SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત શ્રીસંધદાસગણિ વાચક–રચિત “વસુદેવ-હિંડી”પ્રથમ ખંડ જૈન સાહિત્યના સવ ઉપલબ્ધ આગમેતર કથાગ્રન્થમાં પ્રાચીનતમ છે. સામાન્ય રીતે રૂઢ, પણ વર્ણનાત્મક ભાગોમાં સમાસપ્રચુર એવા પ્રાકૃત ગદ્યમાં રચાયેલે લગભગ સાડાદશ હજાર કપ્રમાણને એ વિશાળ કથામન્ય છે એ પણ તેની એક મોટી વિશેષતા છે. પ્રાકૃત સાહિત્યના સમસ્ત ગ્રન્થમાં “વસુદેવ-હિંડી ”ની ભાષા પિતાની અસાધારણ પ્રાચીનતાને કારણે અનેક વિશિષ્ટતાઓ અને વિલક્ષણતાઓ દર્શાવતાં આર્ષ લક્ષણો વડે જુદી તરી આવે છે. કથાનુયોગને ગ્રન્થ હોઈ લોકવાર્તાના તુલનાત્મક અભ્યાસ માટે પણ ઘણી અગત્યની સામગ્રી તેમાંથી પ્રાપ્ત થાય છે. આમ સમસ્ત પ્રાકૃત સાહિત્યમાં “વસુદેવ-હિંડી” અનેકવિધ દૃષ્ટિએ જોતાં પણ અસાધારણ મહત્વનું સ્થાન ધરાવે છે. મથકર્તા અને તેમને સમય વસુદેવ-હિંડી” પ્રથમ ખંડના સંખ્યાબંધ લંભકની અંતિમ પુષ્પિકાઓમાં તેના કર્તા સંધદાસગણિ વાચકને નામનિર્દેશ છે, તેમજ “વસુદેવ-હિંડી' મધ્યમ ખંડના પ્રારંભે આચાર્યશ્રી ધર્મસેનગણિ મહત્તરે પણ પ્રથમ ખંડના કર્તા સંધદાસગણિ વાચક હોવાનું જણાવ્યું છે." સંધદાસગણિ વાચકના જીવન વિષેની કોઈ ઐતિહાસિક માહિતી આપણને તેમાંથી પ્રાપ્ત થતી નથી, એટલું જ નહીં પણ તેમને સમયનિર્ણય કરી શકાય એવું પણ કોઈ પ્રમાણુ એમાંથી મળતું નથી. પરન્તુ અન્યત્ર પ્રાપ્ત થતા કેટલાક ઉલ્લેખો ઉપરથી સંધદાસગણિ વાચકની વિદ્યમાનતાના અને વસુદેવ-હિંડી” ની રચનાને કાળ વિષે ચોક્કસ અનુમાન ઉપર આવી શકાય છે. વસુદેવ-હિંડી” એ કથાસાહિત્યને ગ્રન્થ હોવા છતાં એની પ્રાચીનતાને કારણે એ ખૂબ જ પ્રમાણભૂત ગ્રન્થ મનાય છે અને શ્રીજિનદાસગણિ મહત્તરે પિતાના આવશ્યકચૂર્ણિ જેવા મહત્વના ચૂર્ણિગ્રન્થમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના ચરિત્રનિરૂપણના પ્રસંગમાં તથા વકલગીરી અને પ્રસન્નચંદ્રના કથાપ્રસંગમાં “વસુદેવ-હિંડી'ને આધારે ટાંક્યા છે, અને “વસુદેવ-નહિંડી માંની ધમ્મિલની કથા ( “ધમિલહિંડી” ) ને ઉલ્લેખ કર્યો છે. १. सुव्वइ य किर वसुदेवेणं वाससतं परिभमंतणं इमम्मि भरहे विजाहरिंदणरवतिवाणरकुलवंससंभवाणं कण्णाणं सतं परिणीतं, तत्थ य सामाविययमादियाणं रोहिणीपज्जवसाणाणं एगुणतीसलंभता संघदासवायएणं उवणिबद्धा। ૨. તાહે સો સેલિ અqળો સામા ચ મમવાળ વાતિ, ના કુવરી ( આવશ્યક ચૂર્ણિ, પૂર્વભાગ, પ. ૧૬૪; gવમા ના ઘpહંકી તદ્દા માળિગ્યે ( એજ, પૂર્વભાગ, પૃ. ૪૬૦); વાર્ષિ #રું, તું સુવિહેં-હૃો ઘમિત્રોવાળ ન વરવટૂિંકીu (એજ, ઉત્તરભાગ, પૃ. ૨૪). આચાર્ય મલયગિરિએ પિતાની આવશ્યકવૃત્તિમાં પણ આ પૈકી પહેલા બે આધારે ટાંક્યા છે. ઉત્તરાધ્યયન ઉપરની શાત્યાચાર્યની વૃત્તિમાં (અધ્ય. ૪, પૃ. ૨૧૩-૧૬) અંગડદત્તની કથા આપી છે તે હિંડી ” માંની કથાને જ સારોદ્ધાર છે; આખીયે કથાનું “વસુદેવહિંડી’ સાથે અસાધારણું શાબ્દિક સાય છે. કે ટીકાકારે “વસુદેવહિડી ને નામે લેખ કર્યો નથી, પણ તેથી હકીક્તમાં કંઈ ફેર પડતો નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy