SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ “વસુદેવ-હિંડી” કે “વસુદેવચરિત'? આ ગ્રન્થનું સાચું નામ “વસુદેવ-હિંડી ” કે “વસુદેવ ચરિત, એ એક વિચારવા જે પ્રશ્ન છે. વસુદેવ-હિંડી' પ્રથમ ખંડના સંપાદકે સદગત પૂ. મુનિશ્રી ચતરવિજયજી મહારાજ તથા વિદ્યમાન પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે પિતાના સંપાદનકાર્યમાં ઉપયોગમાં લીધેલી સર્વે હાથમાં , માત્ર એક અપવાદ સિવાય, સર્વોત્ર “વસુદેવ-હિંડી' નામ આપેલું છે. ‘ આવશ્યકચૂણિમાં તેમજ આચાર્ય મલયગિરિની “આવશ્યકવૃત્તિમાં પણ એ જ નામનો ઉલ્લેખ છે. પ્રચલિત નામ પણ “વસુદેવ-હિંડી ” જ છે. આ બધાં કારણોથી સંપાદકોએ તે નામ સ્વીકાર્યું છે. પણ મૂળ ગ્રંથકર્તાને “વસુદેવચરિત' નામ જ ઉદ્દિષ્ટ છે એ નીચેના ઉલ્લેખ પરથી જોઈ શકાશે– પ્રારંભમાં વિષયમાં અનુમાન દેવચન્દ્રસૂરિએ પિતાના એ કાવ્યના પ્રારંભમાં તથા મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત' નામની સુપ્રસિદ્ધ ટીકા લખનાર અને વસ્તુપાલના સમકાલીન આચાર્ય માણિજ્યચન્ટે પોતાના સંસ્કૃત “શાન્તિનાથચરિત્ર” ના પ્રારંભમાં ભદ્રબાહુસ્વામીકૃત સવાલાખ શ્લેકપ્રમાણુ “વસુદેવચરિત નો નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે वंदामि भहबाहुं ज़ेण य अइरसियबहकहाकलियं । रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ॥ –દેવચંદ્રસૂરિકૃત “શાન્તિનાથચરિત્ર” (પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ. ૩૭૫) रसोर्मिरम्यं बहुसत्कथं यः सपादलक्षं वसुदेववृत्तम् । चकार संसारविकारभेदि स भद्रबाहुर्भवतु श्रिये वः ॥ –માણિચન્દ્રત “શાન્તિના ચરિત્ર” (પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ. ૨૦૪) આ ઉપરાંત, અમદાવાદની હંસવિજયજી જૈન લાયબ્રેરીએ પ્રસિદ્ધ કરેલી ૨૪૬ શ્લોકની સંક્ષિપ્ત “નર્મદાસુન્દરીકથા ને અંતે એ કથા ભદ્રબાહુસ્વામીપ્રણીત “વસુદેવ-હિંડી ’માંથી લેવામાં આવી હોવાનો નિર્દેશ છે. કૃતિના પ્રારંભમાં કે અંતે ર્તાનું નામ કે રચનાકાળ નથી તેમજ પ્રકાશકોએ હાથપ્રત વિશે પણ કંઈ માહિતી આપેલી નથી, એટલે એ વિષયમાં અનુમાન કરવાનું કોઈ સાધન નથી. પ્રસ્તુત અંતિમ લેક નીચે પ્રમાણે છે– इति. हरिपितृहिण्डेर्भद्रबाहुप्रणीतेविरचितमिह लोकश्रोत्रपत्रिकपेयम् । चरितममलमेतन्नर्मदासुन्दरीयं, भवतु शिवनिवासप्रापकं भक्तिभाजाम् ॥ હવે, ભદ્રબાહસ્વામીએ “વસુદેવચરિત' રચ્યું હોવાની કઈ પ્રાચીન શ્રતપરંપરા જાણવામાં નથી તેમજ એ ગ્રન્થ વિષેના નિદેશે પણ ઉપર જણાવ્યા તે સિવાય બીજા કોઈ મળતા નથી. સંધદાસગણિએ પ્રથમાનુયોગમાંના “વસુદેવચરિત'ને ઉલ્લેખ કર્યો છે, પણ ભદ્રબાહસ્વામીની એ વિષેની કઈ કૃતિ હવા વિષે મૌન સેવ્યું છે. સવાલાખ કપ્રમાણુના વિરાટ ગ્રન્થની પછીના સાહિત્યમાં ક્યાંય અસર ન હોય એ ન સમજાય એવું છે. એટલે આ ઉલ્લેખ કેટલે અંશે પ્રમાણભૂત ગણવા એ એક પ્રશ્ન રહે છે. આ સાથે બીજી એક વસ્તુ પણ ધ્યાન ખેંચે છે. ઉપર્યુક્ત “નર્મદાસુન્દરીકથા” “વસુદેવ-હિંડી ” માંથી લેવાઈ હોવાનો ઉલ્લેખ એ કથાના અંતિમ એકમાં મળે છે એ આપણે જોયું. દેવચન્દ્રસૂરિએ “મૂલશુદ્ધિ 'ઉપરની પિતાની ટીકામાં આપેલી સંખ્યાબંધ કથાઓમાં પ્રાકૃત “નર્મદાસુન્દરી કથા” પણ છે. એમાં તેમણે એ કથા “વસુદેવ-હિંડી” માંથી ઉદ્ધત કરી હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે– इय पवरसईए णम्मयासुंदरीए, चरियमइपसत्थं कारयं निव्वुईए। हरिजणयसुहिंडीमज्झयाराउ किंचि, लिहियमणुगुणाणं देउ सोक्खं जणाणं ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy