SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ * [ ૩૮૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : (આ તરફ) કામ પતાકા સર્વ પ્રયત્નથી જિનેશ્વરનો મહિમા કરવા લાગી. ચારચન્દ્રકુમાર પણ માત્ર ભ્રમરનું સ્પંદન કરતા હત–માત્ર ભ્રમર હલાવી શકતો હતો. નાન, ગંધમાલ્ય કે ભેજન અને આસનશયનને તે ઇચ્છતો ન હતો. તે માતાને માત્ર એટલું કહેતું હતું કે, “જિનવરને મહિમા કરો.” પછી દેવીએ “ભલે” એમ કહ્યું. તે સાંભળીને રાજાએ દેવીને કહ્યું, “ ચારુચ કાશ્યપકુલને વૃદ્ધિ પમાડે છે.” દેવીએ કહ્યું, “અનંગસેના વડે.” તે અનંગસેના રાજાની પાસે જ હતી. એટલે રાજાએ અનંગસેનાને પૂછયું, “અનંગસેને! શું કામ પતાકા શ્રાવિકા છે?” એટલે અનંગસેનાએ કહ્યું, “સ્વામી ! આ બાબતમાં જે સત્ય હકીકત છે તે સાંભળો– સ્વામિદરને વૃત્તાન્ત હે સ્વામી ! અહીં વર્ષાકાળમાં ચંદનપુરને વતની સ્વામિદત્ત નામનો પરદેશી વાણિયે આવ્યા હતા. તે અરિહંતના શાસનમાં રત હતો. કામ પતાકાને તે ચેલે હતો અને તેના હૃદયમાં રમતો હતો. કામ પતાકાએ મને તે કહ્યું. “કામ પતાકા કન્યા તેને આપું” એમ વિચારીને હું પણ તેને ઘેર લાવી, પણ તેણે કામ પતાકાને ઈચ્છી નહીં. પછી તેના પગ જોઈને શયન-આસન આપી સત્કાર કરીએ” એમ અમે ધાર્યું, પણ “મારે પૌષધ છે.” એમ કહીને તેને માટે કરેલી વસ્તુને પણ તેણે ઈચ્છી નહીં. પછી અમે તેને ધર્મ પૂક્યો, એટલે તેણે અમને સાધુધર્મ અને શ્રાવકધર્મ કદા. વળી તે કહેવા લાગે અણુવ્રતેના ગુણદોષ વારાણસી નગરીમાં અરહદાસ નામે શ્રાવક સાર્થવાહ હતું, તેની પત્ની જિનદાસી હતીતેમને પુત્ર હું સ્વામિદત્ત નામે છું. મારી પત્ની મુનિદત્તા છે. મેં સ્વદારસન્તોષનું વત ગ્રહણ કર્યું છે, તે વ્રતનો ત્યાગ કરીને હું બીજી કોઈ સ્ત્રીની સાથે વસતા નથી.” તે સ્વામિદર અમને અણુવ્રતાના ગુણ-દેષ (અણુવ્રતના પાલનના ગુણ અને ભંગના દોષ) આ પ્રમાણે કહેવા લાગ્યા.– પહેલા વ્રતના ગુણ-દેષ વિષે મમ્મણ અને યમપાશનું દષ્ટાન્ત વારાણસી નગરીમાં જ દુર્મર્ષણ નામે રાજા હતું, તેની સુમંજરી દેવી હતી. ત્યાં યમદંડ નામે ચેર પકડનાર આરક્ષક હતો. ત્યાં યમપાશ નામે ચાંડાલ વસતા હતા. નલદામ નામે વાણિયે હતું, અને તેને પુત્ર મમ્મણ હતું, રાજાએ જેને અભય આપ્યું હતું એવી ચમરી ગાય તે બન્નેએ જોઈ. મમ્મણે પિતાને કહ્યું, “આને મારો” પિતાએ ૧. માત્ર ભ્રમરનું સ્પન્દન કરતે કુમાર બોલે છે, માટે કાશ્યપકુળ તેનાથી વૃદ્ધિ પામશે. અર્થાત્ તે આવશે. ૨. કારણ કે અનંગસેના એ કામ પતાકાની માતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy