SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદાસગણિની નચૂિર્ણિને અંતે તેને રચનાકાળ શકાબ્દ ૫૯૮ (વિ. સં. ૭૩૨) આ હેઈ તેમને સમય વિક્રમના આઠમા સૈકાના પ્રારંભમાં સુનિશ્ચિત બને છે. એટલે કે “વસુદેવ-હિંડી'ની રચના ત્યાર પહેલાં થયેલી હોવી જોઈએ. વસુદેવ-હિંડી'ના રચનાકાળને એથીયે પ્રાચીનતર પુરવાર કરનારું પ્રમાણુ તે બીજું એક છે. વિશેપાવશ્યક ભાષ્ય અને બીજા અનેક ગ્રન્થોના સુપ્રસિદ્ધ પ્રણેતા આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાના વિશેષણવતી' નામના પ્રકરણગ્રન્થમાં “વસુદેવચરિત'-વસુદેવ-હિંડી' ના ઉલ્લેખ કરેલા છે? सामाइयजुत्तीए उसभस्स धणादओ भवा सत्त । होंति अ पिडिजंता बारस वसुदेवचरिअम्मि ॥ ३१ ॥ संखेवत्था जुत्तीए सत्त इयरे सहाणुभूइ त्ति । सिजंसेणऽक्खाया दोसु वि संपिंडिआ सवे ॥ ३२॥ सीहो सुदाढनागो आसग्गीवो य होइ अण्णेसि । सिद्धो मिगद्धओ त्ति य होइ वसुदेवचरिअम्मि ॥ ३३ ॥ અર્વાચીન પટ્ટાવલીઓને આધારે અત્યારસુધી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણના સ્વર્ગવાસને કાળ વીર સં. ૧૧૧૫-વિ. સં. ૬૪૫ માનવાનું વિધાનનું વલણ હતું, પણ હમણાં “વિશેષાવશ્યક ભાષ્યની એક અતિ પ્રાચીન તાડપત્રીય હાથપ્રતમાંના ઉલેખને આધારે એ ગ્રન્થને રચનાકાળ શકાબ્દ પ૩૧-વિ. સં. ૬૬૬ ના ચિત્ર સુદ ૧૫ ને બુધવાર હોવાનું આચાર્ય જિનવિજ્યજીએ નિશ્ચિતપણે બતાવી આપ્યું છે. “વિશેષાવશ્યક ભાષ્ય'ની પ્રરતુત હાથપ્રતને અંતે ગાથારૂપે એ ઉલેખ પ્રાપ્ત થતો હાઈ જિનભદ્રગુણિને પિતાને જ હોવાને પૂરો સંભવ છે. આમ “વસુદેવ-હિંદડી'ના રચનાકાળની ઉત્તરમર્યાદા નિશ્ચિત બને છે. વસુદેવ-હિંડીની રચના વિક્રમના સાતમા સૈકા પૂર્વે થઈ હતી એમાં શક નથી. “વસુદેવ-હિંડી ” આમ વિક્રમના છઠ્ઠા સૈકામાં રચાઈ હોય એમ બને ખરું, પરંતુ તેના રચનાકાળની પૂર્વમર્યાદા નક્કી કરવાનાં કઈ સાધને આપણી પાસે નથી. તેની પ્રાકૃત ભાષાની ખૂબ ધ્યાન ખેંચે એવી આર્ષતા વિચારતાં તેને રચનાકાળ વિક્રમના છઠ્ઠા સૈકા કરતાં યે એકાદ-બે શતાબ્દી એટલે જૂને હેય તે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. હવે પછી “વસુદેવ-હિંડીની ભાષાની મુખ્ય લાક્ષણિક્તાઓ આપણે જોઈશું ત્યારે આ મુદ્દો સ્પષ્ટતર થશે. વસુદેવ-હિંડીના કર્તા સંધદાસગણિ વાચક અને વ્યવહાર ભાષ્ય,” “બૃહતકલ્પભાષ્ય, “પંચકલ્પભાષ્ય' આદિ ભાષ્યગ્રન્થના કર્તા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ એક નથી-ભિન્ન છે, એટલું જ નહીં પણ સંપદાસગણિ ક્ષમાશ્રમણ સંધદાસગણિ વાચકની તુલનાએ કંઈક અર્વાચીન કાળમાં થયેલા છે, એવું પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનું મંતવ્ય છે." ૩. જુઓ “ભારતીય વિદ્યા', ભાગ ૩, સિંધી સ્મૃતિ અંકમાં “શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો સુનિશ્ચિત સમય ” એ લેખ. ૪. આ વિષયની સાધાર ચર્ચા માટે જુઓ બહ૫સૂત્ર, ગ્રન્થ ૬, પ્રસ્તાવના, પૃ. ૨૦-૨૩. જ્યારે આપણે વસુદેવ-હિડા” ના કવ તથા તેના સમયને લગતી ચર્ચા કરીએ છીએ ત્યારે એક આનુષગિક મુદ્દો તપાસવા જેવો છે. સં. ૧૧૬૦ માં સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ખંભાતમાં પ્રાકૃત “શાન્તિનાથચરિત્ર' લખનાર આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy