SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: અન્યદા અભયશે અનંતનાથ જિનેશ્વરને પારણાના સમયે વિપુલ ભાત પાણી વહોરાવ્યું. ત્યાં “અહો ! દાન !” એવી ઘોષણા થઈ, વસુધારા થઈ, પાંચ વર્ણનાં પુપની તથા વસ્ત્રોની વૃષ્ટિ થઈ અને દેએ દેવદ્યોત કર્યો. જેમની પૂજા કરવામાં આવી છે એવા મુનિવર પાછા વળ્યા. રાજા પણ યથાસુખ વિહરવા લાગ્યા. ઘાતકર્મને ક્ષયથી અનંતનાથ જિનેશ્વરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શિષ્યગણેથી વીંટાયેલા તેઓ ફરી વાર વિહાર કરતા વાપુરમાં આવ્યા. જિનેશ્વરનું આગમન સાંભળીને અભયશેષ રાજા સર્વ રિદ્ધિપૂર્વક તેમને વંદન કરવાને નીકળ્યો. ત્યાં ધર્મરત્ન સાંભળીને, વિજય અને જયંત એ બે પુત્રોએ જેને દીક્ષા મહોત્સવ કર્યો છે એવા તે રાજાએ રાજરિદ્ધિને ત્યાગ કરીને દીક્ષા લીધી. વીસ કારની–સ્થાનકની જેણે બરાબર આરાધના કરીને પોતાની જાતને ભાવી છે એવા તેણે તીર્થકરનું આયુષ્ય બાંધ્યું. ઘણા કાળ સુધી વિહર્યા બાદ આયુષ્ય ક્ષીણ થતાં તે પુત્રની સાથે અચુત ક૫માં ઉત્પન્ન થયે. ત્યાં બાવીસ સાગરોપમ સુધી દિવ્ય સુખ અનુભવીને મૃત થઈને તે–આ જ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પંડરીકિ નગરીમાં રાજા હેમાંગદ હતો, તેની પટ્ટરાણી વામાલિની હતી, તેને પુત્ર ઘનરથ થે. તે ઘનરથ તમારો પૂર્વજન્મને પિતા છે. જે વિજય અને જયંત હતા તે તમે બે ભાઈઓ થયા છો. આ તમારો પૂર્વભવ છે.” આ પ્રમાણે સાંભળીને, તે સાધુને પ્રણામ કરીને તે ચંતિલક અને વિદિતતિલક અહીં તમારા નગરમાં તમારા પ્રત્યેના પૂર્વાનુરાગથી આવ્યા છે. હે સ્વામી! તમારું દર્શન કરવાની ઈચ્છાવાળા, અહીં આવેલા તેઓએ આ કૂકડાઓમાં પોતાની જાતને સંક્રમિત કરી છે.” મેઘરથે આ પ્રમાણે કહ્યું, એટલે તે વિદ્યારે પિતાનું રૂપ ધારણ કરીને, ઘનરથના ચરણમાં નમસ્કાર કરીને પિતાના નગરમાં ગયા. અન્યદા તેઓએ ભગવર્ધન મુનિવરના ચરણમાં દીક્ષા લીધી અને જેમણે કર્મોને ધોઈ નાંખ્યાં છે એવા તેઓ સિદ્ધિમાં ગયા.” આ વાત સાંભળીને જેમને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એવા તે બંને કુકડા ઘનરથને ચરણે નમીને, અનશન કરીને (કાળ કરી) ભૂતારમણ અટવીમાં મહદ્ધિક ભૂતે થયા. અનેક રૂપ ધારણ કરનારા તે ભૂતો દિવ્ય વિમાન વિકુવીને, તેમાં મેઘરથકુમારને બેસાડીને, આખી પૃથ્વીમાં ફરીને, ફરી વાર કુમારને પાછો લાવીને વંદન તથા પ્રદક્ષિણા કરીને, અને રાજભવનમાં ત્રણ વાર રત્નની વૃષ્ટિ કરીને પિતાના સ્થાને ગયા. રતિસાગરમાં રહેલા તે ઘનરથ વગેરે ઇચ્છિત ભેગે જોગવતા હતા. વિષયસુખ અનુભવતા તથા નાટકમાં અનુરક્તા એવા તેમને સમય, સ્વર્ગમાં જેમ સુરેન્દ્રોને સમય વીતે તેમ, વીતતે હતે. અન્યદા દીક્ષાને સમય જાણીને કાતિક દે વડે પ્રતિબંધ પમાડાયેલા ઘનારથે મેઘરથકુમારને રાજ્ય ઉપર સ્થાપીને તથા દઢરથને યુવરાજ બનાવીને દીક્ષા લીધી અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy