SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ર ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : વીણાઓથી ભરેલું ગાડું જોયું. એક માણસને મેં પૂછયું, “શું આ દેશને આવો આચાર છે? કે બીજું કંઈ કારણ છે, જેથી બધા જ લોકો વીણાનું જ કામ કરતા દેખાય છે?” તેણે ઉત્તર આપે, “અહીં ચારુદત્ત શેઠની પુત્રી ગન્ધર્વદરા અત્યંત રૂપવતી અને ગાન્ધર્વવેદની પારગામી છે. એ શેઠ પણ કુબેરના જેવો છે. એ કન્યાના રૂપથી મેહિત થયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈ સંગીતકળામાં અનુરક્ત થયેલા છે. એ કળા શીખીને જે માણસ તે કન્યાને જીતે તે પુણ્યભાગીની એ ભાર્યો થશે. દરેક માસે વિદ્વાનોની સમક્ષ આ બાબતનો નિર્ણય કરવામાં આવે છે. ગઈ કાલે જ એ સમારંભ થઈ ગયો છે, એટલે હવે એક માસે થશે.” મેં વિચાર્યું, “હજી તો ઘણા દિવસ ગુમાવવા પડશે, માટે તેને પૂછું કે-અહીં સંગીતકળાના પારગામી કેઈ ઉપાધ્યાયે છે કે કેમ?” તેણે ઉત્તર આપ્યો, “છે, તેમાં પણ સુગ્રીવ અને જયગ્રીવ મુખ્ય છે.” એટલે મને વિચાર થયે, “એ લોકોના ઘરમાં હું નિર્વિદને દિવસ ગાળીશ.” મારાં આભરણે ગુપ્ત ભૂમિભાગમાં છપાવીને હું નગરમાં પ્રવેશ્યો. મૂર્ખની જેમ પ્રલાપ કરતે હું (સુગ્રીવ) ઉપાધ્યાયને ઘેર પહોંચે. ઉપાધ્યાયને મેં પ્રણામ કર્યા, એટલે તેમણે “સ્વાગત” એમ કહ્યું, અને પૂછ્યું, “કયાંથી આવે છે? અને શા કારણથી અહીં આવે છે?” મેં કહ્યું, “મારું નામ કન્દિલ છે, હું ગૌતમત્ર છું, અને મારે સંગીત શિખવું છે.” પણ ઉપાધ્યાયે મને જડ ધારીને મારી અવજ્ઞા કરી. એટલે મેં તેની બ્રાહ્મણને ઉત્તમ રત્નથી જડેલું કડું આપ્યું. તે જોઈને તે કહેવા લાગી, “પુત્ર! ધીરજ રાખ; ભજન, વસ્ત્ર અને શયનની બાબતમાં તારી જે કંઈ ઈચ્છા હોય તે કહે, ચિન્તા ન કરીશ.” મેં પણ મારી ઇચ્છા હતી તે કહ્યું. પછી બ્રાહ્મણીએ સુગ્રીવ ઉપાધ્યાયને કહ્યું, “સ્વામી ! સકન્દિલને ભણાવે, એ વિદ્યાવિહીન ન રહે.” તેણે કહ્યું, “એ તે જડ છે, શું શીખવાને હતે ?” બ્રાહ્મણ બોલી, “મારે કંઈ બુદ્ધિનું પ્રજન નથી; આ વસ્તુને માટે પ્રયત્ન કરે.” એમ કહીને તેણે કડું બતાવ્યું. એટલે ઉપાધ્યાયે મને શીખવવાનું સ્વીકાર્યું. પછી તું બુરુ અને નારદની પૂજા કરવામાં આવી. ઉપાધ્યાયે મને વિષ્ણુ અને ચંદનને ગજ આપે અને કહ્યું, “તત્રીઓને સ્પર્શ કર.” એટલે મેં તત્રીઓ ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે તે તૂટી ગઈ. ઉપાધ્યાયે બ્રાહ્મણને કહ્યું, “તારા પુત્ર કન્દિલનું આ વિજ્ઞાન જે.” બ્રાહ્મણ બોલી, “એ તન્ત્રીઓ તો જૂની અને દુર્બલ હતી, બીજી સ્થલ અને સ્થિર તન્નીએ બનાવે, એટલે તે સમય જતાં શીખશે.” પછી ઉપાધ્યાયના શિષ્યએ સ્થલ તન્ત્રીઓ તૈયાર કરી. મને ઉપાધ્યાયે કહ્યું, “ધીરે ધીરે તત્રીઓને સ્પર્શ કર.” પછી તેણે મને નીચે પ્રમાણે ગીત આપ્યું– अढ णियंठा सुरटुं पविट्ठा, कविट्ठस्स हेट्ठा अह सन्निविट्ठा । पडियं कविलु भिण्णं च सीसं, अव्वो ! अव्यो ! ति वाहरंति हसंति सीसा ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy