SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ - - * . - ક પ્રિયંગસુન્દરી સંભક [ ૩૮૫ ] તેને મારવાની ઈચ્છા કરી નહીં, એટલું જ નહીં પણ પુત્રને પણ વાર્યો કે, “મારીશ નહીં.” પણ પિતાનું ધ્યાન નહોતું ત્યારે પુત્રે તે ચમરી ગાયને મારી. પિતાએ આ જોયું. પછી ચેરશાહ યમદંડ મમ્મણને પકડીને રાજા પાસે લઈ ગયો. રાજાએ પૂછતાં તે મૂગો જ રહ્યો. યમદંડે તેના પિતાને સાક્ષી તરીકે જણાવ્યું. રાજાએ તેને બોલાવ્યા. પૂછવામાં આવતાં તેણે કહ્યું, “સ્વામી! મારા પુત્રે અપરાધ કર્યો છે.” રાજાએ યમપાશ ચાંડાલને બોલાવીને કહ્યું, “મમ્મણને માર.” ત્યારે ચાંડાલે કહ્યું, “સાંભળે, સ્વામી! હસ્તિશીષ નગરમાં દમદત્ત નામે વાણિયે હતે. એકવાર તેણે અનંતનાથ જિનેશ્વરની પાસે દીક્ષા લીધી, અને તેમના પ્રભાવથી સર્વોષધિ સંપન્ન થયે. અહીં આવીને તે સ્મશાનની પાસે પ્રતિમામાં રહો. જેને કંઈક બિમારી થઈ હતી એ મારો પુત્ર અતિમુક્તક તે સાધુના ચરણ સમીપે ગયો, અને તે નીરોગી થયો. તેણે મને કહ્યું. ઉપસર્ગ. વાળે એ હું પણ પરિવાર સહિત તેમની પાસે ગયે. ઉપસર્ગથી મુક્ત થયેલા એવા મેં શ્રાવકધર્મ અને અણુવ્રતો ગ્રહણ કર્યા. તેથી, હે સ્વામી! હું ને મારતો નથી. જે કદી સ્વામી મારું માથું કાપી નાખે, તે પણ નહીં મારું.” પછી રાજાએ તેને સત્કાર કરીને વિદાય આપી, નલદામને પણ તેવી જ રીતે વિદાય આપી; બીજા ચાંડાલે મમ્મણને વધ કર્યો. હિંસા નહીં કરતા અને હિંસા કરતા મનુષ્યના આ ગુણ-દેષ છે. બીજા વ્રતના ગુણદોષ વિષે ધારણ અને રેવતિનું દષ્ટાન્ત હવે અસત્યભાષણના દે–પિતનપુર નગરમાં ધારણ અને રેવતિ એ બે વણિક મિત્રે રહેતા હતા. એક વાર ધારણે રેવતિના હાથથી એક લાખનો માલ ભર્યો, એકે બીજાને લાખ આપવા એમ નકકી થયું. તે માલથી વેપાર કરતા ધારણ ઈશ્વર-ખૂબ સમૃદ્ધ થયે. રેવતિએ તે ધન માગ્યું. ધારણ નામકર થયે. રેવતિએ રાજાને જણાવ્યું કે, “મારે સાક્ષી નથી.” કારકિએ રાજાની આગળ તુલા ઉભી કરી અને કહ્યું, “જે ધારણ દેવાદાર હોય તે તુલા પડે-નમો.” એટલે તે પડી-નમી. વળી કહ્યું, “રેવતિ દેવાદાર ન હોય તો તુલા પડશે નમશે નહીં. ” એટલે તુલા પડી–નમી નહીં. રાજાએ વતિને લાખ ધન અપાવ્યું, અને “આ તો અસત્યભાષી છે” એમ કરીને ધારણની જીવ કપાવી નાખી. અસત્યભાષણના આ દોષે અને ગુણ છે. ૧. જેના શરીરની કોઈ પણ વસ્તુ ઔષધનું કામ કરે એવી લબ્ધિ. ૨. જેમના ઉપર ગુન્હો કર્યાની શંકા હોય એવા મનુષ્યની પરીક્ષા પ્રાચીન કાળમાં અગ્નિદિવ્ય, જલદિવ્ય વગેરેથી કરવામાં આવતી. અહીં પણ તુલાથી એવી પરીક્ષા કરવાની વાત છે. સામા પલ્લામાં કંઈપણુ વજન મૂકયા સિવાય માણસને તુલામાં બેસાડવામાં આવે, અને તુલા જે નમે તે તે ગુનેગાર અને નમે નહીં તે તે ગુનેગાર નહીં–એ રીતે નિર્ણય હોવાની માન્યતા હશે, એમ ઉપરના ઉલેખ ઉપરથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy