SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૬] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : : ત્રીજા વતના દોષ વિષે મેરનું અને ગુણ વિષે જિનદાસનું દષ્ટાન્ત મગધા જનપદમાં વડુક ગામમાં અરહદત્તને પુત્ર મેરુ નામે ગામને મુખી રહે હતું. ત્યાં ઉગ્રસેન નામે બીજે કણબી રહેતું હતું. રાતે પાણી પડે ત્યારે ક્યારાઓને પાળ બાંધી, કયારાએ પાણીથી ભરીને, પાણ કેટલું આવ્યું તેની તપાસ ઉગ્રસેન કરતે હોય ત્યારે મેરુ મુખી તેના કયારાઓની પાળ ભાંગીને પિતાના કયારા ભરી લેતો હતે. આ જોઈને ઉગ્રસેને રાજાને ફરિયાદ કરી. તેણે પોતાના સાક્ષી તરીકે મેરુના પિતાને બતાવ્યું. પૂછવામાં આવતાં, મેના પિતાએ જે બન્યું હતું તે કહ્યું. રાજાએ સત્યવાદી એવા અરહદત્તને સત્કાર કર્યો, મુખીને શૂળીએ ચઢાવ્ય અને ઉગ્રસેનને મુખીનું ખેતર આપ્યું. અથવા અદત્તાદાનના વિષયમાં આ બીજું પ્રશસ્ત ઉદાહરણ–વસન્તપુર નગર, ત્યાં જિતશત્રુ રાજ અને જિનદાસ શ્રાવક હતો. એક વાર સવારમાં નીકળેલો જિતશત્રુ રાજા ઘોડે ખેલાવતો હતો. ત્યાં એનું કુંડળ પડી ગયું. માણસોને તેણે આજ્ઞા કરી, “મારું કુંડળ કોણે લીધું છે તેની તપાસ કરો” તે પ્રદેશમાં થઈને જતો જિનદાસ કુંડળ પડેલું જેઈને પાછો વળે. માણસોએ વિચાર્યું, “આ પાછો કેમ વળે?” પછી તે માણસો તે પ્રદેશમાં ગયા, તે તેમણે કુંડળ જોયું. તે લઈને તેમણે રાજા પાસે રજૂ કર્યું. રાજાએ પૂછયું, “ક્યાંથી મળ્યું ?” તેઓ બેલ્યા, “જિનદાસ પાસેથી.” પછી તેઓ ગયા. કુદ્ધ થયેલે રાજા બોલવા લાગ્યું, “જિનદાસ ઢેગી શ્રાવક છે.” પછી જિનદાસને બેલાવીને તલવારથી તેનું માથું છેદવાની રાજાએ આજ્ઞા કરી, પણ તે તલવાર ફૂલની માળા થઈ ગઈ. એટલે રાજાએ ફરી કહ્યું, “એને દોરડાથી ફાંસી આપે.” પણ એ દોરડું રત્નમાલા થઈ ગયું. એટલે “આ અપરાધી નથી ” એમ વિચારીને રાજાએ માણસોને બોલાવ્યા. બોલાવીને તેમને પૂછયું, “કુંડળ જિનદાસ પાસેથી મળ્યું એમ તમે શા ઉપરથી કહો છો?” તેમણે જે બન્યું હતું તે કહ્યું. રાજાએ જિનદાસને સત્કાર કરીને તેને વિદાય આપી. ચેથા વ્રતના દેશ વિષે કરાલપિંગનું અને ગુણ વિષે જિનપાલિતનું દૃષ્ટાન્ત ચોથા વ્રત વિષે-વસન્તપુર નગર હતું, ત્યાં નલપુત્ર રાજા હતો. કારલિપિંગ તેને પુરોહિત હતા. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ “હું વરદાન આપું છું” એમ તેને કહ્યું. પુરોહિતે કહ્યું, “જે રૂપાળી સ્ત્રીને હું જોઉં તેને લઉં.” રાજાએ કહ્યું, “જે સ્ત્રી તારી ઈચ્છા કરે તેને તું લેજે. નહીં ઈચ્છા કરતી સ્ત્રીને તું ગ્રહણ કરીશ અથવા તેની પ્રાર્થનામાગણી કરીશ તે વ્યભિચારીની જે સજા છે તે હું તને કરીશ.” ત્યાં પુષ્યદેવ નામે વાણિયે તે પુરોહિતને મિત્ર હતો, તેની પદ્મશ્રી પત્ની હતી અને વિદ્યુલતિકા દાસી હતી. તે વિદ્યુલતિકાને પુરોહિતે કહ્યું, “પદ્મશ્રી મને ઈ છે તેમ તું કર.” તેણે પદ્મશ્રીને કહ્યું. પદ્મશ્રીએ પોતે પુરોહિતને કહ્યું, “તમારા મિત્રને ખબર પડશે.” પુરોહિત બોલે, “તે નહીં જાણે તેમ કરીશ.” પુરોહિતનું આ ચરિત્ર પદ્મશ્રીએ પુષ્યદેવને કહ્યું. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy