદિત દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, અને ગગનમાં નાદ કર્યો કે ભારતવર્ષમાં આ આઠમ વાસુદેવ ઉત્પન્ન થયે છે.” પછી સંગ્રામ શાન્ત થતાં વિભીષણ સીતાને લાવ્યા, અને વિદ્યાધરવૃદ્ધાઓ વડે પરિવરાયેલી એવી તેનું વિસર્જન કર્યું–રામને સેંપી. (રામની) અનુમતિ મળતાં વિભીષણે રાવણના શબને સંસ્કાર કર્યો. પછી રામ-લક્ષમણે અરિજયનગરને ઉદ્દેશીને વિભીષણને અને વિદ્યાધરશ્રેણિમાંના નગરને ઉદ્દેશીને સુગ્રીવનો અભિષેક કર્યો. પછી પોતાના પરિવાર સહિત અને સુગ્રીવ સહિત વિભીષણ, સીતા સહિત રામને વિમાનમાં અધ્યા નગરી લઈ ગયે. નાગરિકો અને મંત્રીઓ સહિત ભરત-શત્રુદને રામને રાજા તરીકે અભિષેક કર્યો. પછી મહાપ્રભાવવાળા અને સુગ્રીવ સહિત એવા રામે અધ ભારતનો વિજય કર્યો. વિભીષણ રાજા અરિજય નગરમાં રહ્યો. (દધિમુખ વસુદેવને કહે છે) હે આર્યપુત્ર! તે વિભીષણે રાજાના વંશમાં વિદ્યુબૅગ નામે રાજા હતો, તેની વિધ...ભા નામે દેવી હતી. તેના પુત્રો અમે ત્રણ જણ-દધિમુખ, દંડવેગ અને ચંડવેગ છીએ, તથા મદનગા પુત્રી છે. કોઈ એક વાર રાજાએ સિદ્ધાદેશને (જેને આદેશ સિદ્ધ થાય છે એવા નૈમિત્તિકને) પૂછયું, “ભગવદ્ ! આ રૂપવતી કન્યા કેની ભાર્યા થશે અને એની રિદ્ધિ કેવી થશે ?” ત્યારે તેણે જઈને કહ્યું, “રાજન ! આ કન્યા અધ ભારતના અધિપતિ(વાસુદેવ)ના પિતાની ભાર્યા થશે તેની માનીતી તથા પુત્રને જન્મ આપનારી થશે.” એટલે રાજાએ પૂછયું, “ભગવન્! તે પુરુષને કેવી રીતે ઓળખો? અથવા તે ક્યાં રહે છે ?” નૈમિત્તિકે જોઈને કહ્યું, “રાજન ! તારો પુત્ર દંડવેગ વિદ્યાસાધન કરતો હોય તે વખતે જે તેના ઉપર પડે (તેને એ કન્યાને પતિ જાણો ) એની મહાનુભાવતાને લીધે તત્ક્ષણ દંડવેગને વિદ્યાસિદ્ધિ થશે.” પછી જેને સત્કાર કરવામાં આવ્યું હતું એ નૈમિત્તિક ગયે દિવિતિલક નગરમાં ત્રિશેખર રાજા છે, તેની દેવી સૂર્પણખા અને પુત્ર હેફગ છે. તેની સાથે મારા પિતા વિધ્વંગને પૂર્વપુરુષોથી ચાલતે લાંબા કાળને વિરોધ છે. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy