SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : અને જાતિવાળી હોય તે પણ લેકે માં બહુમાન પામે છે. માટે તું શોક ન કરશ; માનવેલકમાં દુર્લભ એવા કામગોનો તું અનુભવ કર.” મેં તેને આમ કહ્યું, એટલે તે બોલી, “વેગવતિ ! તું પંડિતા છે એમ દાસીના મુખેથી મેં સાંભળ્યું હતું, પણ તું ઘણું અગ્ય બોલે છે અથવા ભાઈ પ્રત્યેના નેહથી તું આચાર ચૂકી ગઈ છે. સાંભળ ત્યારે–માતાપિતા વડે કન્યા જે સુરૂપ અથવા કુરૂપ, ગુણવાન અથવા નિર્ગુણ, વિચક્ષણ અથવા મૂખ પતિને અપાય તેની જ તે કન્યાએ જીવન પર્યત દેવતાની જેમ સેવા કરવી જોઈએ. તેથી કરીને તે આ લોકમાં યશભાગિની અને પરલોકમાં સુગતિગામિની થાય છે. એ જ કુલવધૂનો ધર્મ છે. તું માનસવેગની જે પ્રશંસા કરે છે તે પણ અયોગ્ય છે. જે રાજ્યધર્મને અનુસરનારે અને કુલીન હોય તે જેનું શીલ જાણ્યું નથી એવી તથા ઊંઘતી સ્ત્રીનું હરણ ન કરે. એમ પણ વિચાર કર કે આ તેની શરતા કે કાયરતા? જે આર્યપુત્રને જગાડીને તેણે મારું હરણ કર્યું હોત તો તે અહીં સુધી જીવતો આવ્યો ન હેત. “મારો વિદ્યાધર ભાઈ રૂપાળો છે” એમ તું કહે છે, તે સાંભળ–જેમ ચંદ્રથી અધિક કાન્તિમાન કઈ નથી અને સૂર્યથી તેજમાં અધિક કેઈ નથી તેમ હું માનું છું કે મારા આયપત્રથી રૂપમાં અધિક કોઈ પણ મનુષ્ય અથવા દેવ નહીં હોય. પરાક્રમવડે તે એકલા જ ( એ સર્વ સાથે ) યુદ્ધ કરવાને સમર્થ છે. મત્ત હાથીને તે વશમાં આ છે. શાસ્ત્રમાં બૃહસ્પતિ સમાન એવા તેમને સમોવડિયે કઈ હશે કે નહીં હોય. ન્યાયપ્રધાન રાજકુલમાં તે જન્મેલા છે. વેગવતિ ! આવા ઉત્તમ પુરુષની ભાર્યા થઈને “મનથી પણ હું અન્ય પુરુષને ઈચ્છું” એ વિચાર તારા હૃદયમાં ન હજો. જે તેમના ગુણે છે તે એક જીભથી વર્ણવવાની મારામાં શી શક્તિ છે? હું વિચાર કરું છું કેજેમ સમુદ્ર રત્નાકર છે, અને તેમાંથી જ આશ્ચર્યભૂત એવાં કેટલાંક રત્નો જનપદોમાં પ્રાપ્ત થાય છે, તેમ આર્યપુત્રમાં સઘળા પુરુષગુણ છે, જ્યારે અન્ય પુરુષોમાં માત્ર કેટલાક જ છે, માટે મને બાળકની જેમ ખાલી મૂઠીથી ભાવીશ નહીં, અનાર્ય જનને યોગ્ય વાત તું કરીશ નહીં.” મેં તેને કહ્યું, “આર્યો! લેકધર્મ હું જાણું છું. આ માર્ગ અમારા કુલધર્મને પણ યોગ્ય નથી. માનવેગે પરસ્ત્રીનું હરણ કર્યું તે અનુચિત કર્યું છે. ભાઈ પ્રત્યેના નેહાનુરાગથી મેં તને જે અનભિજાત વચન કહ્યું હોય તેની ક્ષમા કર. ફરીથી એવું નહીં કહું.” પછી તેની સાથે બેસીને, તેના વિયેગથી તમને થયેલા શોકનો વિચાર કરતાં, તે આર્યાની સાથે મને પણ દુઃખ થયું. પછી મેં તેને કહ્યું, “તું વિષાદ ન કરીશ. હું આખા જંબૂકોપમાં ભ્રમણ કરવાને સમર્થ છું, તો કેવળ તારા પિતાના નગર સુધી જવું એ શી મોટી વાત છે? હું તારા પ્રિયને માટે જાઉં છું, તારા આર્યપુત્રને હું અહીં લાવીશ. તને ત્યાં લઈ જવી એ માનસ વેગથી વિરુદ્ધ ગણાય. ” તેણે પરમ મધુર વાણુથી મને કહ્યું, “વેગવતિ ! જે તું આર્યપુત્રને અહીં લાવે તે હું તારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy