SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: મૂકીને પરમ સંવિગ્ન ભરતરાજા, સુર અને અસુરના અધિપતિઓ તથા ઈન્દ્રાદિ દેવે વારિત્રના મોટા નિનાદ સહિત કુસુમની વૃષ્ટિ કરતા થોડેક દૂર લઈ ગયા અને ત્યાં ગોશીષ ચંદનની ચિતાઓમાં એ શરીરને મૂકયાં. યથાનુક્રમે શ્રુતિમધુર સ્તવનવડે સ્તુતિ કરતા દેવો અને ગન્ધ અપ્સરાઓ સહિત એ ચિતાઓની પ્રદક્ષિણા કરવા લાગ્યા. પછી ઈન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવોએ અગ્રિમુખને વિકુવીને અગ્નિ ઉત્પન્ન કર્યો. ત્યારથી “દે અગ્નિમુખ છે” એ કથન કેમાં રૂઢ થયું. પછી મોટા પ્રમાણમાં સુગંધી ગન્ધદ્ર, ઘી અને મધ ચિતામાં નાખીને દેએ સિદ્ધશરીરોનું દહન કર્યું. પછી ઉદધિકમાર દેએ ક્ષીરદ સાગરના સલિલથી ચીતાઓ એલવી. ઈન્દ્રોએ મંગલાથે જિનશરીરની દાઢે લીધી, રાજાઓએ સિદ્ધોના શરીરના અવય(નાં અસ્થિ) લીધાં અને લોકો તથા બ્રાહણે ચિતામાંથી અગ્નિ પોતાને ઘેર લઈ ગયા. એ અગ્નિને સ્થાપન કરીને તેઓ તેનું પ્રયત્ન પૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા. કેઈને ઉગ્ર શરીર પીડા થઈ હોય તો એ ભસ્મનું લેપન કરવાથી તે સ્વસ્થ થતા હતા. પછી તેઓ એ અગ્નિનું ચંદનકાઇથી સંરક્ષણ કરવા લાગ્યા. ભરત રાજા પણ પૂજા કરવા લાગ્યો. તે સમયે બ્રાહ્મણોના અગ્નિકુંડની ઉત્પત્તિ થઈ. ભરતે જિનેશ્વરની નિર્વાણભૂમિ ઉપર સ્તુપ કરાવ્યો અને તેને મહિમા કરવા લાગ્યા. બ્રાહ્મણે પણ જિનેશ્વર પ્રત્યેની ભક્તિથી અને ચક્રવતીની અનુમતિથી તેની પૂજા કરવા લાગ્યા. જિનેશ્વર અને ચક્રવતી પ્રત્યે ભક્તિ રાખનારા તેઓ ત્યાં એકત્ર થવા લાગ્યા. આદિત્યયશ વગેરે (ભરતના વંશજોએ) બ્રાહ્મણને સુવર્ણસૂત્રો આપ્યાં. આ પ્રમાણે આર્યોના વેદોની અને બ્રાહ્મણની પ્રથમ ચક્રવતી ભરતથી ઉત્પત્તિ થઈ. આ શ્રાવકપ્રજ્ઞપ્તિ વેદ ( આર્યવેદ ) કાળે કરીને સંક્ષિપ્ત થતાં અલ્પ પ્રમાણમાં ટકી રહ્યો છે. આ રીતે આર્યવેદ ઉત્પન્ન થયે. હે ઋદિલ! હવે તું અનાર્યોના વેદની ઉત્પત્તિનું કારણ સાંભળ– અનાર્યવેદની ઉત્પત્તિ–સગરને વૃત્તાત ચારણયુગલ નામે નગર છે. ત્યાં અધન નામે રાજા હતા. તેની દિતિ નામે મહાદેવી હતી. તેની સુલસા નામે પુત્રી હતી. તે પરમ રૂપવતી, સુરાંગનાઓને પણ વિરમય પેદા કરનાર અને રૂપલક્ષમી વડે કરીને કમલવનમાંથી નીકળેલી લક્ષમી સમાન હતી. તેને જોઈને તથા એ પ્રકારની રૂપવતી તેને જાણીને પિતા અને તેને સ્વયંવર આપે. કારણ જાણીને રાજાઓ એકત્ર થયા. અપરાજિત, જિતભય, ભીમ, અરી, સમ, ભીષણ, મઘવન, સુજાત, મધુપિંગલ, હિરણ્યવર્મ, ઘરથ આદિ કુલ-શીલ-વિજ્ઞાનશાલી અનેક રાજાઓ આવ્યા. એ સમયે સાકેત (અયોધ્યા) નગરમાં સાગર નામે અધિરાજા હતા. તેની મંદોદરી નામે ૧ એવા પુરુષો કે જેમના મુખમાંથી અગ્નિ પેદા થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy