SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : રાજાએ હતા. તેમની બન્નેની એ ભાર્યાઓ હતી—વિજયા અને વૈજય'તી. તે બન્નેએ આ પ્રમાણે ચાદ મહાસ્વપ્ના જોયાં. તે જેમકે ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસર, સાગર, વિમાન અને ભવન, રત્નાના સમૂહ અને અગ્નિ. તે રાજાએએ સ્વપ્નપાઠકાને એ સ્વપ્ના કહ્યાં. તેઓએ એ સ્વપ્ને સમજાવ્યાં કે, “ પુત્રમાંથી એક તીર્થંકર થશે, બીજો ચક્રવતી થશે. ” કાળે કરીને તે સ્ત્રીઓને પ્રસૂતિ થઇ. ખાર દિવસ થતાં જિતશત્રુએ પુત્રનું નામ અજિત પાડયું, અને સુમિત્ર સગર પાડ્યું. અનુક્રમે ઊછરેલા તેએ ચૈાવનમાં આવ્યા, અને તેમને ઉત્તમ રાજકન્યાઓનુ પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. અન્યદા જિતશત્રુ રાજાએ પેાતાના પુત્ર અજિતને રાજ્યગાદી ઉપર બેસાડ્યા, અને ભાઈના પુત્ર સગરને યુવરાજપદે સ્થાપિત કર્યાં. પછી જિતશત્રુ રાજા શ્રોઋષભદેવના તીર્થોમાં વિરાની પાસે સયમ સ્વીકારીને સિદ્ધિમાં ગયા. પછી અજિત રાજા પણ ઘણા કાળ સુધી રાજ્યનું પાલન કર્યા પછી તે રાજ્યના ત્યાગ કરીને તીર્થંકર થયા. સગર પણુ ચૌદ રત્ના અને નવ નિધિના અધિપતિ એવા ચક્રવતી થયા. તે સગરના જનુકુમાર આદિ સાઠ હજાર પુત્રા હતા. હાર અને મુકુટને ધારણ કરનારા તે સર્વે પિતાની રજા માગી, ચક્રવતીનાં રત્ના અને નિધિઓને સાથે લઇને વસુધામાં વિચરવા લાગ્યા. સર્વ જનાને હિરણ્ય-સુવર્ણ આદિ સોંપત્તિ આપતા અને યશ તથા કીર્ત્તિ ઉપાર્જન કરતા તેઓ અષ્ટાપદ પર્યંત આગળ પહોંચ્યા. ત્યાં સિદ્ધોને વંદન કરીને જિનાયતન, સ્તૂપરચના આદિ તથા પ્રતિમા જોઇને તેએ અમાત્યને પૂછવા લાગ્યા, આ આયતન કાણે કરાવેલુ છે ? અને કયારે કરાવેલું છે ? એટલે અમાત્યે કહ્યું— અષ્ટાપદ તીર્થની ઉત્પત્તિ અને સિદ્ધ્ગડિકા 66 “ અહીં ઉત્તમ લક્ષણૢાથી યુક્ત ઋષભ નામે રાજા હતા, જેમણે પ્રજાઓને પૂર્વે વ્યવસ્થિત કરી હતી. જેમણે રાગને દમ્યા છે, કામભાગેાથી જે વિરક્ત થયા છે તથા કર્માને જેમણે ધમી નાખ્યાં છે એવા તે મહાત્મા ભગવાન ઉત્તમ શ્રામણ્ય પાળીને દશ હજાર અણુગારાની સાથે આ પર્વત ઉપર મેાક્ષમાં ગયેલા છે; તેમનુ આ આયતન અને સ્તૂપરચના છે. ભરત નામે તેમના પુત્ર પ્રથમ ચક્રવતી, ચાદ રત્ના અને નવ નિધિના અધિપતિ હતા. તેણે આ આયતન, પ્રતિમા અને સ્તૂપ કરાવેલાં છે. સમુકુટ કેવલજ્ઞાની ( જેમને ગૃહવાસમાં કેવલજ્ઞાન થયું હતુ) એવા તે ભગવાન ( ભરત ) શ્રામણ્ય સ્વીકારીને મેક્ષે ગયા. ભરતનાં જેવાંજ ગુણ, વિનય અને માહાત્મ્યથી ૧. અર્થાત્ એક રાણીએ સ્વપ્નમાં વિમાન જોયું અને બીજીએ ભવન જોયું. જે ઊલાકમાંથી આવે છે તેની માતા વિમાન જીએ છે અને અધેલામાંથી આવે છે તેની માતા ભવન જુએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy