SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધર્વદત્તા લંભક [ ૧૬૫ ] જય અથવા પરાજય થઈ જવાનો હતો ? સ્વાધ્યાય અને ધ્યાનમાં રોકાયેલા ચિત્તવાળા અમે તમારો અભિષેક થયો છે એ હકીકત જાણી નહતી. ” નમુચિ બે, “વધારે શું? મારા રાજ્યમાં તમારે રહેવું નહીં. ” સાધુઓએ કહ્યું, “રાજન ! વર્ષાઋતુમાં વિહાર કરે શાસ્ત્રવિરુદ્ધ છે; માટે અમે શરદ ઋતુમાં જઈશું.” નમુચિએ કહ્યું, “સાત રાત્રિથી વધારે જે અહીં રહેશે તેને હું વધ કરીશ.” સાધુઓ બોલ્યા કે, “સંઘ ભેગા કરીને અમે તમને કહીશું.” પછી એ એકત્રિત થયેલા સ્થવિરો બેલ્યા, “આર્યો! જેની જે રિદ્ધિ હોય તે કહે, કારણ કે સંઘનું મોટું કાર્ય આવી પડયું છે. ” એક સાધુએ કહ્યું, “મારામાં આકાશગમનની શક્તિ છે, માટે જે કરવા જેવું હોય તેની આજ્ઞા કરો.સંઘસ્થવિરોએ તેને કહ્યું, “આર્ય! તમે જાઓ, અને અંગમંદર પર્વત ઉપરથી વિષ્ણુને કાલે જ અહીં લાવે.” તે સાધુ “ભલે” એમ કહીને ક્ષણવારમાં ત્યાંથી ગયા. સંઘની આજ્ઞા તેમણે વિષ્ણુને જણાવી. વિષ્ણુએ કહ્યું, “ભદન્તકાલે આપણે જઈશું.” પણ પછી ઊંઘતા તે સાધુને લઈને વિષ્ણુ ગજપુર પહોંચી ગયા. સાધુઓને દેશવટો આપવાને નમુચિ પુરોહિતને નિશ્ચય તેમને કહેવામાં આવ્યા. વિષ્ણુએ કહ્યું, “સંઘ નિશ્ચિત્ત થાઓ આ ભાર હવે મારા ઉપર આવ્યું છે.” પછી વિષ્ણુ નમુચિ પાસે ગયા. નમુચિએ ઊભા થઈને તેમનો સત્કાર કર્યો. વિષ્ણુએ કહ્યું, “સાધુઓ વર્ષાકાળમાં અહીં ભલે રહે.” એટલે નમુચિ બે, “તમે સ્વામી છે તે મહાપ રાજાના છે એમાં મારે શું ? માટે આ બાબતમાં હું તમને કંઈ ઉત્તર આપતો નથી. શ્રમણોને મારે દેશવટો દેવાને છે એ નિશ્ચય છે.” વિષ્ણુએ કહ્યું, આ સમયમાં પૃથ્વી પ્રાણીઓથી ભરેલી છે; યતિજનોને માટે આ સમયે વિહાર કરવાનું નિષિદ્ધ છે. તમારી અનુમતિથી જે તેઓ ઉદ્યાનગૃહમાં વર્ષાકાળ ગાળીને, નગરમાં પ્રવેશ કર્યા વગરજ, પરદેશ જાય તો પણ તમે મારું વચન કર્યું એમ ગણાશે.” નમુચિ બે , “જેઓ મારે માટે વધ્ય છે તેઓ મારાં ઉદ્યામાં પણ કેવી રીતે રહી શકે?” એટલે વિષ્ણુએ નમુચિને કહ્યું, “ભરત આદિ રાજાઓએ સાધુઓનું પાલન કરેલું છે, અને વિશેષ તાથી પૂજન કરેલું છે. તમે પૂજા ન કરે તે ઠીક છે, પણ ઉલટું “સાધુઓ મારે માટે વધ્ય છે” એવું બોલે છે તે કંઈ રાજાનું ચરિત્ર નથી. દસ્તુઓને પણ આ છાજતું નથી, માટે શાન્ત થાઓ, વર્ષાકાળ પૂરો થશે એટલે સાધુઓ બીજા રાજાનાં રાજ્યમાં વિહાર કરશે.” આ સાંભળી નમુચિ કહેવા લાગ્યું, “તમે કહે છે કે “આ રાજાનું ચરિત્ર નથી, પૂર્વ પુરુષો તો સાધુની પૂજા કરનારા હતા;” પણ જે રાજપુત્ર હોય અને પિતા તથા પિતામહની પરંપરાથી આવેલી રાજ્યલક્રમીને ભગવતો હોય તેને આ ધર્મ હશે. હું તો મારા વંશમાં પહેલો જ રાજા છું; મારે બીજાના ચરિત્રનું શું કામ છે? મારે સાધુઓનું કંઈજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy