SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૬૩ ]. (આઠ નિર્ચ સુરાષ્ટ્રમાં પ્રવેશ્યા, અને ત્યાં એક કઠના ઝાડની નીચે બેઠા, કઠ પડયું અને (નિશ્વનું) માથું ફૂટી ગયું; “અો ! અ !” એમ બોલતા શિષ્ય હસવા લાગ્યા) મેં તે શિષ્યોને પૂછયું, “પેલી ઈશ્યકન્યા આ ગીત જાણે છે કે નથી જાણતી?” તેઓએ કહ્યું, “નથી જાણતી.” મેં કહ્યું, “ ત્યારે તો આ ગીત વડે જ હું તેને પરાજય કરીશ.” આવાં વચનાથી તે બધાને હું હસાવતા હતા અને અમારા દિવસો વીતતા હતા. એમ કરતાં અનુયેગ-પરીક્ષાને સમય નજદીક આભે. ઉપાધ્યાય પિતાના શિષ્યો સહિત જવા માંડ્યા. તેમણે મને કહ્યું, “તું બીજા કોઈ સમયે જજે.” મેં કહ્યું, “જે એ કન્યા બીજા કેઈથી જીતાય તે પછી મારું શીખ્યું શા કામનું ? માટે હું તે જઈશ જ.” પણ તેઓ મને જવા દેતા નહોતા. આથી મેં બીજું કડું લાવીને બ્રાહ્મણને આપ્યું. સતુષ્ટ થયેલી બ્રાહ્મણીએ મને કહ્યું, “જે તેઓ તેને અટકાવતા હોય તો તેમનું તારે શું કામ છે? તું જા, અને એ કન્યાને જીત.” પછી તેણે મને સફેદ અને મૂલ્યવાન વસ્ત્રયુગલ આપ્યું તથા અલંકાર અને પુષ-તંબેલ વગેરે પણ આપ્યાં. આ પ્રમાણે પહેરી-ઓઢીને હું ચારુદત્તની સભામાં ગયે. સભામાં ગોઠવવામાં આવેલાં આસને ઉપર વિદ્વાન બેઠા અને બીજા કે જમીન ઉપર બેઠા. શિષ્ય સહિત ઉપાધ્યાય મારી સામે શંકિત થઈને જોવા લાગ્યા કે, “આ મારી પાસે ન આવે તે સારું.” હું સભામાં પ્રવેશ્યો. ત્યાં નગરના પ્રધાન મનુષ્યની સાથે ચારુદત્ત બેઠો હતો. સભાની જના જેઈને મેં કહ્યું, “આવું સભાગૃહ તે વિદ્યાધરલેકમાં છે, અહીં નથી.” એટલે તુષ્ટ થયેલા ચારુદત્તે મને આસન આપ્યું. હું બેઠો. વિસ્મયથી વિકસિત થયેલાં નયનવાળા લોકો મને જોવા લાગ્યા. પછી ભીંત ઉપર ચીતરેલા બે હાથીઓ મેં જોયા. એ જોઈને મેં શ્રેષ્ઠીને પૂછયું, “આ હાથીને ચિત્રકારોએ અપાયુ કેમ ચીતર્યો છે?” તે બોલ્યા, “ભાઈ શું ચિત્રકામમાં પણ આયુષની પરીક્ષા હોય છે ખરી?” મેં કહ્યું, “હા, તમને જે એ વાતમાં શંકા હોય તો પણ મંગાવો અને બાળકને બેલાવો.” પછી પાણીનું વાસણ ભીંતને અડકાવીને મૂકવામાં આવ્યું. બાળકોએ રમતાં રમતાં પાછું લઈને હાથીને ભૂંસી નાખે. સભામાં બેઠેલા પુરુષો બેલી ઉઠ્યા, “અહો! આશ્ચર્ય છે!” ઉપાધ્યાય પણ વિસ્મિત થે. પછી ગર્વદત્તા આવી અને જવનિકાની પાછળ બેઠી. કોઈ પણ માણસ વીણાને સ્પર્શ કરવાની હિંમત કરતો નહોતો. ચારુદત્ત શ્રેષ્ઠી બોલ્યા, “જે કોઈ પણ ગાવાને માટે ઉઠતે ન હોય તે પછી મારી પુત્રી જાય છે.” એટલે થોડીવાર રહીને વિદ્વાનોએ કહ્યું, “ભલે જાય.” એ જ સમયે હું બે, “શા માટે જાય ? તેના શિક્ષણની વિશેષતા તો અમે જોઈએ. ” પછી “આ અતિ પ્રગભ, તેજસ્વી અને રૂપવાન પુરુષ કે માનવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy