SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી લંભક [ ૩૬૩ ]. સિંહનું મુખ ચીરી નાખ્યું. પછી તેણે જૂના કપડાની જેમ હદયપ્રદેશ સુધી સિંહનું શરીર હાથથી ચીરી નાખ્યું. ત્રિપૃદ્ધે ફેંકી દીધેલો સિંહ અમર્ષથી તરફડત હતા. સારથિએ તેને કહ્યું, “તને પુરુષસિંહે માર્યો છે, કુપુરુષે માર્યો છે એમ હું માનીશ નહીં. ” એટલે પછી તેના પ્રાણુ ગયા. નગરમાં આવેલા ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવને કહેવરાવ્યું કે, “રાજાએ સુખેથી રહે.” સિંહને આ પ્રમાણે મરાયેલે જાણ અશ્વગ્રીવને શંકા થઈ. તેણે સ્વયંપ્રભાની માગણી કરી, પણ તેના પિતા જવલન જટીએ તે આપી નહીં. પછી કાલક્ષેપને નહીં સહન કરી શકો તે જવલની ઉત્તમ લક્ષણેથી યુક્ત તે કન્યાને ત્રિપૃષ્ઠ પાસે લાવ્યા. સંન્નિશ્રોત નૈમિત્તિકે ત્રિપૃષ્ઠને કહ્યું, “દેવ! તમે ભરતાર્થના સ્વામી છે; માટે જયથી વૃદ્ધિ પામો.” ત્રિપૃષ્ઠને સ્વયંપ્રભા આપી હોવાનું સાંભળીને કાપેલ અશ્વગ્રીવ સૈન્ય-વાહન સહિત રથાવર્ત પર્વત ઉપર આવ્યા. ત્રિપૃષ્ઠ અને જવલન જટીના પક્ષના વિદ્યારે પણ ત્યાં ગયા. પછી માને અને વિદ્યાધરોનું યુદ્ધ છ માસ સુધી ચાલ્યું. પછી વિપૃષ્ઠ પિતાના ચક્રથી અશ્વગ્રીવનો વધ કર્યો, એટલે તે અશ્વગ્રીવ સાતમી પૃથ્વીમાં ગયે. આ ભારતમાં અવસર્પિણીમાં ત્રિપૃષ્ઠ પહેલે વાસુદેવ થયે. હરિશમશ્ન પણ મરીને સાતમી પૃથ્વીમાં જ નારક થયે. પછી “મારા વિદ્ગમાં આ બરાબર ઉપસ્થિત થયે” એમ વિચારતાં અવીવને હરિમથુ સાથે વેર થયું. અવધિ વિષયથી એકબીજાને જોતા અને તે જ ક્ષણે રોષથી પ્રદીપ્ત થયેલા તેઓ પોતે વિકૃર્વેલાં સેંકડો હથિયાર વડે એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત, ક્ષુધા અને તૃષાને અનુભવતા તથા ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના પરિણામથી કલુષિત હૃદયવાળા તેઓનાં તેત્રીસ સાગરોપમ વીતી ગયાં. નાસ્તિકવાદનું પ્રકાશન કરવાથી બંધાયેલ દર્શનમોહનીય કર્મના સંચય વડે દીર્ધકાળ સુધી દુઃખપરંપરા અનુભવીને હરિશ્મશ્ર મહિષ-અવસ્થામાં સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જેવી રીતે દેવ થયે તે સાંભળે– માયાની બહુલતાથી જેણે તિર્યંચનું આયુષ્ય બાંધ્યું છે એવો તથા અશાતવેદનયની સાંકળમાં બંધાયેલો હરિશમશ્ર અંતે નરકમાંથી ઉદ્વતિત થઈને મત્સ્ય થયો. ત્યાં પણ પંચેન્દ્રિયના વધ અને માંસાહારમાં આસક્ત એ તે પૂર્વ કોટિ સુધી જીવીને, નારકનું આયુષ્ય બાંધીને છઠ્ઠી પૃથ્વીમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ બાવીસ સાગરોપમ સુધી ત્યાંનાં પુદ્ગલેના પરિણામથી ઉત્પન્ન થયેલું અને પરસ્પરને પીડા કરવા નિમિત્ત દુઃખ અનુભવીને ઉદ્ધતિત થઈને સાપ થયે. ત્યાં પણ તે ભવ-નિમિત્તક રોષથી કલુષિત ચિત્તવાળે તે મરણ પામીને પાંચમી પૃથ્વીમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળે નારક થયે. ત્યાંથી તિર્યંચનું આયુષ્ય બાંધીને વાઘ થશે. ત્યાં પણ પ્રાણુ વધથી મલિન હૃદય ૧. કારણ કે હરિમથુને નાસ્તિકવાદને પ્રજાપતિએ સ્વીકાર્યો, તેને પરિણામે અશ્વગ્રીવના શત્રુ વિપૃષ્ણને જન્મ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy