SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ' નથી, પણુ દેવ અથવા વિદ્યાધર છે? એ પ્રમાણે વિચારતા પ્રેક્ષકાની દૃષ્ટિએ મારા તરફ વળી. પછી શ્રેષ્ઠીની સૂચનાથી વીણા લાવવામાં આવી અને માણસાએ મને તે આપવા માંડી, પણ તે લેવાની મેં ના પાડી અને કહ્યું, “ આ વીણાના તુંબડાના ગર્ભ ખરાખર સાફ્ કરેલા નથી, માટે તે સ્પર્શ કરવા લાયક નથી. ” પછી મે' વીણાની તત્રીએ ભીંજાવી અને તે ઉપરના વાળ ખતાવ્યા. તે બીજી વીણા લાવ્યા, એટલે મે કહ્યુ, આ તા દાવાનળથી મળેલા લાકડામાંથી બનાવેલી હાવાથી કઢાર સૂરવાળી છે. ” એ વીણા ખનાવનારને આ વાત પૂછવામાં આવતાં તેણે કહ્યું કે, “ સત્ય છે. ” પછી બીજી વીણા લાવવામાં આવી. પણ પાણીમાં મુડેલા લાકડામાંથી બનાવેલી હાઇ તેમાંથી ગ ંભીર સૂર નીકળે એમ કહીને મે તેને નિષેધ કર્યાં. આખી સભા વિસ્મય પામી. આ પછી જેના ઉપર ચંદનની ચર્ચા કરવામાં આવી હતી તથા સુગધી પુષ્પોની માળાથી જેને અલંકૃત કરવામાં આવી હતી એવી સાત સ્વરની તન્ત્રીઓવાળી વીણા લાવવામાં આવી. તે જોઇને મેં કહ્યું, “ આ વીણા ઉત્તમ છે, પણ મારે બેસવા માટેનું આ આસન અાગ્ય છે. ” એટલે ઉત્તમ આસન લાવવામાં આવ્યું. પછી શ્રેષ્ઠીએ મને કહ્યું, સ્વામી ! જો વિષ્ણુગ્ગીતક જાણુતા હૈ। તા ગામ. ” મેં કહ્યું, “ જાણું છું, ” સભાજના પૂછવા લાગ્યા, “ વિષ્ણુગીતક શું છે ? ” સાધુઓનાં ગુણક્રીનમાં ગવાતુ વિષ્ણુનું માહાત્મ્ય અને ગીત મેં પૂર્વ સાંભળ્યુ હતુ. એટલે હુ કહેવા લાગ્યા, “ સાંભળેા— વિષ્ણુકુમારનુ` ચરિત અને વિષ્ણુગીતિકાની ઉત્પત્તિ હસ્તિનાપુર નગરમાં પદ્મરથ રાજા હતેા, તેની લક્ષ્મીમતી દેવી હતી. વિષ્ણુ અને મહાપદ્મ નામે તેના એ કુમાશ હતા. શ્રીધર્મનાથ તીર્થંકરની પરંપરામાં સુન્નત નામે અણુગાર હતા; તેમની પાસે રાજાએ વિષ્ણુકુમારની સાથે દીક્ષા લીધી. મહાપદ્મ રાજા રાજ્ય કરવા લાગ્યે. પરમ વિગ્ન તથા જેણે પોતાના બાહ્ય અને આંતરિક ક મળ દૂર કર્યા છે એવા પદ્મરથ રાજા નિર્વાણ પામ્યા. જેની ધશ્રદ્ધા અવિચલિત રહેલી છે એવા વિષ્ણુકુમાર અણુગારે પણ સાઠ હજાર વર્ષ સુધી પરમ દુષ્કર તપ કર્યું. આથી તેમને વિકૃવિણી, સૂકમ-ખાદર-વિવિધરૂપકારિણી, અંતર્ધાની અને ગગનગામિની એ પ્રમાણે ચાર લબ્ધિઓ પ્રાપ્ત થઈ. "" મહાપદ્મ રાજાના નમુચિ પુરાહિત હતા. વાદ કરવાની ઇચ્છાવાળા એવા તેના મહાજનાની વચ્ચે સાધુઓએ શાસ્ત્રચર્ચામાં પરાજય કર્યાં હતા. આથી સાધુએ પ્રત્યે દ્વેષ રાખતા તેણે રાજાને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કરીને રાજપદ મેળવ્યું. વર્ષાઋતુમાં સાધુએ ગજપુરમાં–હસ્તિનાપુરમાં રહ્યા. જેના અભિષેક કરવામાં આવ્યા છે તથા પ્રજાવડે જે સંમાનિત છે એવા તે નમ્રુચિ સાધુઓને મેલાવીને કહેવા લાગ્યા, “તમે મને માનતા નથી, કારણ કે તમે મારી જયવાદ એટલતા નથી. ” સાધુઆએ કહ્યુ, “ શું અમારા વચનથીજ તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy