SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૮ ]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : નિયુક્ત કર્યા. તે બન્ને ભાઈઓ (વાલિ અને સુગ્રીવ) સમાન રૂપવાળા અને સુવર્ણમાલા વડે સુશોભિત શરીરવાળા હતા. તેમને વિશેષ-ભેદ નહીં જાણતા રામે બાણ છોડ્યું. વાલિએ સુગ્રીવને પરાજ્ય કર્યો. પછી સુગ્રીવનું વનમાલા વડે વિશેષણ કરવામાં આવ્યુંભેદ દર્શાવવામાં આવ્યું. એટલે એકમાત્ર બાણથી વાલિનો નાશ કરીને રામે સુગ્રીવને રાજા તરીકે સ્થાપિત કર્યો. પછી સીતાને વૃત્તાન્ત જાણવા માટે હનુમાન ગયા. તેણે (પાછા આવીને) રામને પ્રિય વસ્તુ નિવેદન કરી–સીતાની ભાળ આપી. પછી રામની સૂચનાથી સુગ્રીવે ભરતની પાસે વિદ્યાધરો મોકલ્યા. ભરતે ચતુરંગ સેન્ય મોકલ્યું. સુગ્રીવ સહિત અને વિદ્યાધરોવડે પાલન કરાયેલું તે સૈન્ય સમુદ્રના તીરે આવ્યું. ત્યાં સમુદ્રના મધ્યભાગની સંધિમાં સેતુ બાંધવામાં આવ્યે સન્ય લંકા સમીપે ઊતર્યું અને ત્યાં શુભ મુહૂર્તમાં પડાવ નાખવામાં આવ્યા. પિતાના પરિવાર અને સભ્ય સહિત રાવણ પણ સિન્ય સહિત રામની ગણના કરતે નહતા. પછી વિભીષણે વિનયપૂર્વક પ્રણામ કરીને રાવણને વિનંતી કરી, “રાજન ! હિત વસ્તુ અપ્રિય હોય તે પણ તે વડીલે, સેવકે અથવા બંધુજને સ્વામીને કહેવી જોઈએ. રામની ભાર્યા સીતાનું હરણ કરીને તમે અયુક્ત કાર્ય કર્યું છે. કદાચ એ ભૂલ થઈ હશે, પણ હવે સીતાને પાછી આપે. કુલક્ષય કરાવવાથી બસ કરો. ખર-દૂષણ અને વાલિ વિદ્યા સહિત હોવા છતાં રામે તેમને વિનાયને નાશ કર્યો છે. સ્વામીએ પણ સેવકની પત્નીનીયે ઈચ્છા ન કરવી જોઈએ, તે પણ પછી બલવાન એવા બીજા મનુષ્યની પત્નીની તે વાત જ શી? રાજાઓ માટે તે ઈન્દ્રિયજયમાં વિજય રહેલો છે. મેધાવી પુરુષે ચતુર્વિધ બુદ્ધિ વર્ણવે છે મેધા, કૃતિ, વિતર્ક અને શુભ કાર્યમાં અભિનિવેશ. તમે મેધાવી અને મતિમાન છે, એટલે ગમે તે રીતે કાર્યસિદ્ધિના કારણ રૂપ છે, પણ તમારો અભિનિવેશ-આગ્રહ અકાર્યમાં છે, આથી તમને વિનંતી કરું છું. જે કેળિયે ખાઈ શકાય, ખાધા પછી પચી જાય, અને પચ્યા પછી પચ્ચ થાય, તે ખાવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને હિતબુદ્ધિવાળા તમે રામભાર્યાને પાછી આપે. (એથી કરીને) પરિજનનું કલ્યાણ થાઓ.” પછી આવી રીતે કહેવા છતાં પણ જ્યારે રાવણે સાંભળ્યું નહીં ત્યારે વિભીષણ ચાર મંત્રીઓની સાથે રામ પાસે ગયે. સુગ્રીવની અનુમતિથી વિનીત ગણીને રામે વિભીષણનું સન્માન કર્યું. વિભીષણના પરિવારમાં જે વિદ્યાધરો હતા તે રામની સેનામાં ભળી ગયા. પછી તેઓનું-રામના પક્ષવાળા અને રાવણના પક્ષવાળાનું, વિદ્યાધરનું અને ધરણિગચરોનું યુદ્ધ થયું. દિવસે દિવસે રામનું સૈન્ય વધવા માંડયું. પછી જેનો મુખ્ય યોદ્ધાવર્ગ નાશ પામ્યું છે એવો તથા સંગ્રામમાં વિજયની આકાંક્ષા રાખતો રાવણ સર્વ વિદ્યાઓનું છેદન કરનારી વાલવતી વિદ્યાની સાધના કરવા લાગ્યા. રાવણને વિદ્યા ૧. મૂળમાંના પૂવવંતસમદમસ એ શબ્દનો અર્થ અસ્પષ્ટ રહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy