SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - [ ૨૪૨ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : હિમવંત પર્વતની વચ્ચેના પ્રદેશ ઉપર વિજય કર્યો હતો એ, નમિ અને વિનમિ એ વિદ્યાધરોના અધિપતિઓએ જેને સ્ત્રીરત્ન ભેટ ધર્યું હતું એ, ગંગાદેવીએ જેને પ્રણામ કર્યા હતાં એ, હિમવંત, વૈતાઢ્યની ગુફા અને ગંગા નદીના પૂર્વભાગ ઉપર જેણે વિજય મેળવે છે એ જે ખંડપ્રપાતા ગુફામાંથી બહાર નીકળે છે તથા જેને નવનિધિ પ્રાપ્ત થયા છે તેમજ ગંગા અને વૈતાઢ્ય વચ્ચેના પ્રદેશના રાજાઓએ જેને રત્નપૂર્ણ કેશ ભેટ મોકલે છે એવો તે ભરત વિનીતા નગરીમાં પાછા આવ્યા. પછી મહારાજાધિરાજ તરીકે પોતાને અભિષેક થયા પછી ભારત પિતાના અઢાણું ભાઈઓને કહેવા લાગ્યો, “સાઠ હજાર વર્ષે મેં વિદ્યારે સહિત ભરતવર્ષ ઉપર વિજય કર્યો છે. તમે મારા પ્રદેશમાં રહો છે, માટે મારી સેવા કરે અથવા મારા પ્રદેશમાંથી બહાર નીકળી જાઓ.” ત્યારે ભાઈઓએ કહ્યું, “આ પ્રદેશે પિતાએ અમને આપ્યા છે, માટે અમને આજ્ઞા આપવાને તમે યેગ્ય નથી.” પણ જ્યારે ભરત પિતાની સેવા નિમિત્તે તેમને વારંવાર દબાણ કરવા લાગે ત્યારે તે સર્વે શ્રી ઋષભદેવની પાસે ગયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા, “તાત! તમે અમારા ઉપર કૃપા કરી હતી, પણ ભરત અમને હેરાન કરે છે, માટે અમારે શું કરવું તે કહે. ” ભગવાને વૈરાગ્યજનક વચને વડે તેમને બેધ આપે અને સર્વોચ્ચ દેવભાવનું તેમને સ્મરણ કરાવ્યું. પછી વૈકાલિક વૃત્ત (ભૂતકાલીન વૃત્તાંત દ્વારા સંબધિત થયેલા અને તીર્થકર ભગવાનના વચનામૃત વડે સંસિક્ત થયેલા હૃદયવાળા તે ચરિમશરીરી–તભવમોક્ષગામી અઠ્ઠાણું જણા હાંસોંસીની વાત મૂકી દઈને શ્રમણો થયા. બાહુબલિનું ભારત સાથે યુદ્ધ, દીક્ષા અને જ્ઞાનેત્પત્તિ પછી તેમના પુત્રોને રાજ્ય સોંપીને ભરતે તક્ષશિલાધિપતિને (બાબલિને) દૂત મેક કે, “મારી સેવા કર.” બાહુબલિએ દૂતને કહ્યું, “ભલે, ભરતે ભરતવર્ષ છત્યે છે, તેના સિવાય બીજો કેણુ પ્રભુત્વને મેગ્ય છે ? પણ પિતાએ મને જે ભૂમિભાગ આપે છે તેને પણ જે બીજા રાજાઓના જેવો જ કરવાનું તે કહેતા હોય તે એ બરાબર નથી. ” આ સમાચાર લઈને દૂત ભારતની પાસે ગયો, તથા તેણે બધી વાત નિવેદન કરી. પછી ભરત પિતાના સર્વ સૈન્ય સહિત તક્ષશિલાના પ્રદેશ તરફ ઊપડ્યો. બાહુબલિ પણ પોતાના પ્રદેશમાંથી બહાર આવ્યું. રાજ્યના સીમાડા ઉપર બને આવ્યા. પછી તેમનું ઉત્તમ પ્રકારનું યુદ્ધ થતાં દષ્ટિયુદ્ધમાં પરાજિત થયેલે ભરત બાહુબલિ વડે જીતાઈ ગયે. પછી મધ્યમ પ્રકારનું મુણિયુદ્ધ શરૂ થયું. તેમાં પણ પિતાને જીતાયેલે જાણીને ભારત વિચાર કરવા લાગ્યા, “શું હું ચક્રવતી નહીં હોઉં ? બાહુબલિ મારાથી ૧. સામસામું જોતાં ભારતની આંખ મીંચાઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy