________________
સેમી લંક
[ ૨૪૧ ]
માનીતી પ્રતિહારી હતી. વિશ્વભૂતિ નામે તેને બહુશ્રુત પુરહિત હતે. સગરે પિતાની પ્રતિહારીને અધનને ત્યાં મોકલી કે, “સ્વયંવરનો દિવસ જાણે લાવ.” એટલે પ્રતિહારી દિતિ દેવીના ગૃહે ગઈ. તે વખતે દિતિ સુલતાની સાથે અમદવનમાં લતાગ્રહમાં વાત કરતી બેઠી હતી. દેવીનાં પરિજનોએ નહીં અટકાવેલો મંદદરી પ્રમદવનમાં પ્રવેશી. પછી નજદીક આવીને “મા-દિકરીની ગુપ્ત વાતો સાંભળું” એમ વિચારીને તે છુપાઈને ઊભી રહી. એ સમયે દિતિ રડતી હતી, તેને સુલસાએ કહ્યું, “માતા ! તું રઈશ નહીં. માતા-પિતાએ જેનું દાન આપ્યું છે એવી કન્યા માતા-પિતાથી અવશ્ય જુદી પડે છે. ” દિતિએ કહ્યું, “ બેટા ! તારાથી વિયોગ થશે એમ વિચારીને હું રડતી નથી. તારા પિતાએ તને સ્વયંવર આપે છે, એટલે તું આપણું કુલધર્મનું ઉલ્લંઘન કરીશ એમ વિચારતાં મને માનસિક દુઃખ થયું.” કન્યા બોલી, “એવું કેમ બોલે છે? અમંગળ કેમ કરે છે? હું કુલધર્મનું ઉલ્લંઘન કરીશ, એવી શંકા તને કેમ થઈ?”દિતિએ કહ્યું, “હે બેટા ! સાંભળ
સુર અને અસુરોના અધિપતિઓનાં વૃએ જેમનાં ચરણકમળમાં વંદન કરેલું છે એવા જગતપિતામહ ઝાષભદેવ નામે પ્રથમ રાજા આ નગરમાં હતા. તેમને સો પુત્ર હતા. તેમાં ભારત અને બાહુબલિ એ બે મુખ્ય હતા. ઇષભદેવે સો પુત્રને સો નગર અને સો જનપદ આપીને દીક્ષા લીધી. તેમાં ભારત ભારતવર્ષના ચૂડામણિ સમાન હો, અને તેના નામથી જ આ ભૂમિ ભરતવર્ષ નામથી ઓળખાય છે. તે ભારત વિનીતા નગરીને અધિપતિ હતો. બાહુબલિ હસ્તિનાપુર અને તક્ષશિલાને સ્વામી હતો. ભરત રાજાના આયુધગૃહમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી ચક્રરને માર્ગ દર્શાવ્યા પ્રમાણે ગંગા મહાનદીના દક્ષિણ કિનારેથી ભરતવર્ષ ઉપર વિજય કરતા, પૂર્વમાં માગધતીથકુમાર વડે “હું દેવને આજ્ઞાકારી અંતપાલ (સીમાડાને રક્ષક) છું” એ પ્રમાણે પૂજાયેલે, દક્ષિણમાં વરદામતીથકુમાર વડે પ્રણામપૂર્વક સત્કારાયેલ, પશ્ચિમમાં પ્રભાસ(તીથકુમાર) વડે સન્માનિત થયેલે, પછી સિધુદેવી અને વૈતાઢ્યકુમાર વડે પ્રણામ કરાયેલે, તમિસાગુહાના અધિપતિ કૃતમાલ દેવે જેને માર્ગ આપે છે એ, ઉત્તરાર્ધભરતના નિવાસી ચિલાત (ભિલ) લેકને પક્ષ કરનાર મેઘમુખ દેવોએ કરેલા મેઘવર્ષાના ઉપસર્ગનું નિવારણ કરવા માટે છત્ર અને ચર્મરત્નને જાણે કે સંપુટ કરીને જેણે સેનાનું રક્ષણ કર્યું હતું એ, હિમવંતકુમારે વિનયપૂર્વક જેને સન્માન અને પ્રણામ કર્યા હતાં એવો, ઋષભકૂટ પર્વત ઉપર જેણે પિતાનું નામ અંકિત કર્યું હતું એ, જેના સેનાપતિએ સમુદ્ર અને
૧. મગધ તીર્થને અધિષ્ઠાતા દેવ. ૨. વૈતાઢયની એક ગુફા.
5. છત્રરત્નની નીચે બેસવાથી વરસાદ ન પડે. ચર્મરત્ન પાથરીને તે ઉપર સૈન્ય બેસે, એટલે પાણી ઉપર તે તરે. ઉપર છત્રરત્ન અને નીચે ચર્મરત્ન એ રીતે જાણે કે એક પ્રકારને સંપુટ રચીને તે વડે મેઘમુખ દેના ઉપસર્ગમાંથી ભરતે પિતાના સૈન્યનું રક્ષણ કર્યું હતું.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org